સૂર્યના મિથુન રાશિ પ્રવેશનું બાર રાશિઓ પરત્વે ફળ (2026)
15 જૂન , 2026 ના રોજ સૂર્ય વૃષભ રાશિમાંથી નીકળીને 16 જુલાઈ , 2026 સુધી મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કરશે. આ સાથે જ વૃષભ રાશિમાં શનિ મહારાજની દ્રષ્ટિના દબાણ અને વિલંબથી હવે સૂર્ય મુક્ત થશે. હાલમાં કુંભમાં ભ્રમણ કરી રહેલાં રાહુની દ્રષ્ટિ સૂર્ય પર પડશે. 22 જૂન સુધી સૂર્ય મિથુન રાશિમાં બુધ સાથે યુતિમાં રહીને બુધાદિત્ય યોગનું નિર્માણ કરશે. સૂર્યનું આ ભ્રમણ ગતિશીલ તેમજ માનસિક અને વૈચારિક ઉર્જામાં વૃદ્ધિ કરનારું બની રહે. બુદ્ધિ અને વિચારો પ્રભાવશાળી બને. આ સમય દરમિયાન મીડિયા , લેખન અને કમ્યુનિકેશન સંબંધી બાબતો સક્રિય બની શકે છે. સૂર્યના મિથુન ભ્રમણ દરમિયાન મીડિયામાં થઈ રહેલી અતિશયોક્તિ કે ખોટી અફવાઓ અને સમાચારોથી સાવધ રહેવું. વિચારોમાં વહેમ કે ભ્રમને ન આવવા દેવા અને સત્ય હકીકતની ખરાઈ કરવી. વાણી અને વિચારોની ઉર્જાને નકારાત્મક બાબતોમાં વેડફવા કરતાં યોગ્ય આયોજન કરવામાં અને બૌદ્ધિક કાર્યો કરવામાં ઉપયોગ કરવો. નીચે બાર જન્મરાશિઓ/જન્મલગ્નોને સૂર્યનું મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કેવું ફળ આપશે તે વર્ણવેલ છે. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીના ગ્રહો , દશા...