પોસ્ટ્સ

ફેબ્રુઆરી, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વૃષભ રાશિમાં રાહુ સાથે મંગળનું જોડાણ – ૨૦૨૧

છબી
Pixabay આજે ફ્રેબ્રુઆરી ૨૨ , ૨૦૨૧ના રોજ વહેલી સવારે ૦૪.૩૯ કલાકે મંગળ મહારાજે વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં મંગળ એપ્રિલ ૧૪ , ૨૦૨૧ સુધી ભ્રમણ કરશે. વૃષભ રાશિમાં અગાઉથી જ રાહુ મહારાજ ગોચર ભ્રમણ કરી રહ્યાં છે. આથી વૃષભ પ્રવેશ સાથે મંગળ અને રાહુની યુતિ રચાઈ છે. વૃષભ રાશિ શુક્રનું સ્વામીત્વ ધરાવતી રાશિ છે. શુક્ર એ પ્રેમ અને સંવાદિતાનો કારક ગ્રહ છે. યુદ્ધ , શક્તિ , શૌર્ય , સાહસ , વીરતા , આક્રમકતા અને ઉગ્રતાનો કારક એવો મંગળ સામાન્ય રીતે પ્રેમના ગ્રહ શુક્રની રાશિમાં આવીને થોડો શાંત પડે છે. પરંતુ આ વખતે વિશેષ પરિસ્થિતિ છે. આ વખતે મંગળનો સાથ આપવાં માટે રાહુ મહારાજ અગાઉથી જ વૃષભ રાશિમાં હાજર છે. મંગળ (અગ્નિતત્વ) આગ છે , તો રાહુ (વાયુતત્વ) આ આગને હવા નાખવાનું કાર્ય કરે છે. રાહુ જે પણ ગ્રહ સાથે જોડાય તે ગ્રહના કારકત્વનો વિસ્તાર કરે છે. અહીં હવે મંગળના આક્રમતા , ઉગ્રતા , લડાયકતા જેવાં ગુણોનો વિસ્તાર થઈ શકે છે. વૃષભ રાશિમાં ભ્રમણ હોવાથી આ આક્રમકતા અને ઉગ્રતા સંબંધોમાં અભિવ્યક્ત થવાની સંભાવના રહે. પ્રેમમાં સ્વાર્થી અને સ્વકેન્દ્રીત ન બની જઈએ તેમજ વર્ચસ્વ જમાવવાની કોશિશ ન કરીએ તેનું ધ્યાન રાખવું.

ગુરુ અને રાહુનો ત્રિકોણ યોગ ૨૦૨૦-૨૦૨૧

છબી
નવેમ્બર ૨૦, ૨૦૨૦ થી લઈને એપ્રિલ ૬, ૨૦૨૧ સુધી ગોચરમાં રચાયેલાં ગુરુ અને રાહુના ત્રિકોણ યોગ વિશે માહિતી અને બાર રાશિઓ પરત્વે ફળ. વિશેષ કરીને ફેબ્રુઆરી ૨૬, ૨૦૨૧ના રોજ રચાતાં અંશાત્મક ગુરુ - રાહુ ત્રિકોણ યોગ વિશે ચર્ચા.   

શ્રી શનૈશ્ચર સ્તવરાજ સ્તોત્ર

છબી
શનિ એ કાર્મિક ગ્રહ છે. ગત જન્મોના કર્મના આધારે આ જન્મમાં શુભ કે અશુભ ફળ પ્રદાન કરે છે. કર્મફળદાતા હોવાથી કુંડળીમાં શનિની સ્થિતિ , દશા , ગોચર વગેરે મહત્વના બની જાય છે. શનિદેવ જો શુભ ફળ આપે તો જીવનમાં અવરોધ અને કષ્ટનો અનુભવ ઘટી જાય છે. આથી શનિદેવને પ્રસન્ન કરવાં હેતુ ભવિષ્યપુરાણમાં " શનૈશ્ચરસ્તવરાજ" આપેલ છે. તેનાં આચાર્ય ઋષિ સિન્ધુદ્વીપ છે તથા ગાયત્રીછંદમાં તેની રચના થયેલી છે. આપો તેનાં દેવતા છે. શનિદેવની કૃપા પ્રાપ્તિ હેતુ આ પાઠ કરવાનું પ્રયોજન છે. સંસ્કૃત ભાષાનો આ સ્તોત્ર એક પ્રકારે શનિ મહારાજની પ્રશંસા છે. તેમાં શ્લોક ૬થી લઈને ૧૯ સુધીમાં શનિદેવના ૧૦૮ નામ સમાયેલાં છે. સૌરિ , શનૈશ્ચર , કૃષ્ણ , નિલોત્પલનિભ વગેરેથી લઈને ક્રિયાસિન્ધુ , નીલાંજ્જનચયચ્છવિ , સર્વરોગહરદેવ , સિદ્ધ-દેવગણસ્તુત સુધી અષ્ટોત્તરશતનામાવલિ સમાયેલી છે. જે કોઈ શ્રદ્ધા અને સમર્પણ સાથે આ સ્તોત્રના પાઠ કરે છે તે શનિદેવના આશીર્વાદ પામે છે. શનિજનીત પીડાઓ દૂર થાય છે અને દરેક પ્રકારના રોગ , દુ:ખ-દર્દ , ભય તેમજ અનિષ્ટોનો નાશ થાય છે. ધન , ઐશ્વર્ય , સંતાન અને કીર્તિમાં વૃદ્ધિ થાય છે. શનિવારના રોજ આ સ્તોત્રના પાઠ કરવાં વિશ

