પોસ્ટ્સ

માર્ચ, 2010 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગ્રહ મૈત્રીના સિધ્ધાંતો

આપણે અગાઉ જોયું કે દરેક ગ્રહો મિત્ર, શત્રુ અને સમ ગ્રહો ધરાવે છે. ગ્રહો કઈ રીતે પરસ્પર મિત્ર, શત્રુ અથવા સમ બને છે તે માટેનાં સિધ્ધાંતો નીચે મુજબ છે. ૧. ગ્રહની ઉચ્ચ રાશિનો સ્વામી તે ગ્રહનો મિત્ર બને છે. ૨. ગ્રહની મૂળત્રિકોણ રાશિ લો. મૂળત્રિકોણ રાશિથી ૧૨ અને ૨, ૪ અને ૫, ૮ અને ૯ રાશિના સ્વામીઓ તે ગ્રહના મિત્ર બને છે. ૩. આ સિવાયની બાકીની રાશિઓ એટલે કે ગ્રહની મૂળત્રિકોણ રાશિથી ૧ અને ૩, ૬ અને ૭, ૧૦ અને ૧૨ રાશિના સ્વામીઓ તે ગ્રહના શત્રુ બને છે. ૪. જ્યારે કોઈ ગ્રહ બે રાશિનું સ્વામીત્વ ધરાવવાને લીધે મિત્ર અને શત્રુ બંનેમાં સ્થાન પામે ત્યારે તે ગ્રહ સમ બને છે. હવે આપણે સૂર્યનું ઉદાહરણ લઈએ. ૧. સૂર્યની ઉચ્ચ રાશિ મેષ છે - સ્વામી મંગળ ૨. સૂર્યની મૂળત્રિકોણ રાશિ સિંહ છે. સિંહથી બારમી રાશિ કર્ક - સ્વામી ચન્દ્ર સિંહથી બીજી રાશિ કન્યા - સ્વામી બુધ સિંહથી ચોથી રાશિ વૃશ્ચિક - સ્વામી મંગળ સિંહથી પાંચમી રાશિ ધનુ - સ્વામી ગુરુ સિંહથી આઠમી રાશિ મીન - સ્વામી ગુરુ સિંહથી નવમી રાશિ મેષ - સ્વામી મંગળ આમ, સૂર્યના મિત્ર ગ્રહો ચન્દ્ર, મંગળ, બુધ , ગુરુ બનશે. ૩. હવે સિંહ રાશિથી બાકીની રાશિઓ જોઈએ. સિંહથી પ્રથમ રાશિ સિ

ભાવોનું વર્ગીકરણ

છબી
જન્મકુંડળીનાં બાર ભાવોને તેમની જુદી-જુદી સમાનતાઓને આધારે જુદાં-જુદાં જૂથમાં વહેંચવામાં આવ્યા છે. કેન્દ્રસ્થાનો : જન્મકુંડળીનાં ૧, ૪, ૭ અને ૧૦ ભાવ કેન્દ્રસ્થાનો કહેવાય છે. કેન્દ્રસ્થાનોની રાશિઓ ચરાદિ સ્વભાવમાં સમાનતા ધરાવતી હોય છે. એટલે કે આ ચારેય સ્થાનોની રાશિ ચર અથવા સ્થિર અથવા દ્વિસ્વભાવ હોય છે. સ્વભાવમાં સમાનતા હોવાને લીધે આ ચારેય સ્થાનો એકબીજાં સાથે સંવાદિતા ધરાવે છે. કેન્દ્રસ્થાનો કુંડળીનાં સ્તંભ સમાન છે. આ સ્થાનોમાં રહેલાં ગ્રહો બળ પ્રાપ્ત કરે છે અને સંપૂર્ણ ફળ આપવા સમર્થ બને છે. કેન્દ્રસ્થાનોમાં પહેલાંથી ચોથું, ચોથાથી સાતમું અને સાતમાંથી દસમું સ્થાન ઉત્તરોત્તર વધારે બળવાન હોય છે. દસમ સ્થાન સૌથી વધુ બળવાન હોય છે અને આ સ્થાનમાં રહેલ ગ્રહ સમગ્ર કુંડળી પર પ્રભુત્વ ધરાવતો હોય છે. કેન્દ્રસ્થાનો વિષ્ણુસ્થાનો છે અને જીવનમાં કરવાં પડતાં પુરુષાર્થનો નિર્દેશ કરે છે. પણફર સ્થાનો : જન્મકુંડળીનાં ૨, ૫, ૮ અને ૧૧ સ્થાન પણફર સ્થાનો કહેવાય છે. આ ચાર ભાવ એ દરેક કેન્દ્રસ્થાનથી આગળ રહેલો ભાવ છે. પણફર સ્થાનોમાં રહેલી રાશિઓ પણ ચરાદિ સ્વભાવમાં સમાનતા ધરાવતી હોય છે. કાળપુરુષની કુંડળીમાં પણફર સ્થાનો સ્થિ

જન્મકુંડળીનાં બાર ભાવો

જન્મકુંડળીનો પ્રત્યેક ભાવ જાતકનાં જીવનનાં અલગ-અલગ ક્ષેત્રોને લગતી બાબતો, જીવનમાં પ્રવેશતી અને ભાગ ભજવતી વ્યક્તિઓ અને જીવનકાળ દરમ્યાન પેદા થતી વિવિધ પરિસ્થિતિઓ અને અનુભવો સાથે સંકળાયેલો છે. જન્મકુંડળીના બાર ભાવો સમગ્ર જીવનચક્રનો નિર્દેશ કરે છે. દરેક ભાવ પરથી જોવાતી બાબતો નીચે મુજબ છે. પ્રથમ ભાવ : પ્રથમ ભાવ એ લગ્નસ્થાન અથવા તનુભાવ પણ કહેવાય છે. આ સ્થાનમાં રહેલી રાશિ જાતકનાં જન્મસમયે પૂર્વ ક્ષિતિજ પર ઉદિત થઈ રહેલી હોય છે. પ્રથમસ્થાન એ આકાશ અને પૃથ્વીનાં સંપર્કનું સૂચક છે. જન્મકુંડળીમાં આ સૌથી અગત્યનું સ્થાન છે. પ્રથમસ્થાન એ શરૂઆત છે, ઉદ્‌ભવ છે. આ સ્થાનની રાશિ નક્કી થઈ જવાથી સાથે-સાથે કુંડળીનાં બાકીના સ્થાનોની રાશિ પણ નક્કી થઈ જાય છે. પ્રથમ ભાવ સ્વનો સૂચક છે. આ ભાવ પરથી જાતકનું શારીરિક કદ, આકાર, વર્ણ, બાંધો, દેખાવ, પ્રકૃતિ, વ્યક્તિત્વ, મનોવલણ, બુધ્ધિ, ચારિત્ર્ય, પ્રતિષ્ઠા, આરોગ્ય, જીવનશક્તિ, આયુ, જીવનની શરૂઆત અને સમગ્ર જીવન અંગેની સામાન્ય જાણકારી પ્રાપ્ત થાય છે. પ્રથમ ભાવ શરીરમાં મસ્તક, મગજ અને કપાળનો નિર્દેશ કરે છે. આ ભાવનો કારક ગ્રહ સૂર્ય છે. દ્વિતીય ભાવ : દ્વિતીય ભાવ એ ધનસ્થાન અથવા કુ