પોસ્ટ્સ

જન્મભૂમિ પંચાંગ વિ.સં ૨૦૮૦ (નવેમ્બર ૨૦૨૩થી માર્ચ ૨૦૨૫)

છબી
નમસ્તે મિત્રો, જન્મભૂમિ પંચાંગ વિ.સં. 2080 (નવેમ્બર 2023થી માર્ચ 2025)માં આપ મારો 'નામની પસંદગી અને નામ નક્ષત્ર' નામક લેખ વાંચી શકશો. નવા જન્મેલાં બાળક માટે યોગ્ય નામની પસંદગી કઈ રીતે કરશો? હાલનું નામ શું બદલવું જરૂરી છે? નામ રાશિ ધ્યાનમાં લેવી કે જન્મ રાશિ? જન્મના સમયની જાણકારી ન હોય ત્યારે શું ફક્ત નામ પરથી કુંડળી બની શકે? નામ નક્ષત્ર એટલે શું? નામ નક્ષત્રની જાતકના જીવનમાં શું અસર પડે છે? આ બધાં જ પ્રશ્નોના જવાબ પ્રસ્તુત લેખમાંથી મળી શકશે. આભાર   

રક્ષાબંધન ૨૦૨૩ શુભ મુહૂર્ત

છબી
Adbh266, CC BY-SA 4.0 , via Wikimedia Commons પંચાંગ અનુસાર વર્ષ ૨૦૨૩માં શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ ઓગસ્ટ ૩૦ , ૨૦૨3ના રોજ બુધવારના દિવસે સવારે ૧0.૫૮ કલાકે પ્રારંભ થવા જઈ રહી છે. આ તિથિ ઓગસ્ટ ૩૧ , ૨૦૨3 , ગુરુવારના રોજ સવારે ૦૭.૦૫ કલાક સુધી રહેશે. પૂર્ણિમા તિથિ આરંભ: ઓગસ્ટ ૩૦ , ૨૦૨૩ના સવારે ૧૦.૫૮ કલાકે   પૂર્ણિમા તિથિ અંત: ઓગસ્ટ ૩૧ , ૨૦૨૩ના સવારે ૦૭.૦૫ કલાકે રક્ષાબંધન દરમિયાન ભદ્રાનો સમય રક્ષાબંધનમાં ભદ્રા રહિત મુહૂર્તને પ્રાથમિકતા આપવામાં આવે છે. શ્રાવણ પૂર્ણિમાએ ભદ્રા રહિત મુહૂર્તમાં જ રક્ષાબંધન મનાવવામાં આવે છે. આ દિવસે ભદ્રાનો સમય નીચે મુજબ છે. ભદ્રાનો સમય: સવારે ૧૦.૫૮ થી રાત્રિ ૦૯.૦૧ સુધી – અશુભ કાળ ભદ્રા મૂળભૂત રીતે શુભ મુહૂર્તમાં અતિ દૂષિત કાળ તરીકે ગણવામાં આવી છે. ભદ્રાના પરિહારના અમુક નિયમો શાસ્ત્રોમાં આપવામાં આવ્યાં છે. આ પરિહારના નિયમો અત્યંત આવશ્યકતા હોય કે અનિવાર્ય પરિસ્થિતિ હોય ત્યારે જ ઉપયોગમાં લેવાં જોઈએ. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી સમગ્ર ભદ્રાકાળનો સમય ત્યાગવો યોગ્ય ગણાય છે. આ વર્ષે પણ શક્ય હોય તો રક્ષાબંધન રાત્રિના ૦૯.૦૧ કલાકે ભદ્રા સમાપ્ત

હરિઈચ્છા બલીયસી

છબી
હરિની ઈચ્છા બળવાન હોય છે.  Public domain, via Wikimedia Commons દેવર્ષિ નારદ ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત હોવાં ઉપરાંત જ્યોતિષશાસ્ત્રનું બહોળું જ્ઞાન ધરાવતાં હતાં. એકવાર નારદ વિષ્ણુની પાસે ગયા. વિષ્ણુએ નારદને પૂછ્યું – નારદ , જ્યોતિષ અનુસાર વર્ષાનો કોઈ યોગ દેખાય છે ? નારદે પંચાંગ જોઈને કહ્યું કે પ્રભુ , વર્ષા થવાની દૂર-દૂર સુધી કોઈ સંભાવના નથી. નારદે આટલું કહ્યું તો ખરું , પરંતુ ઘરથી બહાર નીકળ્યાં તો વર્ષાથી સુરક્ષિત રહેવાં માટે મસ્તક પર કામળી ઓઢી લીધી. આ જોઈને વિષ્ણુએ પૂછ્યું કે નારદ , શાં માટે આ અગમચેતી ? કે જ્યારે વર્ષા થવાનો કોઈ યોગ નથી. નારદે કહ્યું કે પ્રભુ , મેં  તો પંચાંગ અનુસાર આગાહી કરી છે. આપના મન અનુસાર નહિ. આખરે થશે તો એ જ જે આપની ઈચ્છા હશે.

