પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

મકર રાશિમાં શનિ માર્ગી (29.09.2020)

જ્યોતિષની દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનામાં ત્રણ મહત્વની ઘટનાઓ ઘટી છે. એક તો 13 સપ્ટેમ્બરના રોજ ગુરુ મહારાજ ધનુ રાશિમાં માર્ગી બન્યા. ત્યારબાદ 23 સપ્ટેમ્બરના રોજ રાહુ-કેતુ રાશિ પરિવર્તન કરીને વૃષભ-વૃશ્ચિકમાં પ્રવેશ્યાં. ત્રીજી મહત્વની ઘટના આજે 29 સપ્ટેમ્બર , 2020 ના રોજ સવારે 10.43 કલાકે ઘટી કે જ્યારે શનિ મહારાજ મકર રાશિમાં માર્ગી થયાં. આ એક સકારાત્મક સમયની શરૂઆત કહી શકાય. હાલ ગુરુ અને શનિ બંને પોતાની સ્વરાશિઓ અનુક્રમે ધનુ અને મકરમાં રાહુ-કેતુના પાપ પ્રભાવથી મુક્ત થઈને માર્ગી ભ્રમણ કરી રહ્યાં છે. વળી રાહુ-કેતુ પણ પોતાની ઉચ્ચ રાશિઓ વૃષભ-વૃશ્ચિકમાં ભ્રમણ કરી રહ્યાં છે. ધીમી ગતિના ગ્રહોનું સ્વ/ઉચ્ચ રાશિ ભ્રમણ ધીમી પરંતુ મક્કમ ગતિએ પરિસ્થિતિમાં સુધાર અને સકારાત્મકતા લાવશે. કાચબાભાઈ ધીમે-ધીમે અને ઠચૂક-ઠચૂક ચાલીને પણ હરીફાઈ જીતશે જ એ વિશ્વાસ રાખજો! આ સમય એક તક છે કે જ્યારે આપણે આપણાં સપનાની ઈમારત માટે મજબૂત પાયો ચણવાની શરૂઆત કરી શકીએ છીએ.   મે 2020થી વક્રી બનેલો શનિ આજે સ્વરાશિ મકરમાં 1 અંશે માર્ગી બન્યો છે. પોતના ભાવ મકરથી મીન , કર્ક અને તુલા રાશિ પર દ્રષ્ટિ કરી રહ્યો છે. શનિ એ આપણે ભૂતકાળમાં ક

સિંહ રાશિમાં શુક્ર (28.09.2020થી 23.10.2020)

વૃષભ અને તુલા રાશિના સ્વામી શુક્ર મહારાજે આજે 28 સપ્ટેમ્બર , 2020 ના રોજ રાત્રિના 01.04 કલાકે સૂર્યનું સ્વામીત્વ ધરાવતી સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં ગુરુની દ્રષ્ટિમાં રહેલો શુક્ર 23 ઓક્ટોબર , 2020 સુધી ગોચર ભ્રમણ કરશે. શુક્રના આ ગોચર ભ્રમણનું બારેય રાશિ/લગ્નને નીચે મુજબ ફળ પ્રાપ્ત થવાની સંભાવના રહેશે.   મેષ: પ્રણય , સગાઈ , લગ્ન થવા માટે શુભ સમય , ધનલાભ થવાની શક્યતા.   વૃષભ: ઘરની સુંદરતા અને સુખ-સગવડના સાધનોમાં વૃદ્ધિ , માતાનું સુખ મળે.   મિથુન: પર્યટન , યાત્રા- પ્રવાસ માટે સુખદ સમય , અભિવ્યક્તિની સુંદરતા , કળામાં વધારો.   કર્ક: ધનલાભ , સ્થાવર સંપતિને લીધે આર્થિક લાભ , કુટુંબીજનો સાથે સુખદ સમય .     સિંહ: સુંદર વસ્ત્રો , આભૂષણો ખરીદવાં-ધારણ કરવા શક્ય , દેહની સુંદરતામાં વધારો , લગ્નજીવન માટે સુખદ.   કન્યા: ભોગ-વિલાસના સાધનો પાછળ ધન ખર્ચ , શરીર સૌષ્ઠવમાં વૃદ્ધિ , દેહ પુષ્ટ બને , વિદેશયાત્રા સંભવ.   તુલા: આર્થિક લાભ થવાની સંભાવના , નવા મિત્રો બને , મિત્રો અને સંબંધીઓ સાથે સુખદ સમય.     વૃશ્ચિક: નોકરી-વ્યવસાયમાં વિઘ્ન , વ્યવસાય બાબતે વિદેશ સાથે જોડાણ-કરાર , પ્

તુલા રાશિમાં બુધ (22.09.2020થી 28.11.2020 સુધી)

