પોસ્ટ્સ

જુલાઈ, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જન્મભૂમિ પંચાંગ વિ.સં 2076 (નવેમ્બર 2019થી માર્ચ 2021 સુધી)

છબી
જન્મભૂમિ પંચાંગ વિ.સં 2076 (નવેમ્બર 2019થી માર્ચ 2021 સુધી) માં પ્રસિદ્ધ થયેલ લેખ 'દ્વાદશાંશ કુંડળી અને રાજયોગ'.

શિવ અને શનિ

છબી
સૂર્યપુત્રો દીર્ઘદેહો વિશાલાક્ષ: શિવપ્રિય: । મંદચાર: પ્રસન્નાત્મા પી ડાં હરતુ મે શનિ: ॥ આ મંત્ર(સ્તોત્ર)માં શનિને શિવપ્રિય કહેવામાં આવ્યાં છે. ભગવાન શિવ શનિના આરાધ્ય છે , તો શિવજી ને પણ શનિદેવ અત્યંત પ્રિય છે. કહેવાય છે કે ઉપાસકમાં ઉપાસ્યના ગુણ આવી જાય છે. શિવ મૃત્યુના દેવતા છે અને ત્રિદેવમાં તેમને સંહારક માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ મૃત્યુનો કારક ગ્રહ છે અને પાપીઓ માટે હંમેશા સંહારક છે. શનિદેવ પોતાની બાળપણ અવસ્થામાં ઘણાં ક્રોધી હતા. સૂર્યના પુત્ર હોવાને લીધે તેજ અને શક્તિથી ભરપૂર હતા. દરેક બાબતને ઊંડાણપૂર્વક જાણવી અને હઠ કરવી એ તેમનો સ્વભાવ હતો. ભાઈ-બહેનો સાથે ઝઘડાં કરતાં અને હઠ કરીને બધાંને દુ:ખ પહોંચાડતા. સૂર્યદેવે જ્યારે જોયું કે શનિની હેરાનગતિ દિવસે-દિવસે વધી રહી છે ત્યારે તેઓ તેને લઈને ભગવાન શિવ પાસે ગયા. ભગવાન શિવે પૂરી સમસ્યા સાંભળી અને સમજીને સૂર્યદેવને કહ્યું કે આપ ચિંતા નહિ કરો. હું શનિને એવું કાર્ય સોંપુ છું જે સૌથી કઠિન અને જવાબદારી ધરાવતું છે. ત્યારબાદ ભગવાન શિવે શનિદેવને કહ્યું કે આજથી આપ સૃષ્ટિમાં થનાર ન્યાય અને અન્યાયનું કાર્ય સંભાળશો અન

રાશિઓના તત્વના આધારે પરસ્પર મૈત્રી અને ગુણ-દોષ

છબી
સમગ્ર સૃષ્ટિનું નિર્માણ પંચતત્વોથી થયેલું છે. આ પાંચ તત્વો અગ્નિ , પૃથ્વી , વાયુ , જળ અને આકાશ છે. વૈદિક જ્યોતિષમાં પંચતત્વો મુજબ બાર રાશિઓને ત્રણ-ત્રણ રાશિના બનેલા એવાં ચાર સમૂહમાં વિભાજીત કરવામાં આવી છે. 1. અગ્નિતત્વ: મેષ , સિંહ , ધનુ 2. પૃથ્વીતત્વ: વૃષભ , કન્યા , મકર 3. વાયુતત્વ: મિથુન , તુલા , કુંભ 4. જળતત્વ: કર્ક , વૃશ્ચિક , મીન આકાશતત્વ સર્વવ્યાપી છે અને દરેક રાશિમાં સમાયેલું છે. આ પંચતત્વોથી માનવ શરીરનું નિર્માણ થયું છે અને આ પંચતત્વો જ માનવ સ્વભાવની પ્રકૃતિ નક્કી કરે છે. રાશિઓ સાથે જોડાયેલાં તત્વ વિલક્ષણ વ્યક્તિત્વ , ગુણ-દોષ , ભાવનાઓ અને વ્યવહારનો નિર્દેશ કરે છે. જ્યોતિષનો હેતુ વ્યક્તિત્વમાં રહેલાં સકારાત્મક ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નકારાત્મક ગુણોને ઓળખીને તેને દૂર કરવાનો છે. તત્વોના આધારે રાશિઓની પરસ્પર મિત્રતા અને શત્રુતા પત્યેક રાશિના તત્વના આધારે બારેય રાશિઓમાં પરસ્પર મિત્રતા અને શત્રુતાનો વિચાર કરવામાં આવે છે. સમાન શીલે વ્યસનેષુ સખ્યમ અર્થાત જેમનાં શીલ અથવા વ્યસન સરખાં છે તેમની વચ્ચે મિત્રતા થાય છે. આ સૂત્ર અનુસાર સમાન તત્વ ધરાવતી રાશિ

સંદેશ પંચાંગ વિ.સં 2076-77 (ઈ.સ. 2019-20-21)

છબી
સંદેશ પંચાંગ વિ.સં 2076-77, ઈ.સ. 2019-20-21 માં પ્રસિદ્ધ થયેલ લેખ ' અમાત્યકારક ગ્રહ : કર્મનો સૂત્રધાર'

નાભસ યોગો

યોગ એટલે કે જોડાવું કે જોડાણ. યોગ ચાર પરિસ્થિતિઓમાં ઉદ્ભવે છે. ૧. ગ્રહોનો પરસ્પર સંબંધ થવાથી ૨. ગ્રહ અને ભાવનો સંબંધ થવાથી   ૩. ગ્રહ અને રાશિનો સંબંધ થવાથી   ૪. ગ્રહ , ભાવ અને રાશિનો સંબંધ થવાથી નાભસ યોગ લગભગ બધાં જ જ્યોતિષ જાતક ગ્રંથોમાં નાભસ યોગનો ઉલ્લેખ કરાયો છે. સામાન્ય અને બિનઅનુભવી જ્યોતિષી નાભસ યોગને ચકાસવાનું ચૂકી જાય છે. હકીકતમાં જન્મકુંડળી જોવાની શરૂઆત કરતાં સૌ પ્રથમ નાભસ યોગને ધ્યાનમાં લેવાં જોઈએ. નાભસ યોગ જાતકની જિંદગી , પ્રકૃતિ અને વલણ વિશેની માહિતી આપે છે. નાભસ નામ નભ એટલે કે આકાશ પરથી પડ્યું છે. આકાશમાં ગ્રહોની સ્થિતિ અને ગોઠવણીને આધારે રચાતા યોગો એટલે કે નાભસ અથવા તો નભસ યોગો! આ યોગોમાં ગ્રહોની રાશિ , ભાવાધિપત્ય કે યુતિ-દ્રષ્ટિ સંબંધનું મહત્વ નથી. નાભસ યોગની રચનામાં જન્મલગ્નનું પણ મહત્વ રહેલું નથી. આથી બની શકે કે અમુક સમયના અંતરે કે એક જ દિવસે જન્મેલાં જાતકોની કુંડળીમાં એકસરખાં નાભસ યોગ રચાયેલાં હોય. આ યોગોનું ફળ દશા કે અંતર્દશા પર આધારિત નથી. એટલે કે નાભસ યોગનો ઉપયોગ જીવનમાં ઘટતી ઘટનાનો સમય જાણવાં માટે થતો નથી. આ યોગો જીવનભર ફળ આપવા શક્તિમાન રહે છે.