મકર સંક્રાંતિ - સ્વીકારની પ્રેરણા
સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે તેને મકર સંકાંતિ કહે છે. વર્ષ ૨૦૨૪માં સૂર્યએ જાન્યુઆરી ૧૫ , ૨૦૨૪ના રોજ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. મકર રાશિનો સ્વામી શનિ છે. શનિ એ સૂર્યનો પુત્ર છે , પરંતુ પિતા-પુત્રને એકબીજાં સાથે શત્રુતા છે. મકર સંક્રાંતિએ સૂર્ય પોતાનાં શત્રુરૂપી પુત્રના ઘરમાં પ્રવેશ કરે છે અને પૂરાં એક મહિના સુધી રહે છે. આ દરમિયાન શનિ પોતાના પિતાની સેવા કરે છે. આ ઘટના એક રીતે કઠિન સંબંધના સ્વીકારની પ્રતીક છે. ઘણીવાર અસહ્ય પરિસ્થિતિમાં પણ સંબંધને જાળવવો પડતો હોય છે. મકર સંક્રાંતિ આપણને અસહ્ય વ્યક્તિ , વસ્તુ કે પરિસ્થિતિનો સ્વીકાર કરવાની અને તેને સહન કરવાની પ્રેરણા આપે છે. આપ સૌને મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ !!