પોસ્ટ્સ

કર્કમાં સૂર્ય-ગુરુની યુતિ: બાર રાશિઓ પર પ્રભાવ (૨૦૨૬)

૧૬ જુલાઈ , ૨૦૨૬ના રોજ રાત્રે ૧૧:૪૦ કલાકે સૂર્ય મહારાજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને કર્કમાં અગાઉથી જ ગોચર કરી રહેલા ગુરુ સાથે યુતિ રચશે. સૂર્ય ૧૭ ઓગસ્ટ , ૨૦૨૬ સુધી કર્ક રાશિમાં ભ્રમણ કરશે. સૂર્ય - ગુરુની યુતિનો આ સમયગાળો બારેય રાશિઓ પર કેવો પ્રભાવ પાડી શકે છે તે જોઈએ. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત જન્મકુંડળી માં રહેલાં ગ્રહો , દશા-મહાદશા તથા અન્ય અનેક પરિબળો પર આધારિત હોય છે. નીચે આપેલ ફળ જન્મરાશિ ,  જન્મલગ્ન અને સૂર્યરાશિ એમ   ત્રણેય પરિપ્રેક્ષ્યથી વાંચી શકશો. ગોચરના ફળને જ્યારે આ ત્રણેયથી સરખાવીને જોવામાં આવે ત્યારે જીવનના અલગ-અલગ સ્તરોનું સચોટ ચિત્ર મળે છે. મેષ: આ સમયગાળા દરમિયાન ઘર , પરિવાર , જમીન-મકાન અને વાહન સંબંધિત બાબતો વધુ મહત્વની બની શકે છે. આ ક્ષેત્રોમાં ખર્ચ થવાની શક્યતા રહે. માત્ર દેખાડા , પ્રતિષ્ઠા અથવા અહંના સંતોષ માટે મિલકત કે વાહન પાછળ મોટો ખર્ચ કરવાનું ટાળવું હિતાવહ રહેશે. પોતાના ઘર કે સ્થાયી નિવાસનું સ્વપ્ન વધુ પ્રબળ બની શકે છે અથવા તે દિશામાં આયોજન થઈ શકે. ઘરનું નવીનીકરણ , સ્થળ પરિવર્તન અથવા મિલકત સંબંધ...

સિંહમાં શુક્ર-કેતુની યુતિનુ બાર રાશિઓ પરત્વે ફળ (જુલાઈ ૨૦૨૬)

સુંદરતા , કળા , પ્રેમ અને વૈભવના કારક એવાં શુક્ર મહારાજ ૪ જુલાઈ , ૨૦૨૬ ના રોજ ૧૯:૧૫ કલાકે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. અહીં શુક્ર અગાઉથી જ સિંહ રાશિમાં ભ્રમણ કરી રહેલા કેતુ સાથે યુતિ રચશે. ૧૧ જુલાઈના રોજ સિંહ રાશિમાં શુક્ર અને કેતુની અંશાત્મક યુતિ રચાશે . ૧ ઓગસ્ટ , ૨૦૨૬ના રોજ શુક્રના કન્યા રાશિમાં પ્રવેશ સાથે શુક્ર-કેતુની આ યુતિનો અંત આવશે. માયા અને ભૌતિક આકર્ષણના કારક શુક્ર તથા વૈરાગ્ય અને મોક્ષના કારક કેતુનું જોડાણ જ્યોતિષની દૃષ્ટિએ એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે. આ યુતિ સુંદરતા , સંબંધો , સર્જનાત્મકતા અને ઇચ્છાઓ પ્રત્યે આપણા દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવી શકે છે. શુક્ર-કેતુની આ યુતિ ક્યારેક આસક્તિઓને સમજવાની અને તેમાંથી મુક્ત થવાની પ્રેરણા આપી શકે છે , તો ક્યારેક સંબંધો અને સર્જનાત્મક અભિવ્યક્તિને વધુ ઊંડાણપૂર્વક જોવાની તક પણ આપી શકે છે. હવે ૪ જુલાઈથી ૧ ઓગસ્ટ સુધીનો શુક્ર-કેતુની યુતિનો આ સમય બારેય રાશિઓને કેવું ફળ આપશે તે જોઈએ. આ યુતિ પર મંગળની દૃષ્ટિ પણ હોવાથી , કેટલીક પરિસ્થિતિઓમાં ઉતાવળ , ગુસ્સો અથવા તીવ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી શકે છે. તેથી દરેક રાશિના ફળમાં ધીરજ અને વિવેક રાખ...

