પોસ્ટ્સ

ઑક્ટોબર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કન્યા રાશિમાં શુક્ર અને પરિવર્તન યોગ

છબી
આજે 23 ઓક્ટોબર , 2020 ના રોજ સવારે 10.46 કલાકે શુક્ર મહારાજ સિંહ રાશિમાંથી નીકળીને પોતાની નીચ રાશિ કન્યામાં પ્રવેશ્યા છે. શુક્ર અહીં 17 નવેમ્બર , 2020 સુધી ભ્રમણ કરશે.   શુક્ર એ સમૃદ્ધિ અને વૈભવનો કારક ગ્રહ છે. નીચ રાશિમાં શુક્રનું ભ્રમણ આર્થિક બાબતો માટે પ્રતિકૂળ રહી શકે છે. પ્રેમ અને સંબંધોના કારક શુક્રનું નીચ રાશિ ભ્રમણ લગ્ન કે સગાઈ કરવાં માટે અથવા નવા સંબંધની શરૂઆત કરવાં માટે યોગ્ય ન કહી શકાય. આ સમય આપણાં વર્તમાન સંબંધો કઈ દિશામાં જઈ રહ્યા છે અને તેને કઈ રીતે મધુર બનાવી શકાય તેનું બૌદ્ધિક વિશ્લેષણ કરવાનો છે. જો કે સંબંધોમાં રહેલાં પ્રશ્નોનો ઉકેલ લાવવાનું કામ સરળ ન રહે. આ સમય નવું બેન્ક એકાઉન્ટ ખોલાવવાં માટે કે નવા વસ્ત્રો , આભૂષણો અથવા શૃગાંર પ્રસાધનોની ખરીદી માટે પણ શુભ ન કહી શકાય. કન્યા રાશિ કાળપુરુષની કુંડળીનું ષષ્ઠમસ્થાન છે. શુક્રનું કન્યા રાશિમાંથી ભ્રમણ આપણને આરોગ્ય પ્રત્યે વધુ સભાન બનાવી શકે છે. ખાન-પાનની આદતમાં સુધારો લાવી શકાય.   કન્યા રાશિમાં શુક્રના ભ્રમણ દરમિયાન તેનાં પર મીન રાશિમાં ભ્રમણ કરી રહેલાં વક્રી મંગળની અને વૃષભ રાશિમાં ભ્રમણ કરી રહેલાં રાહુની દ્રષ્ટિ પડશે.

તુલા રાશિમાં સૂર્યનો પ્રવેશ અને કોરોના મહામારી

છબી
  આજે 17 ઓક્ટોબર , 2020 ના રોજ પ્રાત:કાળ 07.06 કલાકે સૂર્ય મહારાજે તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે લગભગ એક માસ સુધી એટલે કે 16 નવેમ્બર , 2020 સુધી સૂર્ય મહારાજનો મુકામ તુલા રાશિમાં રહેશે. શુક્રનું  સ્વામીત્વ ધરાવતી તુલા રાશિમાં નવગ્રહોમાં રાજાનું બિરુદ ધરાવતાં સૂર્ય મહારાજ નીચત્વ ધારણ કરે છે.   કાળપુરુષની કુંડળીમાં તુલા રાશિ સપ્તમસ્થાનમાં પડે છે. સપ્તમસ્થાન એ પશ્ચિમ દિશા અને સૂર્યાસ્તનો નિર્દેશ કરે છે. આથી અહીં સૂર્ય નબળો પડે છે. વળી તુલા રાશિ એ સૂર્યના શત્રુ શનિની ઉચ્ચ રાશિ છે. સપ્તમસ્થાનમાં શનિ દિગ્બળ પ્રાપ્ત કરીને બળવાન બને છે. શત્રુ ગ્રહને બળવાન બનાવતી તેની ઉચ્ચ રાશિ સૂર્ય મહારાજની નીચ રાશિ બની જાય છે.   સૂર્ય એ જીવનદાતા છે. આપણને ચૈતન્ય પ્રદાન કરનાર ગ્રહ છે. જ્યોતિષમાં સૂર્યને આરોગ્યનો કારક ગ્રહ ગણવામાં આવ્યો છે. જેના થકી આ પૃથ્વી પર સૌ જીવનું અસ્તિત્વ છે તે સૂર્ય ગ્રહનો પોતાની નીચ રાશિમાં પ્રવેશ વૈશ્ચિક આરોગ્યની સુખાકારી માટે પ્રતિકૂળ ગણી શકાય. તેમાં વળી આ સૂર્ય પર મીન રાશિમાં ભ્રમણ કરી રહેલાં મંગળ અને મકર રાશિમાં ભ્રમણ કરી રહેલાં શનિની દ્રષ્ટી પડી રહી છે. જે સૂર્ય પરના દબા

