પોસ્ટ્સ

ઑગસ્ટ, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કેતુ અને શ્રી ગણેશજી

છબી
VedSutra, CC BY-SA 4.0 , via Wikimedia Commons શ્રી ગણેશજી ને જ્યોતિષમાં કેતુ ગ્રહના દેવતા માનવામાં આવે છે. કેતુ એક રહસ્યમય છાયા ગ્રહ છે જે મસ્તકવિહીન છે. કેતુ ફક્ત ધડ ધરાવે છે , મસ્તક નહિ. ગણેશજી પણ મસ્તકવિહીન છે. હાથીનું મસ્તક એ તેમનું પોતાનું મસ્તક નથી. હાથીનું મસ્તક એ તો શાણપણનું પ્રતીક છે. સર્વે પ્રાણીઓમાં હાથી એ સૌથી વધુ શાણપણ અને સમજદારી ધરાવતું પ્રાણી છે. મસ્તક નથી એટલે વિચાર નથી. મસ્તક નથી એટલે અહમ નથી. અહમ અને વિચારો મસ્તકમાં ઉદ્ભવે છે. આથી જ જ્યારે આપણે શ્રી ગણેશજીના મંદિરમાં જઈએ છીએ ત્યારે પરમ શાંતિનો અનુભવ કરીએ છીએ. વિચારશૂન્ય હોઈએ ત્યારે જ ધ્યાન લાગી શકે. અહમનો નાશ થાય ત્યારે જ ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે. કેતુ એ આપણાં જીવનમાં વિઘ્નો પેદા કરનાર ગ્રહ છે. જ્યારે ગણેશજી એ વિઘ્નહર્તા છે. કેતુએ પેદા કરેલાં વિઘ્નોને હરી લે છે! કેતુ આપણાં જીવનમાં એવાં કોઈ વિઘ્નો પેદા કરતો નથી કે જેની ગણેશજી દ્વારા આધ્યાત્મિક મંજૂરી મળી ન હોય અને ગણેશજી ત્યાં સુધી એવાં કોઈ વિઘ્નો દૂર કરતાં નથી કે જ્યાં સુધી કેતુ મહારાજ મંજૂરી ન આપે! કેતુ અને શ્રી ગણેશજી બંને કદમ સાથે કદમ મિલાવીને કામ કરે છે. કેતુ

બુધના કન્યા ભ્રમણનું બાર રાશિઓ પરત્વે ફળ – ઓગસ્ટ 2022

છબી
Pixabay નવગ્રહોમાં યુવરાજ એવાં બુધ મહારાજ ઓગસ્ટ ૨૧ , ૨૦૨૨ના રોજ રાત્રિના ૦૨.૦૬ કલાકે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. અહીં બુધ ઓક્ટોબર ૨૬ , ૨૦૨૨ સુધી ગોચર ભ્રમણ કરશે. સામાન્ય રીતે એક રાશિમાં એક માસ જેટલો રહેતો બુધ આ વખતે કન્યા રાશિમાં વક્રી-માર્ગી થઈને આશરે બે માસ જેટલાં સમય સુધી રહેશે. આથી આ ભ્રમણ અતિ મહત્વનું બને છે. આ ભ્રમણ દરમિયાન બુધ પર હાલ મીન રાશિમાં ગોચર ભ્રમણ કરી રહેલાં ગુરુની દ્રષ્ટિ પડશે. કન્યા રાશિ એ બુધની સ્વરાશિ તેમજ ઉચ્ચ રાશિ છે અને તેથી આ ભ્રમણ દરમિયાન બુધ બળવાન બનીને પોતાનું સંપૂર્ણ ફળ આપવાં માટે સક્ષમ બને છે. મીન રાશિ એ ગુરુની સ્વરાશિ છે અને તેથી મીન રાશિમાં રહેલાં ગુરુની બુધ પરની દ્રષ્ટિ બુધના સકારાત્મક ફળમાં વૃદ્ધિ કરનાર બની રહેશે. બુધ એ બૌદ્ધિક ગ્રહ છે. ગુરુની મદદથી બુધ સંવાદ , વાતચીત , માહિતીનું આદાન-પ્રદાન , અભ્યાસ , વિશ્લેષણ કરવાની આવડત વગેરેમાં સુધારો કરશે. આ કન્યા રાશિમાં ભ્રમણ દરમિયાન સપ્ટેમ્બર ૧૦ , ૨૦૨૨થી ઓક્ટોબર ૨ , ૨૦૨૨ સુધી બુધ ગ્રહ વક્રી બનશે. વક્રી બુધનો આ સમય અગાઉ કરી ચૂકેલાં કાર્યો પર ફરી એક નજર નાખી લેવાનો રહેશે. સુધારા-વધારા કરી કાર્યોને વધુ સફળ બનાવવાન

