પોસ્ટ્સ

જાન્યુઆરી, 2009 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગોચરમાં વક્રી બુધ

આજકાલ મારું કોમ્પ્યુટર મને હેરાન કરી રહ્યું છે અને મને કાન ખેંચીને યાદ અપાવી રહ્યું છે કે અત્યારે બુધ વક્રી છે! તો ચાલો જાણીએ કે ગોચરમાં વક્રી થયેલો બુધ આપણી જીદંગીને કઈ રીતે અસર પહોંચાડી શકે. સૌ પ્રથમ તો આપણે એ જાણી લઈએ કે વક્રી થવું એ હકીકતમાં શું છે. વક્રી થવું એટલે કે પાછા ફરવું. ગ્રહ પોતાનાં માર્ગમાં આગળ વધવાને બદલે પાછળ જતો 'દેખાય' તેને ગ્રહ વક્રી થયો કહેવાય. અહીં હકીકતમાં ગ્રહ પાછળ જતો નથી પરંતુ પૃથ્વી પરથી જોતા આપણને દ્રષ્ટિ ભ્રમ થાય છે કે ગ્રહ પાછળ જઈ રહ્યો છે. આ દ્રષ્ટિ ભ્રમ આપણને પૃથ્વી અને બીજા ગ્રહોની સૂર્ય આસપાસ ફરવાની ગતિને લીધે થાય છે. બુધ એક વર્ષમાં ૩ થી ૪ વખત વક્રી થાય છે. આ એ સમય છે જ્યારે બુધ સૌનું ધ્યાન ખેંચી ગ્રહમંડળમાં પોતાની હાજરી પૂરાવે છે. બુધ એ સંદેશાવ્યવહાર, વેપાર-વાણિજ્ય, મુસાફરી, વાણી, વિચાર, અભિવ્યક્તિ, લેખન અને પ્રકાશનનો કારક છે. જ્યારે જ્યારે બુધ વક્રી થાય છે ત્યારે આ બધાંને અવળી અસર પહોંચે છે. બુધ જ્યોતિષિક મેસેન્જર છે અને જ્યારે પણ વક્રી થાય છે ત્યારે બહારની દુનિયા સાથેનાં આપણાં સંદેશાઓની આપ-લે ખોરવી નાખે છે. તમારાં લખેલાં પત્રો, સંદેશાઓ, ઈ-મ