પોસ્ટ્સ

ડિસેમ્બર, 2023 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

દાનનો મહિમા – અન્નદાન

ભોજનનો બગાડ કરવો એ અપરાધ છે. પરંતુ પોતાની પાસે રહેલું ભોજન કોઈ જીવ સાથે વહેંચીને ન ખાવું એ એથી પણ મોટો અપરાધ છે. આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે ક્યારેય પોતાના એકલાં માટે રાંધવું ન જોઈએ. ભોજન ગ્રહણ કરતાં પહેલાં તેનાં પાંચ અંશ ઋષિઓ , માનવો અને ગાંધર્વો (પ્રાણીઓ અને પક્ષીઓ) માટે અલગ રાખવાં જોઈએ. જે પંચગ્રાસ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે આપણે ત્યાં ગાય , શ્વાન , કીડી , કાગડા અને આંગણે આવતાં ભૂખ્યાં મનુષ્ય માટે ભોજનનો ભાગ કાઢવાની પ્રથા છે. અન્નદાન એ સૌથી શ્રેષ્ઠ દાન ગણાય છે. જ્યારે આપણે દાન કરીએ છીએ ત્યારે હકીકતમાં આપણે ગત જન્મોના કાર્મિક ઋણની ચૂકવણી કરતાં હોઈએ છીએ. દાનથી આપણી ભૌતિક વસ્તુઓનો ભોગ કરવાની આસક્તિ છૂટે છે. આસક્તિ છૂટે ત્યારે જ શરીર છૂટી શકે. કોઈપણ પ્રકારની આસક્તિનો ત્યાગ કરવાની શરૂઆત દાનથી જ થઈ શકે. દાન વૃદ્ધાવસ્થામાં મૃત્યુને સરળ બનાવી શકે છે. જ્યારે દાન કરીએ છીએ ત્યારે વિચારો અને મનમાં ખુલ્લાંપણું આવે છે. કહેવાય છે કે જ્યારે આપણે કોઈને કશુંક આપીએ છીએને ત્યારે એ અનેકગણું થઈને આપણી પાસે પરત આવે છે.

રાશિઓના તત્વ અને આરોગ્યની સ્વસ્થતા

રાશિચક્રની બાર રાશિઓને ચાર તત્વોમાં વિભાજીત કરેલ છે.  અગ્નિતત્વ ધરાવતી રાશિઓ (૧ , ૫ , ૯ - લક્ષણો: ઉર્જાવાન , આવેશમય) અકસ્માત થવાની સંભાવનાવાળી હોય છે. જો કે તેઓ કોઈપણ બીમારીમાંથી બહુ જલ્દી સાજા થઈ શકતાં હોય છે.  પૃથ્વીતત્વ ધરાવતી રાશિઓને (૨ , ૬ , ૧૦ - લક્ષણો: વ્યવહારુ , સ્થિર) બીમારીમાંથી સાજા થવા માટે અગ્નિતત્વ રાશિઓ કરતાં થોડો વધુ સમય લાગે છે.  વાયુતત્વ ધરાવતી રાશિઓ ( ૩ , ૭ , ૧૧ - લક્ષણો: બુદ્ધિમાન , સામાજીક) રોગોનો સામનો કરવાં બાબતે થોડી નિર્બળ સાબિત થાય છે.  જ્યારે જળતત્વ ધરાવતી રાશિઓ (૪ , ૮ , ૧૨ - લક્ષણો: ભાવનાશીલ , સંવેદનશીલ) રોગોનો સામનો કરી બીમારીમાંથી સાજા થવા બાબતે સૌથી વધુ સમય લેનાર હોય છે.