સૂર્યના કુંભ પ્રવેશનું બાર રાશિઓ પરત્વે ફળ – ફેબ્રુઆરી 2021

છબી
ગઈકાલે ફેબ્રુઆરી 12, 2021 ના રોજ રાત્રે 09.13 કલાકે સૂર્ય મહારાજ મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરી ગયા. આ સાથે જ ફેબ્રુઆરી 9 થી ફેબ્રુઆરી 12 દરમિયાન મકર રાશિમાં ભેગો થયેલો છ (પ્લુટોનો સમાવેશ કરતાં સાત) ગ્રહોનો જમાવડો વિખેરાવાની શરૂઆત થઈ. ચંદ્ર મહારાજ તો સૂર્ય મહારાજની અગાઉ એમનું સ્વાગત કરવાં કુંભ રાશિમાં પહોંચી ગયા હતાં. હવે ફેબ્રુઆરી 21 , 2021 ના શુક્ર અને માર્ચ 11 , 2021 ના રોજ બુધ પણ મકર રાશિમાંથી નીકળીને કુંભમાં સૂર્ય સાથે જોડાઈ જશે. સૌથી છેલ્લે ગુરુ એપ્રિલ 6 , 2021 ના રોજ મકર રાશિમાંથી નીકળીને કુંભમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ શનિ મહારાજ મકર રાશિમાં એકલાં રહીને ગોચર ભ્રમણ કરશે. મકર અને કુંભ શનિનું સ્વામીત્વ ધરાવતી રાશિઓ છે. શનિ એ સૂર્યનો પુત્ર છે . પિતા અને પુત્રનો સંબંધ હોવાં છતાં સૂર્ય અને શનિ વચ્ચે શત્રુતા રહેલી છે. પરસ્પર વિપરિત ગુણો અને પ્રકૃતિ ધરાવતાં આ બંને ગ્રહોનો સંબંધ સંઘર્ષમય કાળનું સૂચન કરે છે. આથી જ સૂર્યનું શનિની રાશિ કુંભમાં ગોચર ભ્રમણ ખાસ લાભદાયી હોતું નથી. પરંતુ આ વર્ષે વિશેષ પરિસ્થિતિ છે. મકર રાશિમાં ભેગાં થયેલાં છ ગ્રહોના જમાવડાંમાંથી સૂર્યનું છૂટાં

મકર રાશિમાં છ ગ્રહોનો જમાવડો – ફેબ્રુઆરી ૨૦૨૧

છબી
  આજે ફેબ્રુઆરી 9 , 2021 ના રોજ રાત્રે 20.32 કલાકે ચંદ્ર મહારાજ મકર રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે જ મકર રાશિમાં છ ગ્રહો - સૂર્ય , ચંદ્ર , બુધ , ગુરુ , શુક્ર અને શનિની (પ્લુટોનો સમાવેશ કરતાં સાત ગ્રહો) યુતિ સર્જાશે. છાયા ગ્રહો રાહુ-કેતુને બાદ કરતાં ફક્ત મંગળ આ છ ગ્રહોનાં જમાવડાંથી બહાર મેષ રાશિમાં રહીને બળવાન બનેલો છે. જો કે મંગળ સહિત બધાં જ ગ્રહો રાહુ અને કેતુની વચ્ચે આવી જતાં હોવાથી કાળસર્પયોગની રચના થઈ રહી છે. બધાં જ ગ્રહો રાહુ અને કેતુના નિયંત્રણ હેઠળ આવી ગયાં છે. એટલું જ નહિ , રાહુ મકર રાશિ પર દ્રષ્ટિ કરીને આ સમગ્ર યુતિને પ્રભાવિત કરી રહ્યો છે. એક નવ વ્યક્તિની ક્ષમતા ધરાવતી હોડીમાં બેઠેલ નવ વ્યક્તિઓ પૈકી છ વ્યક્તિઓ હોડીના એક જ ખૂણામાં ભેગા થઈને બેસે તો શું થાય ? સ્વાભાવિક રીતે જ હોડી પલટી મારી જાય. બસ , આવું જ કંઈક અસંતુલન ગ્રહોની દુનિયામાં રચાવાં જઈ રહ્યું છે. પરિણામે આપણે સૌ કોઈ જીવનમાં અસંતુલન કે અસ્થિરતાનો અનુભવ કરી શકીએ છીએ. રાહુ મન:સ્થિતિ પર અસર કરનાર ગ્રહ છે અને આવેગમાં આવી જઈને કૃત્ય કરાવી શકે છે. શનિની મકર રાશિનો પ્રભાવ હોવાથી જીવનમાં હતાશા , ઉદાસી , નિરાશા કે ખાલીપાનો અન

કર્ક રાશિનો શુક્ર અને પ્રેમ

છબી
જો આપના કે આપના પ્રિયજનની કુંડળીમાં 4 ના અંકની સાથે શુક્ર પડ્યો હોય તો શુક્ર કર્ક રાશિમાં પડેલો કહેવાશે. કર્ક રાશિમાં પડેલો શુક્ર પ્રેમ અંગે કેવું ફળ આપે તે જાણો.  તમે તમારી પોતાની જાતને અથવા તમારા પ્રિયજનને વધુ સારી રીતે ઓળખી અને સમજી શકશો.