પોસ્ટ્સ

ઑગસ્ટ, 2010 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરની રચના

છબી
રસોઈઘર ઘરની એ જગ્યા છે કે જ્યાં ભોજન તૈયાર થાય છે. ભોજનનો સીધો સંબંધ આપણા આરોગ્ય અને તંદુરસ્તી સાથે છે. જેવું અન્ન તેવું મન! આથી અન્ન પકાવતી આ જગ્યા સકારાત્મક ઉર્જાથી ભરેલી હોવી જરૂરી છે. વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરને કઈ રીતે વધુ સકારાત્મક ઉર્જાવાન બનાવી શકાય તે જોઈએ. * રસોઈઘર માટે ઉચિત જગ્યા અગ્નિ કોણ(પૂર્વ-દક્ષિણ) છે. આ શક્ય ન હોય તો વાયવ્ય કોણમાં(ઉત્તર-પશ્ચિમ) પણ બનાવી શકાય. * રસોઈઘરનો દરવાજો ઉત્તર, પૂર્વ અથવા ઇશાન કોણમાં(પૂર્વ-ઉત્તર) યોગ્ય રહે છે. રસોઈઘરમાં પ્રવેશ કરતી વખતે દરવાજો ઘડિયાળના કાંટાની દિશામાં ખુલે તે રીતે હોવો જોઈએ. * મોટી બારીઓ પૂર્વ દિશામાં હોવી જોઈએ. જયારે નાની વધારાની બારીઓ દક્ષિણ દિશામાં રાખી શકાય. જેથી હવાની અવરજવર રહે. * પ્લેટફોર્મ પૂર્વની દીવાલે હોવું જોઈએ. જો L આકારમાં પ્લેટફોર્મ બનાવવું હોય તો પૂર્વ અને દક્ષિણ દિશાની દીવાલે બનાવી શકાય. * ગેસ સ્ટવને અગ્નિ કોણમાં રાખવો જોઈએ. રસોઈ કરતી વખતે રસોઈ કરનારનું મુખ પૂર્વ દિશા તરફ રહેવું જોઈએ. * ગેસ સ્ટવ રસોઈઘરની બહારથી દેખાય તે રીતે રાખવો ઉચિત નથી. * ગેસ સિલીન્ડરને અગ્નિ કોણમાં રાખી શકાય. ખાલી થયેલા ગેસ સિલીન્ડરને નૈઋ

વાસ્તુશાસ્ત્રને આધારે દીવાનખંડની રચના

છબી
દીવાનખંડ એ ઘરનો આયનો છે. ઘરમાં પ્રવેશતાની સાથે જ બાકીનું ઘર કેવું હશે તેનું ચિત્ર રજૂ કરી દે છે. આમ દીવાનખંડ એ ઘરની પ્રથમ છાપ ઉપસાવનારો ખંડ છે. આ જ ખંડ છે જ્યાં પરિવારના બધા સભ્યો ભેગા મળીને પોતાનો સમય વ્યતીત કરે છે. આ જ ખંડમાં મહેમાનોનું સ્વાગત કરાય છે. આથી જ દીવાનખંડ એ ઘરનો સૌથી મહત્વપૂર્ણ ખંડ બની રહે છે. જો આ ખંડમાં હકારાત્મક ઉર્જા પ્રવર્તતી હશે તો ઘરના સભ્યો આનંદ અને સુખ-સમૃદ્ધિનો અનુભવ કરશે. બહારથી આવનાર વ્યક્તિ પણ ઘરમાં પ્રવર્તી રહેલી હકારાત્મક ઉર્જાનો અનુભવ કરશે. વાસ્તુશાસ્ત્રને આધારે દીવાનખંડમાં કઈ રીતે હકારાત્મક ઉર્જા પેદા કરી શકાય તે જોઈએ. * દીવાનખંડ પૂર્વ, ઉત્તર કે ઇશાન કોણમાં(પૂર્વ-ઉત્તર) બનાવવો ઉચિત ગણાય છે. * દીવાનખંડની ફર્શનો ઢોળાવ પૂર્વ કે ઉત્તર દિશા તરફ હોવો જોઈએ. * દીવાનખંડની પૂર્વ કે ઉત્તર દિશા તરફ દરવાજો હોવો શુભ છે. બારીઓ પણ શક્ય હોય તેટલી પૂર્વ અને ઉત્તર દિશા તરફ હોવી જોઈએ. * દીવાનખંડમાં ફર્નીચર ચોરસ અથવા લંબચોરસ આકારનું હોવું જોઈએ. ગોળાકાર, અંડાકાર કે અન્ય અનિયમિત આકારનું ન હોવું જોઈએ. * ફર્નીચર દક્ષિણ અને પશ્ચિમ દિશાની દીવાલોએ ગોઠવવું જોઈએ. પૂર્વ અને ઉત્તર તરફ

શ્રાવણ માસ ૨૦૧૦

છબી
આવતીકાલે એટલે કે તા.૧૦.૮.૨૦૧૦ના સવારે ૮.૩૯ કલાકેથી હિંદુ ધર્મના પવિત્ર એવાં શ્રાવણ માસનો આરંભ થઇ રહ્યો છે. જે તા.૮.૯.૨૦૧૦ના રોજ પૂર્ણ થશે. ઓગસ્ટ ૧૦, ૨૦૧૦થી ઓગસ્ટ ૨૪, ૨૦૧૦ સુધી શ્રાવણ શુક્લ પક્ષ છે. જ્યારે ઓગસ્ટ ૨૫, ૨૦૧૦થી સપ્ટેમ્બર ૮, ૨૦૧૦ સુધી શ્રાવણ કૃષ્ણ પક્ષ છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવજીને રિઝવવાનો અનેરો અવસર. આ સંપૂર્ણ માસ શિવજીને સમર્પિત છે અને આ માસમાં શિવપૂજાનું મહત્વ વધી જાય છે. વ્રત-જપનો મહિનો ગણાતાં શ્રાવણમાં આવતા શુભ દિવસો અને તહેવારોની તારીખો નીચે મુજબ છે. શિવપૂજન આરંભ - ઓગસ્ટ ૧૧ ફૂલકાજળી વ્રત - ઓગસ્ટ ૧૨ રાંધણ છઠ - ઓગસ્ટ ૧૫ શ્રાવણ સોમવાર (પ્રથમ) - ઓગસ્ટ ૧૬ નાની સાતમ - ઓગસ્ટ ૧૬ મંગળાગૌરી વ્રત - ઓગસ્ટ ૧૭ પુત્રદા એકાદશી - ઓગસ્ટ ૨૦ પવિત્રા બારસ - ઓગસ્ટ ૨૧ શનિપ્રદોષ - ઓગસ્ટ ૨૧ શ્રાવણ સોમવાર (દ્વિતિય) - ઓગસ્ટ ૨૩ રક્ષા બંધન - ઓગસ્ટ ૨૪ બોળ ચોથ - ઓગસ્ટ ૨૮ શ્રાવણ સોમવાર (તૃતીય) - ઓગસ્ટ ૩૦ નાગ પંચમી - ઓગસ્ટ ૩૦ રાંધણ છઠ - ઓગસ્ટ ૩૧ શીતલા સપ્તમી - સપ્ટેમ્બર ૧ જન્માષ્ટમી - સપ્ટેમ્બર ૨ અજા એકદશી - સપ્ટેમ્બર ૪ શ્રાવણ સોમવાર (ચતુર્થ) - સપ્ટેમ્બર ૬ સોમપ્રદોષ - સપ્ટે