જન્મભૂમિ પંચાંગ વિ.સં 2079, નવેમ્બર 2022થી માર્ચ 2024)

છબી
નમસ્તે મિત્રો, જન્મભૂમિ પંચાંગ વિ.સં ૨૦૭૯ ( નવેમ્બર ૨૦૨૨થી માર્ચ ૨૦૨૪) માં આપ મારો ‘ દશા લગ્નનું મહત્વ ’ નામક લેખ વાંચી શકશો. આ લેખમાં દશાનાથના ભાવને લગ્ન બનાવીને બનતાં દશા લગ્નની ફળાદેશમાં ઉપયોગિતા વિશે ચર્ચા કરવામાં આવી છે. ફળાદેશ કરતી વખતે જન્મલગ્ન , ચંદ્રલગ્ન અને સૂર્યલગ્ન જેટલું જ મહત્વ ધરાવતાં દશા લગ્નથી ફળાદેશમાં કઈ રીતે ગહનતા અને ચોકસાઈ આવી શકે છે તેની ઉદાહરણ કુંડળીઓ આપીને ચર્ચા કરી છે. આભાર 

સંદેશ પ્રત્યક્ષ પંચાંગ વિ.સં 2079, ઈ.સ 2022-2023

છબી
નમસ્તે મિત્રો , સંદેશ પંચાંગ વિ.સં ૨૦૭૯ , ઈ.સ.૨૦૨૨-૨૦૨૩માં આપ મારો ‘ વિપરીત રાજયોગ : સંઘર્ષ બાદ સફળતા ’ લેખ વાંચી શકશો. જન્મકુંડળીમાં ૬ , ૮ અને ૧૨ ભાવો નકારાત્મક ગણાય છે. નકારાત્મક બાબતોનો નિર્દેશ કરતાં આ ભાવોના અધિપતિઓ પણ વિપરીત રાજયોગની રચના કરી શકે છે તેમજ સુખ-સમૃદ્ધિ પ્રદાન કરી શકે છે. ઘણીવાર વિપરીત રાજયોગ વગર પરિશ્રમે (ઉ.દા. લોટરી , સટ્ટા , જુગાર , દટાયેલું ગુપ્ત ધન , વસીયત વગેરે દ્વારા) અન્ય રાજયોગ કરતાં પણ વધુ ધન-સમૃદ્ધિ તેમજ યશ પ્રદાન કરનાર હોય છે. પ્રસ્તુત લેખમાં વિપરીત રાજયોગ વિશે વિગતે જાણકારી મેળવી શકશો. આભાર 