પંચમસ્થાન અને પ્રેમ

જન્મકુંડળીમાં પંચમસ્થાન ગહન પ્રેમનું સ્થાન છે. પંચમસ્થાન એ સંતાન અને ઈષ્ટદેવનું સ્થાન પણ છે. પંચમસ્થાનમાંથી ઉદભવતો પ્રેમ ઈશ્વર પ્રત્યેનો હોઈ  શકે, પોતાના સંતાન પ્રત્યેનો હોઈ શકે કે પછી સ્ત્રી-પુરુષ વચ્ચે રચાતો વિજાતીય પ્રેમ હોઈ શકે. ઘણી વખત પ્રેમમાં પડેલાંઓ જ્યારે પંચમસ્થાનના પ્રભાવ હેઠળ હોય છે ત્યારે તેમને પોતાનાં પ્રિયજનમાં જ દૈવીય તત્વની હાજરીની અનુભૂતિ થાય છે. (તુજ મે રબ દિખતા હૈ!) કારણકે જે સ્થાન પ્રેમનો નિર્દેશ કરે છે એ જ સ્થાન ઈશ્વરનો નિર્દેશ પણ કરે છે. કાળપુરુષની કુંડળીમાં પંચમસ્થાનનો સ્વામી સૂર્ય છે. સૂર્ય એ વિષ્ણુનું સ્વરૂપ છે અને આદર્શ પ્રકૃતિનો સાત્વિક ગ્રહ છે. આથી જ ‘ પ્રેમ આંધળો છે ’ એ ઉક્તિ મુજબ પ્રેમમાં પડેલાંઓને આદર્શ રીતે પોતાનાં પ્રિય પાત્રમાં માત્ર ગુણો દેખાય છે. તેમનાં અવગુણો નજરે પડતાં નથી!

મહાભાગ્ય યોગ

મહાભાગ્ય યોગ ક્યારે રચાય ?  જ્યારે પુરુષ જાતકનો જન્મ દિવસના ભાગમાં (સૂર્યોદયથી સૂર્યાસ્ત) થયો હોય અને જન્મલગ્ન , સૂર્ય , ચંદ્ર એ ત્રણેય વિષમ રાશિમાં (૧ , ૩ , ૫ વગેરે) સ્થિત હોય. સ્ત્રી જાતકનો જન્મ રાત્રિના ભાગમાં (સૂર્યાસ્તથી સૂર્યોદય) થયો હોય અને જન્મલગ્ન , સૂર્ય , ચંદ્ર એ ત્રણેય સમ રાશિમાં (૨ , ૪ , ૬ વગેરે) સ્થિત હોય. નામ અનુસાર મહાભાગ્ય યોગ ઉત્તમ ભાગ્ય પ્રદાન કરે છે. આ યોગમાં જન્મનાર જાતકો દિર્ઘજીવી , ઉદાર , પ્રસિદ્ધ , ઉત્તમ આચરણ ધરાવનાર , અન્યોને આનંદ આપનાર તેમજ સત્તાની પ્રાપ્તિ કરનાર હોય છે. જન્મલગ્ન , સૂર્ય અને ચંદ્ર એ જીવનના ત્રણ સ્તંભ શરીર , આત્મા અને મન છે. પુરુષ જાતક માટે આ ત્રણેયનું પુરુષ રાશિમાં હોવું તેમને પૌરુષીય ગુણોથી સભર એક આદર્શ પુરુષ બનાવે છે. જ્યારે સ્ત્રીઓ માટે આ ત્રણેયનું સ્ત્રીરાશિમાં હોવું તેમને સ્ત્રીત્વના ગુણોથી સભર એક આદર્શ સ્ત્રી બનાવે છે. ઉદાહરણ: શ્રી લત્તા મંગેશકર , રાત્રિનો જન્મ , જન્મલગ્ન વૃષભ , સૂર્ય કન્યા અને ચંદ્ર કર્ક રાશિ સ્થિત.