શારદીય નવરાત્રિ 2022 ઘટસ્થાપન મુહૂર્ત

છબી
સોમવાર , 26 સપ્ટેમ્બર , 2022 થી શારદીય નવરાત્રિનો આરંભ થશે. સૂર્યોદય થયાનાં પહેલાં ચાર કલાકની અંદર ઘટસ્થાપન કરવું શુભ રહે છે. આ ઉપરાંત બપોરે અભિજીત મુહૂર્તમાં પણ ઘટસ્થાપન કરી શકાય છે. દ્વિસ્વભાવ લગ્નમાં ઘટસ્થાપન કરવું શુભ ગણાય છે. શારદીય નવરાત્રિ 2022 ના પ્રારંભ સમયે પ્રતિપદા તિથિએ પ્રાત:કાળે દ્વિસ્વભાવ કન્યા લગ્ન પ્રવર્તશે. તે સમયનું શુભ મુહૂર્ત આપેલ છે. સામાન્ય જન ચોઘડિયાં અનુસાર મુહૂર્ત જુએ છે , પરંતુ ચોઘડિયાં અનુસાર ઘટસ્થાપન કરવા અંગે શાસ્ત્રો સલાહ આપતાં નથી. આ ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી બપોર બાદ ઘટસ્થાપન કરવાનું પણ ટાળવું જોઈએ. vaidyarupal, CC BY 2.0 , via Wikimedia Commons પ્રતિપદા તિથિ આરંભ: 03 : 23  AM, સપ્ટેમ્બર 26 , 2022 પ્રતિપદા તિથિ અંત: 03:08 AM, સપ્ટેમ્બર 27, 2022 ઘટસ્થાપન માટે સપ્ટેમ્બર 2 6, 2022 ના રોજના મુહૂર્ત: રાજકોટ: સવારે 06.37 AM થી 08.12 AM ( કન્યા લગ્ન) બપોરે 12.14 PM થી 01 .02 PM (અભિજીત) અમદાવાદ: સવારે 06. 29 AM થી 0 8 . 05 AM (કન્યા લગ્ન) બપોરે 12.07 PM થી 12 .5 5 PM (અભિજીત) વડોદરા: સવારે 06.2 7 AM થી 0 8 . 02 AM ( કન્યા લગ્ન) બપોરે

પિતૃ સૂક્ત

છબી
પૂર્ણ સમર્પણ ભાવથી પિતૃ સૂક્તના પાઠ કરવાથી પિતૃદોષની શાંતિ થાય છે. સર્વ પ્રકારની બાધાઓ દૂર થઈને જીવનમાં ઉન્નતિ સાધી શકાય છે. પિતૃ સૂક્ત ઉપરાંત “ પિતૃ સ્તોત્ર ”ના પાઠ પણ કરી શકાય છે. એ પાઠ કરવાથી પણ સદૈવ પિતૃના આશીર્વાદ બની રહે છે.   Pixabay ॥ પિતૃસૂક્ત ॥ ઉદિરતામવર ઉત્પરાસ ઉન્મધ્યમા: પિતર: સોમ્યાસ: । અસું ય ઈયુરવૃકા ઋતજ્ઞાસ્તે નો s વન્તુ પિતરો હવેષુ ॥ ૧॥ અંગિરસો ન: પિતરો નવગ્વા અથર્વાણો ભૃગવ: સોમ્યાસ: । તેષાં વયમ સુમતૌ યજ્ઞિયાનામપિ ભદ્રે સૌમનસે સ્યામ ॥ ૨॥ યે ન: પૂર્વે પિતર: સોમ્યાસો s નૂહિરે સોમપીથં વસિષ્ઠા: । તોભિર્યમ: સં રરાણો હર્વી ષ્યુશન્નુશદભિ: પ્રતિકામમત્તુ ॥ ૩॥ ત્વં સોમ પ્ર ચિકિતો મનીષા ત્વં રજિષ્ઠમનુ નેષિ પન્થામ । તવ પ્રણીતી પિતરો ન ઈન્દો દેવેષુ રત્નમભજન્ત ધીરા: ॥ ૪॥ ત્વયા હિ ન: પિતર: સોમ પૂર્વે કર્માણિ ચકુ: પવમાન ધીરા: । વન્વન્નવાત: પરિધીન રપોર્ણુ વીરેભિરશ્વૈર્મઘવા ભવા ન: ॥ ૫॥ ત્વં સોમ પિતૃભિ: સંવિદાનો s નુ દ્યાવાપૃથિવી આ તતન્થ । તસ્મૈ ત ઈન્દો હવિષા વિધેમ વયં સ્યામ પતયો રયીણામ ॥ ૬॥ બર્હિષદ: પિતર ઉત્યર્વાગિમા વો હવ્યા ચકૃમા જુષધ્વમ । ત આ ગતાવસા શન્તમ