રક્ષાબંધન 2022 શુભ મુહૂર્ત

છબી
Pixabay પંચાંગ અનુસાર વર્ષ ૨૦૨૨માં શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ ઓગસ્ટ ૧૧ , ૨૦૨૨ના રોજ ગુરુવારના દિવસે સવારે ૧૦.૩૮ કલાકે પ્રારંભ થવા જઈ રહી છે. આ તિથિ ઓગસ્ટ ૧૨ , ૨૦૨૨ , શુક્રવારના રોજ સવારે ૦૭.૦૫ કલાક સુધી રહેશે. આ વર્ષે રક્ષાબંધન ઓગસ્ટ ૧૧ , ૨૦૨૨ના દિવસે મનાવવામાં આવશે. રક્ષાબંધન દરમિયાન ભદ્રાનો સમય રક્ષાબંધનમાં ભદ્રા રહિત મુહૂર્તને પ્રાથમિકતા આપવામાં આવે છે. શ્રાવણ પૂર્ણિમાએ ભદ્રા રહિત મુહૂર્તમાં જ રક્ષાબંધન મનાવવામાં આવે છે. આ દિવસે ભદ્રાનો સમય નીચે મુજબ છે. ભદ્રાનો સમય: સવારે ૧૦.૩૮ થી રાત્રિ ૦૮.૫૧ સુધી – અશુભ કાળ ભદ્રા મૂળભૂત રીતે શુભ મુહૂર્તમાં અતિ દૂષિત કાળ તરીકે ગણવામાં આવી છે. ભદ્રાના પરિહારના અમુક નિયમો શાસ્ત્રોમાં આપવામાં આવ્યાં છે. આ પરિહારના નિયમો અત્યંત આવશ્યકતા હોય કે અનિવાર્ય પરિસ્થિતિ હોય ત્યારે જ ઉપયોગમાં લેવાં જોઈએ. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સમગ્ર ભદ્રાકાળનો સમય ત્યાગવો યોગ્ય ગણાય છે. આ વર્ષે પણ શક્ય હોય તો રક્ષાબંધન રાત્રિના ૦૮.૫૧ કલાકે ભદ્રા સમાપ્ત થાય ત્યાર બાદ મનાવવું શુભ રહેશે. અનિવાર્ય સ્થિતિમાં નીચે આપેલ પરિહારના નિયમો અનુસરી શકાય છે. ભદ

ઓગસ્ટ 2022 - ગોચર ગ્રહોનું ફળ

છબી
Shrinathji Temple, CC BY-SA 4.0 , via Wikimedia Commons સૂર્યનો સિંહ રાશિમાં પ્રવેશ  17 ઓગસ્ટ , 2022 ના રોજ સવારે 07.24 કલાકે સૂર્ય મહારાજે પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કર્યો છે. અહીં સૂર્ય એક માસ સુધી એટલે કે આગામી 17 સપ્ટેમ્બર સુધી ગોચર ભ્રમણ કરશે. આ સમય હવે જિંદગીનાં રંગમંચ પર કેન્દ્રમાં રહીને મુખ્ય પાત્રની ભૂમિકા ભજવવાનો છે. આસપાસના લોકોની પરવા કર્યા વિના સ્વની ઈચ્છાઓ , સપનાઓ અને મહાત્વાકાંક્ષાઓને માન આપવાનો છે. પોતાની જાતને પ્રેમ કરવાનો અને આત્મવિશ્વાસનો અનુભવ કરવાનો છે. ટોળામાંના એક બનીને નહીં રહેતાં કશુંક નોખું-અનોખું કરવાનો છે. નવું સર્જન કે નવી શરૂઆત કરવાનો છે. શું આજ સુધી તમે જીવનમાં જે કર્યું કે કરી રહ્યાં છો તેનાંથી તમે સંતુષ્ટ છો ? જો જવાબ ના હોય તો આ સમય હવે એને બદલવાનો છે. સિંહ રાશિમાં સૂર્યનાં પ્રવેશ સાથે જ છેલ્લાં એક મહિનાથી સૂર્ય-શનિની પ્રતિયુતિને લીધે હેરાનગતિ અનુભવતાં જાતકો હવે રાહતનો અનુભવ કરી શકશે. આ સાથે જ હવે સિંહ રાશિમાં સૂર્ય પર વૃષભ રાશિમાં રહેલાં મંગળની અને મેષ રાશિમાં રહેલાં રાહુની દ્રષ્ટિ પડશે. મંગળ અને રાહુની દ્રષ્ટિ સૂર્યના સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ કર