શનિના અશુભ ફળના લક્ષણો

છબી
Raja Ravi Varma, Public domain, via Wikimedia Commons જ્યારે જીવનમાં શનિની નાની કે મોટી પનોતી આવે અથવા શનિની મહાદશા કે અંતર્દશા આવે ત્યારે શનિનું શુભ અથવા અશુભ ફળ તીવ્ર સ્વરૂપે પ્રગટ થાય છે. શનિ શુભ ફળ પણ આપી શકે છે. પરંતુ , જો શનિ અશુભ ફળ આપી રહ્યો હોય તો તેનાં લક્ષણો ક્યાં હોઈ શકે ? કાર્યોમાં અવરોધ અને વિલંબનો સામનો કરવો પડે. કાર્યમાં જવાબદારી અને બોજનો વધારો થાય. કામમાં શોષણ થતું હોય તેવું લાગે. કામ વધુ હોય અને વળતર ઓછું મળતું હોય તેવું બની શકે. કામનું શ્રેય ન મળે. કઠોર પરિશ્રમ કરવો પડી શકે છે. મલિન , નકામી ચીજ-વસ્તુઓથી ભરેલી , જૂની , સગવડોનાં અભાવવાળી જગ્યાએ રહેવું પડે કે સ્થળાંતર થાય. રહેઠાણની આજુબાજુ મલિનતા , ગંદા નાળાઓ , કચરાના ઢેર કે ઝૂંપડપટ્ટી જેવાં વિસ્તાર હોઈ શકે છે. કઠણ પથારીમાં સૂવું પડે. આર્થિક ખેંચનો અનુભવ થઈ શકે છે. ઘણીવાર પૈસાની જરૂર હોય ત્યારે જ હાથવગાં ન હોય. વોલેટ/પર્સ ઘરે ભૂલી જવાય કે ખોવાય જાય. ગણતરીઓ કરી-કરીને પૈસા ખર્ચ કરવાનો વખત આવે. અન્યો પાસેથી ઋણ લેવું પડે. ઋણ પરત કરવામાં મુશ્કેલીનો અનુભવ થાય. આર્થિક અસલામતી અને ડરનો અનુભવ થાય. જૂના , ફાટેલાં , ઘસાઈ ગયેલા

રાહુ અને કેતુ કઈ રીતે પ્રભાવિત કરે?

રાહુ અને કેતુ એ દ્રષ્ટ ગ્રહો નથી. આકાશમાં સૂર્ય , ચન્દ્ર અને બીજાં ગ્રહોની માફક તેમને જોઈ શકાતાં નથી કે અન્ય ગ્રહોની માફક તેમનું કોઈ શારીરિક અસ્તિત્વ કે આકાર નથી. અન્ય ગ્રહોને સ્પષ્ટરૂપે જોઈ શકાય છે , જ્યારે રાહુ અને કેતુની ફક્ત કલ્પના કરી શકાય છે. આથી રાહુ અને કેતુનો વ્યક્તિના જીવન પર પ્રભાવ પણ સ્પષ્ટરૂપે દ્રશ્યમાન હોતો નથી. આ ગ્રહો સૌ પ્રથમ વ્યક્તિના અંતર્મનને અને માનસિકતાને પ્રભાવિત કરે છે. મન અને બાહ્ય જગત વચ્ચે એક અદ્રશ્ય કડી રહેલી છે. મન પર પડેલો પ્રભાવ અંતે બાહ્ય જગત પરત્વેના દ્રષ્ટિકોણને પ્રભાવિત કરે છે અને પરિણામે વ્યક્તિનું બાહ્ય જીવન બદલાય છે. આમ અંતે પરોક્ષ રીતે રાહુ અને કેતુનો પ્રભાવ વ્યક્તિના જીવનમાં દ્રશ્યમાન બને છે. 