જુલાઈ ૨૦૨૬: ગ્રહોની સ્થિતિ

છબી
જુલાઈ ૨૦૨૬ માસના ગ્રહોની સ્થિતિ ભાવનાત્મક , આધ્યાત્મિક અને ભૌતિક ઉર્જાઓની સંયુક્ત અસરનો નિર્દેશ કરે છે. આ મહિને ગ્રહોની સ્થિતિમાં થતાં બદલાવ આપણાં સંબંધો , કર્મ-આજીવિકા , આર્થિક સ્થિતિ અને વ્યક્તિગત વિકાસ પર પ્રભાવ પાડી શકે છે. સૂર્ય: જુલાઈ માસના આરંભ સમયે સૂર્ય મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કરશે. ત્યારબાદ ૧૬ જુલાઈના રોજ સૂર્ય કાળપુરુષની ચતુર્થ રાશિ કર્કમાં પ્રવેશ કરશે. મિથુન રાશિમાં રહેલો સૂર્ય સંવાદ , વિચારવિમર્શ અને માહિતીના આદાન-પ્રદાન જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરાવનારો  છે. જ્યારે સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે જીવનના ઘર , પરિવાર , માતા , મન અને ભાવનાત્મક પાસાઓ તરફ ધ્યાન વધુ કેન્દ્રિત થાય છે. આ સમય દરમિયાન સૂર્ય અગાઉથી પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં ગોચર કરી રહેલા ગુરુ સાથે યુતિ રચશે. ૨૯ જુલાઈના રોજ સૂર્ય અને ગુરુ વચ્ચે અંશાત્મક યુતિ રચાશે. જ્યોતિષમાં સૂર્ય-ગુરુ યુતિને જ્ઞાન , નૈતિકતા , આત્મવિશ્વાસ અને ડહાપણ સાથે નેતૃત્વ કરવાની ક્ષમતાનું સૂચક માનવામાં આવે છે. ચંદ્ર: ચંદ્રની રાશિઓ જુલાઈ માસ દરમિયાન મન , ભાવનાઓ અને આંતરિક અનુભવોના વિવિધ તબક્કાઓને દ...

વૃશ્ચિકમાં નીચનો ચંદ્ર: આંતરિક પરિવર્તનનો સમય (૨૬ જૂનથી ૨૯ જૂન ૨૦૨૬)

છબી
૨૬ જૂન, ૨૦૨૬ના બપોરે ૧૨:૩૫ કલાકે ચંદ્ર મહારાજે પોતાની નીચ રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કર્યો છે. અહીં ચંદ્ર ૨૯ જૂન, ૨૦૨૬ના મધ્યરાત્રિ પછી ૦૧:૧૦ કલાક સુધી ગોચર ભ્રમણ કરશે. ચંદ્રનું આ ભ્રમણ જ્યોતિષની સુંદર જટિલતાને સમજાવે છે. હાલ ચંદ્રના સ્વામિત્વવાળી કર્ક રાશિમાં ગુરુ, બુધ અને શુક્ર  આ ત્રણ ગ્રહો સરસ્વતી યોગનું નિર્માણ કરીને ગોચર કરી રહ્યા છે. ચંદ્ર આ ત્રિગ્રહી યુતિનો ડિસ્પોઝીટર બનીને વૃશ્ચિક રાશિમાં નીચત્વ પ્રાપ્ત કરી રહ્યો છે. પરંતુ નીચનો હોવા છતાં આ ચંદ્ર પર ગુરુની શુભ દૃષ્ટિ પડી રહી છે. આ એવું છે કે જાણે ચંદ્ર વૃશ્ચિક રાશિની ગાઢ અને અંધારી ગુફામાં પ્રવેશ્યો છે, પરંતુ તેના હાથમાં ગુરુરૂપી દિવો છે, જે તેને માર્ગદર્શન આપી રહ્યો છે. ચંદ્ર મન અને લાગણીઓનો કારક ગ્રહ છે. વૃશ્ચિક રાશિ રહસ્ય, ઊંડાણ, પરિવર્તન અને આંતરિક શોધની રાશિ છે. જ્યારે ચંદ્ર વૃશ્ચિકમાં નીચ અવસ્થામાં હોય ત્યારે: મન વધુ સંવેદનશીલ બની શકે છે. જૂની લાગણીઓ અને ભૂતકાળના ઘાવ ફરી સપાટી પર આવી શકે છે. છુપાયેલી બાબતોને સમજવાની ક્ષમતા વધી શકે છે. દરેક ઘટના અને પરિસ્થિતિના ઊંડાણમાં જવાની વૃત્તિ વધી શકે છે. આ સમય આંતરિ...

