પોસ્ટ્સ

જુલાઈ, 2010 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગ્રહોનાં સંબંધ

ગ્રહોનાં સંબંધ ચાર પ્રકારે થાય છે. ૧. યુતિ કોઈ પણ બે ગ્રહો જ્યારે એક જ રાશિમાં સ્થિત હોય ત્યારે તે બે ગ્રહોની યુતિ થઇ કહેવાય. આપણે અગાઉ જોયું હતું કે ગ્રહ બીજાની હાજરીથી પ્રભાવિત થાય છે અને પોતાની હાજરીથી બીજાને પ્રભાવિત કરે છે. જયારે બે ગ્રહો યુતિ કરે છે ત્યારે તેઓ ઘણાં અંશે એકબીજાને પ્રભાવિત કરે છે. જેટલું અંતર ઓછું તેટલો પ્રભાવ વધારે. આ ઘટનાને પતિ-પત્નીના સંબંધનાં ઉદાહરણ દ્વારા સમજીએ. જયારે બે અજાણી વ્યક્તિઓ લગ્નસંબંધમાં બંધાઇને એક જ ઘરમાં સાથે રહેવાનું શરૂ કરે છે ત્યારે તે બંને એકબીજાની પ્રકૃતિ અને આદતોથી અસર પામે છે. પતિની કેટલીક આદતો પત્ની ગ્રહણ કરી લે છે અને પત્નીની કેટલીક આદતો પતિ ગ્રહણ કરી લે છે. બંનેના સ્વભાવમાં પણ એકબીજાની હાજરીથી બદલાવ આવે છે. આવું જ કંઈક બે ગ્રહોની યુતિ થવાથી થાય છે. બે ગ્રહો જ્યારે એક જ રાશિમાં સાથે રહીને યુતિ કરે ત્યારે તેઓ એકબીજાની પ્રકૃતિ અને કારકત્વથી અસર પામે છે. ગ્રહ જે ભાવનો સ્વામી હોય તે ભાવને લગતી બાબત પર પણ યુતિમાં સાથે રહેલા ગ્રહનો પ્રભાવ પડે છે. વળી જયારે એક ગ્રહ બે ભાવનો સ્વામી હોય ત્યારે એક અટપટું સંયોજન પેદા થાય છે. આ યુતિ જે ભાવ અને રાશિમ

કન્યા રાશિમાં શનિ સાથે મંગળનું જોડાણ

આજે સવારે એટલે કે તા.૨૦.૭.૨૦૧૦ના રોજ ૬.૨૬ કલાકે મંગળે કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. શનિ પહેલેથી જ કન્યા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. આ સાથે કન્યા રાશિમાં શનિ અને મંગળની યુતિ રચાઈ છે. મંગળ કન્યા રાશિમાં તા.૬.૯.૨૦૧૦ સુધી ભ્રમણ કરશે. વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો શનિ-મંગળની આ યુતિ રાજનૈતિક અસ્થિરતા, દુર્ઘટનાઓ, અકસ્માત, આતંકવાદ, બોમ્બ વિસ્ફોટ, પૂર-ભૂકંપ જેવી કુદરતી આફતો સર્જી શકે છે. મંગળ એ ઉષ્ણ ગ્રહ છે અને શનિ શીત ગ્રહ છે. મંગળ એ શક્તિ, સાહસ, પરાક્રમ, આક્રમકતા, ક્રોધ, ઉશ્કેરાટ, તકરાર અને ઉતાવળાપણાનો કારક ગ્રહ છે. તેનાથી વિરુધ્ધ શનિ સંયમ, ધીરજ, અવરોધ, યાતના, સંઘર્ષ અને વિલંબનો કારક ગ્રહ છે. જ્યારે પરસ્પર વિરોધી પ્રકૄતિના આ બે પાપગ્રહો યુતિ કરે છે ત્યારે દરેક કાર્યોમાં એક પ્રકારની સ્થગતિતા અને અનિર્ણયાત્મકતાની સ્થિતિ સર્જાય છે. ક્રોધ અને કઠોર પરિશ્રમ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. અકસ્માત, લડાઈ-ઝઘડા, વાદવિવાદ થવાની સંભાવના વધે છે. કન્યા રાશિ, કન્યા લગ્ન અને કન્યાનો સૂર્ય ધરાવનાર જાતકોને આ યુતિ વધુ અસર કરશે. મેષ - શત્રુઓ પર વિજય, સ્વાસ્થ્યની કાળજી લેવી. વૃષભ - વિદ્યાભ્યાસમાં પ્રગતિ, સંતા

જન્મભૂમિ પંચાગ વિ.સં ૨૦૬૭ (નવેમ્બર ૨૦૧૦થી માર્ચ ૨૦૧૨)

પ્રિય વાચકમિત્રો, જન્મભૂમિ પંચાગ વિ.સં ૨૦૬૭ (નવેમ્બર ૨૦૧૦થી માર્ચ ૨૦૧૨) પ્રગટ થઈ ગયેલ છે. જેમાં આપ મારો 'ગ્રહોનાં મરણસ્થાન' એ વિષય પરનો લેખ વાંચી શકશો. લેખ વાંચીને આપના પ્રતિભાવો ચોક્ક્સ જણાવશો.

ગ્રહોનું બળ

ગ્રહ જ્યારે જન્મકુંડળીમાં શુભ રીતે સ્થિત હોય ત્યારે તે ગ્રહનાં શુભ અને સકારાત્મક ગુણો પ્રગટ થાય છે. આ જ ગ્રહ જ્યારે કુંડળીમાં દૂષિત થઈને અશુભ રીતે સ્થિત હોય ત્યારે ગ્રહની અનિચ્છનીય અને અશુભ બાજુ પ્રગટ થાય છે. કોઈ ગ્રહ કેટલી તીવ્રતાથી શુભ કે અશુભ ગુણોને પ્રગટ કરશે અથવા એક ગ્રહની સરખામણીમાં બીજો ગ્રહ કેટલાં પ્રમાણમાં શુભ કે અશુભ છે તે નક્કી કરવા માટે ગ્રહોનું બળ માપવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં આ માટે એક વિસ્તૃત અને અટપટી પધ્ધતિ વર્ણવામાં આવી છે જે ષડબળ તરીકે ઓળખાય છે. સંસ્કૃતમાં ષડ એટલે કે છ. આમ આ પધ્ધતિ છ ઘટકોની બનેલી છે. દરેક ઘટક વિશિષ્ટ રીતે ગ્રહોનું બળ માપે છે. ષડબળ માપવાનું જ્યોતિષ પરિમાણ વિરૂપા છે. ષડબળમાં બળવાન બનનાર ગ્રહ પોતાના કારકત્વને લગતી બાબતોનું સંપૂર્ણ ફળ આપે છે. તે જે ભાવનો સ્વામી હોય તે ભાવને બળવાન બનાવે છે. જયારે ગ્રહ ષડબળમાં નિર્બળ બને છે ત્યારે તેનાં કારકત્વને લગતી બાબતોનું સંપૂર્ણ ફળ મળતું નથી. તે ગ્રહને લગતી બાબતો જીંદગીમાં અનુભવવા મળતી નથી અને સ્વપ્નાઓ કે ઈચ્છાઓનાં સ્વરૂપમાં અધૂરી રહી જાય છે. પાપગ્રહ ષડબળમાં બળવાન બને છે ત્યારે તેની અશુભ ફળ આપવાની ક્ષમતા વધી જાય