વૃશ્ચિકમાં નીચનો ચંદ્ર: આંતરિક પરિવર્તનનો સમય (૨૬ જૂનથી ૨૯ જૂન ૨૦૨૬)
૨૬ જૂન, ૨૦૨૬ના બપોરે ૧૨:૩૫ કલાકે ચંદ્ર મહારાજે પોતાની નીચ રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કર્યો છે. અહીં ચંદ્ર ૨૯ જૂન, ૨૦૨૬ના મધ્યરાત્રિ પછી ૦૧:૧૦ કલાક સુધી ગોચર ભ્રમણ કરશે. ચંદ્રનું આ ભ્રમણ જ્યોતિષની સુંદર જટિલતાને સમજાવે છે. હાલ ચંદ્રના સ્વામિત્વવાળી કર્ક રાશિમાં ગુરુ, બુધ અને શુક્ર આ ત્રણ ગ્રહો સરસ્વતી યોગનું નિર્માણ કરીને ગોચર કરી રહ્યા છે. ચંદ્ર આ ત્રિગ્રહી યુતિનો ડિસ્પોઝીટર બનીને વૃશ્ચિક રાશિમાં નીચત્વ પ્રાપ્ત કરી રહ્યો છે. પરંતુ નીચનો હોવા છતાં આ ચંદ્ર પર ગુરુની શુભ દૃષ્ટિ પડી રહી છે. આ એવું છે કે જાણે ચંદ્ર વૃશ્ચિક રાશિની ગાઢ અને અંધારી ગુફામાં પ્રવેશ્યો છે, પરંતુ તેના હાથમાં ગુરુરૂપી દિવો છે, જે તેને માર્ગદર્શન આપી રહ્યો છે. ચંદ્ર મન અને લાગણીઓનો કારક ગ્રહ છે. વૃશ્ચિક રાશિ રહસ્ય, ઊંડાણ, પરિવર્તન અને આંતરિક શોધની રાશિ છે. જ્યારે ચંદ્ર વૃશ્ચિકમાં નીચ અવસ્થામાં હોય ત્યારે: મન વધુ સંવેદનશીલ બની શકે છે. જૂની લાગણીઓ અને ભૂતકાળના ઘાવ ફરી સપાટી પર આવી શકે છે. છુપાયેલી બાબતોને સમજવાની ક્ષમતા વધી શકે છે. દરેક ઘટના અને પરિસ્થિતિના ઊંડાણમાં જવાની વૃત્તિ વધી શકે છે. આ સમય આંતરિ...