શારદીય નવરાત્રિ 2020 ઘટસ્થાપન મુહૂર્ત

છબી
શનિવાર, 17 ઓક્ટોબર , 2020 થી શારદીય નવરાત્રિનો આરંભ થશે. સૂર્યોદય થયાનાં પહેલાં ચાર કલાકની અંદર ઘટસ્થાપન કરવું શુભ રહે છે. આ ઉપરાંત બપોરે અભિજીત મુહૂર્તમાં પણ ઘટસ્થાપન કરી શકાય છે. શાસ્ત્રો અનુસાર શક્ય હોય ત્યાં સુધી ચિત્રા નક્ષત્ર અને વૈધૃતિ યોગનો સમયકાળ ઘટસ્થાપન દરમિયાન ટાળવો જોઈએ. જો કે એ બાબતે નિષેધ ફરમાવવામાં આવ્યો નથી. આ વર્ષે નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે પ્રતિપદા તિથિના આરંભે સવારે 11.52 કલાક સુધી ચિત્રા નક્ષત્ર પ્રવર્તે છે. જો કે સદભાગ્યે અભિજીત મુહૂર્તકાળ દરમિયાન ચિત્રા નક્ષત્રની સમાપ્તિ થઈ જાય છે. જેને લીધે ચિત્રા નક્ષત્રનો સમયગાળો ટાળવો શક્ય બન્યો છે. આ બાબતને ધ્યાનમાં લઈને શ્રેષ્ઠ અને શુદ્ધ એવું અભિજીત મુહૂર્ત ઘટસ્થાપન માટે આપેલ છે.   ચોઘડિયાં અનુસાર મુહૂર્ત આપેલ છે. પરંતુ ચોઘડિયાં અનુસાર ઘટસ્થાપન કરવા અંગે શાસ્ત્રો સલાહ આપતાં નથી. આ ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી બપોર બાદ ઘટસ્થાપન કરવાનું પણ ટાળવું જોઈએ.   પ્રતિપદા તિથિ આરંભ: 01.00 AM, ઓક્ટોબર 17 , 2020 પ્રતિપદા તિથિ અંત: 09.08 PM, ઓક્ટોબર 17 , 2020  ચિત્રા નક્ષત્ર આરંભ: 02.58 PM, ઓક્ટોબર 16, 2020 ચિત્રા નક્ષત્ર અં

તુલામાં વક્રી બુધ (14.10.2020 થી 03.11.2020)