પિતૃ સ્તોત્ર (અર્થ સહિત)

છબી
માર્કંડેય પુરાણ(૯૪/૩-૧૩)માં મહાત્મા રુચિ દ્વારા કરાયેલી પિતૃઓની સ્તુતિ “પિતૃ સ્તોત્ર” કહેવાય છે. આ પિતૃ સ્તોત્રના નિયમિત પાઠ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. પિતૃઓની સંતુષ્ટિ એક સુખી જીવન હેતુ અત્યંત આવશ્યક છે. શ્રાદ્ધ પક્ષમાં તો પિતૃઓની પૂજા-અર્ચના થાય જ છે ,  પરંતુ જો રોજબરોજના જીવનમાં પણ તેમનું સ્મરણ કરવામાં આવે તો ચોક્કસપણે જીવનમાં અનેક સુખોનું આગમન થઈ શકે છે. પિતૃ સ્તોત્રના નિયમિત પાઠ કરવાથી પિતૃઓને સંતુષ્ટિ અને પ્રસન્નતા તો પ્રાપ્ત થાય જ છે પરંતુ તે ઉપરાંત તેઓ આપણાં પર આવનાર અનેક પ્રકારના સંકટોને પણ હરી લે છે.  જે વ્યક્તિની કુંડળીમાં પિતૃ દોષ હોય તે જો આ પિતૃ સ્તોત્રનો નિયમિત પાઠ કરે તો તેની કુંડળીનો પિતૃ દોષ સમાપ્ત થવાં લાગે છે અને તેનું અશુભ પરિણામ મળતું બંધ થાય છે. Biswarup Ganguly, CC BY 3.0 , via Wikimedia Commons   ॥ અથ પિતૃસ્તોત્ર ॥ અર્ચિતાનામમૂર્તાનાં પિતૃણાં દીપ્તતેજસામ । નમસ્યામિ સદા તેષાં ધ્યાનિનાં દિવ્યચક્ષુષામ ॥ અર્થ: જે સૌના દ્વારા પૂજા કરવાં યોગ્ય , અમૂર્ત , અત્યંત તેજસ્વી , ધ્યાની તથા દિવ્યદ્રષ્ટિથી પૂર્ણ રૂપથી સંપન્ન છે તે પિતૃઓને હું સદા પ્રણામ કરું છું. ઈન્

પ્રેમલગ્ન અને લગ્નમેળાપક

છબી
આ બ્લોગ પર મે એક લેખ ‘ પ્રેમ , આકર્ષણ અને મૈત્રીના યોગો ’ પોસ્ટ કરેલ છે. એ લેખમાં મેં લખ્યું છે : સુપ્રસિદ્ધ જ્યોતિષ ગ્રંથ પ્રશ્ન માર્ગ ( ચિત્તાનુફૂલ્ય, શ્લોક ૫૫, ૫૬) સ્પષ્ટરૂપે કહે છે કે “એક સ્ત્રી અને પુરુષ એકબીજાને પ્રેમ કરતા હોય તો કુંડળી ન મળતી હોય છતાં લગ્નગ્રંથિથી જોડાય શકે છે. લગ્ન સંબંધી આ એક ખૂબ મહત્વની બાબત છે. એક પુરુષ કે જે સ્ત્રીને અંત:કરણપૂર્વક શુદ્ધ ભાવે અને ખરા હૃદયથી પ્રેમ કરે છે તેણે તેની સાથે લગ્ન કરવા જોઈએ. શુદ્ધ પવિત્ર પ્રેમ એ બીજા કોઈ પણ ગુણ કરતા મહાન છે” Pixabay એ વાંચીને એક વાચક મિત્રએ એક સરસ અને મહત્વનો પ્રશ્ન ઉઠાવેલો છે. પ્રશ્ન: આપ અને અન્ય જોષીઓ પણ એમ કહે છે કે છોકરા છોકરી પરસ્પર પ્રેમ કરતા હોય તો મેળાપક જોવાની જરૂર નથી , પણ તો પછી પ્રેમલગ્ન પ્રેમ લગ્નો પણ તૂટી જાય છે , તેનું શું ? ઉત્તર: મારું નમ્રપણે માનવું છે કે આ દુનિયામાં રહેતાં લાખો - કરોડો-અબજો આત્મામાંથી ભગવાન જો કોઈ બે ચોક્કસ આત્માનો આ પૃથ્વી પર મેળાપ કરાવે અને એમને પરસ્પર પ્રેમમાં પાડે તો પછી એ ભગવાનની મરજી હોય છે. ગત જન્મોનાં કોઈ ઋણાનુબંધને લીધે જ એ બે વ્યક્તિઓ એકબીજાંના પરિચયમાં આ જન્મમ