22 સપ્ટેમ્બર , 2020 ના રોજ ગ્રહોમાં યુવરાજ એવાં બુધ મહારાજ પોતાનાં પરમ મિત્ર શુક્રની રાશિ તુલામાં પ્રવેશ્યાં છે. મિત્રની રાશિમાં બુધ સહજતાનો અનુભવ કરે છે અને પોતાના કારક ગુણોનું પરિણામ આપવાં ઉત્સુક હોય છે. બુધનું આ ભ્રમણ નવા સામાજીક સંપર્કો સ્થાપવા માટે , સર્જનાત્મક કે કળાને લગતાં કાર્યો કે પ્રોજેક્ટ પર કામ કરવાં માટે , કોઈ કિંમતી કલાકૃતિની ખરીદી કરવા માટે , કળા કે શોખને લગતી ચર્ચાઓ કરવાં માટે તેમજ વ્યાપારી કરારો કરવાં માટે અનુકૂળ રહે. તુલા રાશિમાં બુધ 28 નવેમ્બર , 2020 સુધી એટલે કે લગભગ બે મહિના સુધી ભ્રમણ કરશે. સામાન્ય રીતે બુધ એક રાશિમાં આશરે એક માસ સુધી રહે છે. તુલા રાશિમાં લાંબા ભ્રમણનું કારણ બુધની વક્રી થવાની ઘટના છે. 14 ઓક્ટોબર , 2020 થી 3 નવેમ્બર , 2020 સુધી બુધ વક્રી બનશે. નવ ગ્રહોમાં બુધ એક મેસેન્જરની ભૂમિકામાં છે. જ્યારે વક્રી બને છે ત્યારે આપણાં સંદેશાઓ અટવાઈ જાય છે , સંદેશાઓ ક્યાં તો પહોંચતા નથી અથવા પહોંચે છે તો ગેરસમજ પેદા કરાવે છે , જવાબ મળવામાં વિલંબ થાય છે .  મુલાકાતો પાછી ઠેલાય છે , મુસાફરીમાં વિલંબ થાય છે અથવા મુસાફરીનું આયોજન રદ કરવું પડે છે. આથી બુધના વક્રી ભ્ર

રાહુનો વૃષભ અને કેતુનો વૃશ્ચિક પ્રવેશ ૨૦૨૦ - રાશિફળ

છબી
આજે 23 સપ્ટેમ્બર, 2020ના રોજ રાહુ વૃષભ રાશિમાં અને કેતુ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. કેવું રહેશે રાહુ-કેતુનું વૃષભ-વૃશ્ચિક ગોચર ભ્રમણ? બાર જન્મરાશિઓ/જન્મલગ્નોનું ફળ જાણવા માટે જુઓ: 

કન્યા રાશિમાં સૂર્ય (16.09.2020થી 17.10.2020 સુધી)

આજે 16 સપ્ટેમ્બર , 2020 ના રોજ 19.09 કલાકે સૂર્ય મહારાજ કન્યા રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. અહીં સૂર્ય એક મહિના સુધી એટલે કે 17 ઓક્ટોબર , 2020 સુધી ભ્રમણ કરશે. આ દરમિયાન હાલ કન્યા રાશિમાં ભ્રમણ કરી રહેલાં બુધ સાથે યુતિમાં આવીને 22 સપ્ટેમ્બર સુધી બુધાદિત્ય યોગની રચના કરશે. કન્યા રાશિ બુદ્ધિના કારક એવાં બુધનું સ્વામીત્વ ધરાવતી રાશિ છે. કાળપુરુષની કુંડળીમાં રોગ , શત્રુ , નોકરી , સેવા વગેરે બાબતોનો નિર્દેશ કરતાં ષષ્ઠમસ્થાનમાં પડે છે. આ સમય હવે કામ કરવાનો અને કર્મયોગની આરાધના કરવાનો કહી શકાય. નોકરીમાં ધ્યાન એકાગ્ર કરી શકાય. નિ:સ્વાર્થભાવે જરૂરીયાત ધરાવતી વ્યક્તિઓની આર્થિક રીતે નહિ , પરંતુ પોતાના કર્મ વડે સેવા કરી શકાય. જીવનમાં અને કામમાં ઝીણી-ઝીણી બાબતો પર ધ્યાન આપી શકાય. દિનચર્યાને વધુ શિસ્તબદ્ધ બનાવી શકાય. કાળપુરુષના રોગસ્થાનમાંથી સૂર્યનું ભ્રમણ આરોગ્ય પ્રત્યે સભાન બનાવી શકે છે. યોગ-ધ્યાન-કસરત-સમતોલ આહારની આદતો કેળવી શકાય. શત્રુઓ કે હરીફોની ચાલનું નિરિક્ષણ કરીને ઝીણવટપૂર્વક સમજી શકાય.   કન્યા રાશિ પૃથ્વીતત્વ ધરાવતી રાશિ છે. જ્યોતિષમાં જળરાશિઓ લાગણીઓ અને સંવેદનાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