આજે 14 ઓક્ટોબર , 2020 ના રોજ સવારે 06.35 કલાકે બુધ મહારાજ તુલા રાશિમાં 17 અંશે વક્રી બન્યાં છે. 3 નવેમ્બર , 2020 સુધી વક્રી રહ્યાં બાદ તુલાના 1 અંશે ફરી માર્ગી બનશે. બુધ એક વર્ષમાં 3 થી 4 વખત આશરે 24 દિવસ માટે વક્રી બને છે. બુધ વાણી , અભિવ્યક્તિ , વાતચીત , સંવાદ , વિચારોના અને માહિતીના આદાન-પ્રદાન , ચર્ચા વિચારણા , લેખન , વાંચન , પ્રકાશન , મુસાફરીઓ , વેપાર-વાણિજ્ય વગેરેનો કારક ગ્રહ છે. જ્યારે પણ વક્રી થાય છે ત્યારે આ સર્વે બાબતોને અવળી અસર પહોંચે છે.   તુલા રાશિ કાળપુરુષ કુંડળીનું સપ્તમસ્થાન છે , જે વિવાહ અને સંબંધોનો નિર્દેશ કરે છે. તુલા રાશિમાં વક્રી બનેલો બુધ જીવનસાથી , પ્રિયજન કે વ્યાપારિક ભાગીદાર સાથે ગેરસમજ કરાવી શકે છે. સાથી સાથેના સંવાદ અને તાલમેલમાં અભાવ જોવા મળી શકે. શબ્દોનું ખોટું અર્થઘટન થઈ શકે. અતીતમાં થયેલાં અને હ્રદયના એક ખૂણામાં ધરબાવી રાખેલાં મનદુ:ખ કે મતભેદો ફરી સપાટી પર ઊભરી શકે. આ સમય ધીરજ રાખવાનો અને સાથીની વાતોને ધ્યાનપૂર્વક સાંભળવાનો પ્રયત્ન કરવાનો રહે.   તુલા રાશિનો સ્વામી ગ્રહ શુક્ર શાંતિ અને સંવાદિતાનો કારક ગ્રહ છે. જ્યારે બુધ તુલામાં માર્ગી હોય ત્યારે બા

મંગળનો વક્રી થઈને મીનમાં પ્રવેશ (04.10.2020 થી 14.11.2020)

મંગળ મહારાજ લગભગ દર બે વર્ષે વક્રી બને છે. વર્ષ 2020માં 10 સપ્ટેમ્બર , 2020 ના રોજ મંગળ મેષ રાશિમાં વક્રી બન્યો હતો. આજે 4 ઓક્ટોબર , 2020 ના રોજ વક્રી ભ્રમણ કરતાં મંગળે મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. 14 નવેમ્બર , 2020 સુધી મંગળ મીન રાશિમાં વક્રી ભ્રમણ કરશે અને ત્યારબાદ મીન રાશિના 21 અંશે માર્ગી બનીને ફરી 24 ડીસેમ્બર , 2020 ના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરી જશે.    બાર રાશિઓનાં બનેલાં રાશિચક્રમાં અગ્નિ અને જળ રાશિઓ વચ્ચેના સંધિસ્થળને ગંડાંત તરીકે ઓળખવામાં આવે છે. મેષ અગ્નિતત્વ ધરાવતી રાશિ છે. જ્યારે મીન જળતત્વ ધરાવનારી રાશિ છે. અગ્નિ અને જળના આ ગંડાંત ક્ષેત્રમાંથી મંગળનું એક કરતાં વધુ વખત ભ્રમણ કુદરતી આફતો જેવી કે વાવાઝોડું , પૂર , સુનામી , આગજની , ભૂકંપ તેમજ હિંસાત્મક ઘટનાઓ વગેરે ઘટાવી શકે છે. (ગંડાંત વિશે વધુ જાણકારી મેળવવાં માટે વાંચો ‘ ગંડાંતના ગુરુની ગડમથલ ’) વ્યક્તિગત દ્રષ્ટિએ જોતાં મીન જળરાશિ છે અને મંગળ અકસ્માત , ઈજાઓનો કારક ગ્રહ છે. મીન રાશિમાં મંગળના વક્રી ભ્રમણ દરમિયાન અજાણ્યાં પાણીથી દૂર રહેવું હિતાવહ રહે.   મંગળ એ જોશ , ઉર્જા , સાહસ , આવેગ , ક્રોધ અને હિંસાનો કારક ગ્રહ છે. જ્