ગુરુ વિશેષ

ગુરુ અને લગ્ન  લગ્ન કે લાંબો સમય ચાલનારાં સંબંધને ટકાવી રાખવામાં કુંડળીમાં બળવાન ગુરુનો પ્રભાવ મહત્વનો રહે છે. શુક્ર એ પ્રેમ , લગ્ન અને સંબંધોનો કારક ગ્રહ છે. શુક્ર વ્યક્તિના જીવનમાં પ્રેમનું તળાવ નિર્માણ કરી શકે. પરંતુ , જો એ તળાવ ફરતે ગુરુની રક્ષણાત્મક પાળ ન હોય તો તળાવનું લાગણીરૂપી જળ વહી જવાની પૂરી શક્યતા રહે ! ગુરુ એ આકાશ તત્વ ધરાવતો ગ્રહ છે. આકાશ તત્વ એ અગ્નિ , પૃથ્વી , વાયુ , જળ એ સર્વે તત્વોને જોડે છે તેમજ તેમને વિખેરાઈ જતાં અટકાવે છે. કોઈ જ નવાઈની વાત નથી કે ગુરુની જ મીન રાશિમાં પ્રેમનો ગ્રહ શુક્ર ઉચ્ચત્વ ધારણ કરે છે !  ગુરુ અને જીવનનો હેતુ ગુરુ એ વ્યક્તિના જીવનને હેતુ પ્રદાન કરનારો ગ્રહ છે. કુંડળીમાં રહેલો બળવાન ગુરુ એ જીવનને અર્થપૂર્ણ બનાવવા માટે પ્રેરિત કરે છે. જ્યારે કુંડળીમાં ગુરુ શુભ સ્થિતિમાં હોય ત્યારે વ્યક્તિ પોતાના જીવનના હેતુને સહજ રીતે સમજી શકતી હોય છે. પોતાના કાર્યને મૂલ્યવાન સમજીને જીવનને પૂર્ણતાથી જીવતી હોય છે. એથી વિરુદ્ધ જો કુંડળીમાં ગુરુ અશુભ સ્થિતિમાં હોય ત્યારે વ્યક્તિ પોતાના જીવનના ઉદ્દેશથી બેખબર હોય છે. પોતે કરી રહેલાં કાર્ય પરત્વે સંશયનો અનુભવ કરે છે

શનિ, રાહુની મહાદશા - સુખ અને દુ:ખ

  શનિ , રાહુની મહાદશા અને માનસિક સુખ જીવનમાં આવતી શનિ અને રાહુની મહાદશા સામાન્ય રીતે માનસિક અને ભાવનાત્મક દ્રષ્ટિએ કષ્ટપ્રદ સમય હોય છે. આ દશાઓ દરમિયાન બાહ્ય વસ્તુઓ , પરિસ્થિતિ કે વ્યક્તિઓ તરફથી સુખ શોધવાની કોશિશ નિરાશા અને અવસાદ પ્રદાન કરી શકે છે. શનિ કે રાહુની મહાદશા ચાલી રહી હોય તો સુખને જાતની અંદર ખોજવાની કોશિશ કરવી. આ દશાઓ દરમિયાન ભીતરથી મળતો આનંદ જ જીવનને સરળ બનાવી શકશે.  શનિ અને દુ:ખ જીવનમાં કેટલીક મુશ્કેલીઓ એવી હોય છે કે જેના પર વિજય મેળવી શકાય છે . જ્યારે કેટલીક એવી હોય છે જેને સ્વીકારવી પડે છે , સહેવી પડે છે. મંગળ દ્વારા અપાતી મુશ્કેલીઓનો સામનો કરીને તેના પર વિજય મેળવી શકાતો હોય છે. જ્યારે શનિ દ્વારા અપાતાં દુ:ખ , કષ્ટ , મુશ્કેલીઓ પર ક્યારેય વિજય મેળવી શકાતો નથી કે તેમાંથી ઊભરી શકાતું નથી. બહુ બહુ તો એને સંભાળીને , સહીને , સ્વીકાર કરીને જીવી શકાય છે. શનિ એ મૃત્યુનો કારક ગ્રહ છે. શું મૃત્યુ પર ક્યારેય વિજય મેળવી શકાયો છે ? આ દુનિયામાં જન્મ લેનાર દરેકનું મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ હા , સારી આદતોને અપનાવીને તેમજ આરોગ્યની યોગ્ય કાળજી રાખીને જેટલું પણ આયુષ્ય હોય તે સ્વસ્થ રહીને