ગુરુ માર્ગી (13.09.2020) : દૈવીય આશીર્વાદની પ્રાપ્તિ

મે મહિનાથી વક્રી ભ્રમણ કરી રહેલાં ગુરુ મહારાજ 13 સપ્ટેમ્બર , 2020 ના રોજ ધનુ રાશિમાં માર્ગી થયાં છે. આ એક શુભ અને દૈવીય આશીર્વાદની પ્રાપ્તિ થાય તેવાં સમયની શરૂઆત કહી શકાય. જ્યારે પણ કોઈ ગ્રહ વક્રી થાય છે ત્યારે તેના ફળને લગતી બાબતો વિલંબમાં પડે છે. નવેય ગ્રહોમાં ગુરુ સૌથી શુભ ગ્રહ છે અને આવો શુભ ગ્રહ વક્રી હોવાથી તેના ફળમાં આવી રહેલો વિલંબ હવે દૂર થશે. તેમાં પણ ધનુ રાશિ તો વળી ગુરુની પોતાની રાશિ છે અને અહીં ગુરુ સંપૂર્ણપણે બળવાન અને શુભ બને છે. ગુરુ ધનુ રાશિમાં 23 અંશે માર્ગી થયો છે. જો આપની કુંડળીમાં ધનુ રાશિના 23 અંશ આસપાસનું જન્મલગ્ન હોય અથવા તો તે અંશે સૂર્ય કે ચંદ્ર જેવાં ગ્રહો પડેલાં હોય તો વિશેષ આશીર્વાદની પ્રાપ્તિ થઈ શકે છે. હજુ પણ જ્યારે 23 સપ્ટેમ્બર , 2020 ના રોજ કેતુ ધનુ રાશિમાંથી નીકળીને વૃશ્ચિકમાં પ્રવેશ કરી જશે અને ગુરુ મહારાજ કેતુના પાપપ્રભાવથી મુક્ત બનશે ત્યારે વધુ શુભ ફળ આપવાં શક્તિમાન બનશે. 30 ઓક્ટોબર , 2020 થી 20 નવેમ્બર , 2020 સુધી ગુરુ ધનુ રાશિના અંતિમ અંશોમાં ગોચર ભ્રમણ કરતાં વર્ગોત્તમી બનશે. જ્યારે કોઈ ગ્રહ જન્મલગ્ન અને નવમાંશ કુંડળીમાં એક જ રાશિમાં હોય ત

જન્મભૂમિ પંચાંગ વિ.સં ૨૦૭૭ (નવેમ્બર ૨૦૨૦થી માર્ચ ૨૦૨૨ સુધી)

છબી
પ્રિય મિત્રો , જન્મભૂમિ પંચાંગ વિ.સં ૨૦૭૭ (નવેમ્બર ૨૦૨૦થી માર્ચ ૨૦૨૨ સુધી) અંક માં આપ મારો ‘ કેતુ અને કાર્મિક સંબંધો ’ વિષય પરનો લેખ વાંચી શકશો. રાહુ-કેતુ કાર્મિક ગ્રહો છે અને જ્યારે કોઈ એક વ્યક્તિનો કેતુ બીજી વ્યક્તિના કોઈ ગ્રહ પર પડતો હોય ત્યારે તે બંને વ્યક્તિઓ પરસ્પર ચુંબકીય ખેંચાણ અનુભવે છે. તેમનો સંબંધ સામાન્ય ન હોતાં ગત જન્મનાં તેમણે સાથે જીવેલ જીવનના પરિણામ સ્વરૂપે હોય છે. આ કાર્મિક જોડાણ માતા , પિતા , પતિ , પત્ની , પ્રેમી , સંતાન , મિત્ર કે શત્રુ વગેરે કોઈ પણ વ્યક્તિ સાથે હોઈ શકે છે. પ્રસ્તુત લેખમાં એકની કુંડળીમાં રહેલાં કેતુનું અન્ય વ્યક્તિની કુંડળીમાં રહેલાં કોઈ ગ્રહ સાથેનું જોડાણ કઈ રીતે કાર્મિક સંબંધની રચના કરે છે તે વિશે વર્ણન કરેલ છે. આ સાથે જ દરેક ચોક્ક્સ ગ્રહના કેતુ સાથેના સંબંધથી રચાતા કાર્મિક સંબંધના ફળ વિશે ઉદાહરણ કુંડળી આપીને ચર્ચા કરેલ છે. ગત જન્મના સંબંધના આધારે રચાતાં આ જન્મના સંબંધોનો આ વિષય જ્યોતિષના જીજ્ઞાસુઓ માટે રસપ્રદ બની રહેશે તેવી આશા છે.