ગુરુ: અખૂટ આશાવાદ

છબી
નવ ગ્રહોમાં ગુરુ મહારાજ એ આપણી ભીતર રહેલો અખૂટ આશાવાદ છે. ગુરુ એ દેવોના ગુરુ છે એટલે દેવોની સૌથી નજીક છે. તેથી જ્યારે સૌથી વધુ જરૂર હોય એટલે કે સંકટ સમયે ગુરુ મહારાજ જ દૈવીય કૃપા વરસાવી શકે છે.  ગુરુ એ વિસ્તરણનો કારક ગ્રહ છે. જ્યારે અન્ય ગ્રહો આપણને મર્યાદાઓ અને વાસ્તવિકતાનો પરિચય આપે છે, ત્યારે ગુરુ આપણને ક્ષિતિજ તરફ નજર ઊંચી રાખવાની હામ આપે છે. તે આપણા મનની દ્રષ્ટિનું વિસ્તરણ કરે છે અને આપણને યાદ અપાવે છે કે એક ખરાબ પ્રકરણનો મતલબ એ નથી કે આખી કથા પૂર્ણ થઈ ગઈ. ગુરુનો આશાવાદ એ કોઈ કાલ્પનિક દુનિયામાં જીવવું કે વાસ્તવિકતાથી દૂર ભાગવું એવું નથી. આશાવાદનો અર્થ પરાણે ઉત્સાહ બતાવવો કે સત્યને નકારવું એવો થતો નથી. આશાવાદીઓ નકારાત્મક ઘટનાઓનો સ્વીકાર ચોક્કસ કરે છે, પરંતુ તેઓ તેને કામચલાઉ અને ચોક્કસ પરિસ્થિતિ પૂરતી મર્યાદિત જોવે છે. તેઓ રચનાત્મક અને વાસ્તવિક રીતે વિચારે છે અને તણાવપૂર્ણ સમસ્યાઓનો સામનો કરવાની પોતાની ક્ષમતા પર વિશ્વાસ રાખે છે.  શુભ ગુરુ એ આપણી ભીતર રહેલી શ્રદ્ધા છે કે ઈશ્વર હંમેશા આપણી સાથે જ છે અને જે પણ થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે. ગુરુ એ ઈશ્વરે ઘડેલી યોજન...

સૂર્યના મિથુન રાશિ પ્રવેશનું બાર રાશિઓ પરત્વે ફળ (2026)

15 જૂન , 2026 ના રોજ સૂર્ય વૃષભ રાશિમાંથી નીકળીને 16 જુલાઈ , 2026 સુધી મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કરશે. આ સાથે જ વૃષભ રાશિમાં શનિ મહારાજની દ્રષ્ટિના દબાણ અને વિલંબથી હવે સૂર્ય મુક્ત થશે. હાલમાં કુંભમાં ભ્રમણ કરી રહેલાં રાહુની દ્રષ્ટિ સૂર્ય પર પડશે. 22 જૂન સુધી સૂર્ય મિથુન રાશિમાં બુધ સાથે યુતિમાં રહીને બુધાદિત્ય યોગનું નિર્માણ કરશે. સૂર્યનું આ ભ્રમણ ગતિશીલ તેમજ માનસિક અને વૈચારિક ઉર્જામાં વૃદ્ધિ કરનારું બની રહે. બુદ્ધિ અને વિચારો પ્રભાવશાળી બને.  આ સમય દરમિયાન મીડિયા , લેખન અને કમ્યુનિકેશન સંબંધી બાબતો સક્રિય બની શકે છે. સૂર્યના મિથુન ભ્રમણ દરમિયાન મીડિયામાં થઈ રહેલી અતિશયોક્તિ કે ખોટી અફવાઓ અને સમાચારોથી સાવધ રહેવું. વિચારોમાં વહેમ કે ભ્રમને ન આવવા દેવા અને સત્ય હકીકતની ખરાઈ કરવી. વાણી અને વિચારોની ઉર્જાને નકારાત્મક બાબતોમાં વેડફવા કરતાં યોગ્ય આયોજન કરવામાં અને બૌદ્ધિક કાર્યો કરવામાં ઉપયોગ કરવો. નીચે બાર જન્મરાશિઓ/જન્મલગ્નોને સૂર્યનું મિથુન રાશિમાં ગોચર ભ્રમણ કેવું ફળ આપશે તે વર્ણવેલ છે. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીના ગ્રહો , દશા...

રક્ષાબંધન 2025 શુભ મુહૂર્ત

  વર્ષ ૨૦૨૫માં રક્ષાબંધન ઓગસ્ટ ૦૯ , ૨૦૨૫ના દિવસે મનાવવામાં આવશે. પૂર્ણિમા તિથિ આરંભ: ઓગસ્ટ ૦૮ , ૨૦૨૫ના ૧૪.૧૩ કલાકે પૂર્ણિમા તિથિ અંત: ઓગસ્ટ ૦૯ , ૨૦૨૫ના ૧૩.૨૬ કલાકે રક્ષાબંધનમાં ભદ્રા રહિત મુહૂર્તને પ્રાથમિકતા આપવામાં આવે છે. આ વર્ષે ભદ્રા ઓગસ્ટ ૦૯ , ૨૦૨૫ના રોજ રાત્રિના ૦૧.૫૩ કલાકે સમાપ્ત થઈ જશે. સૂર્યોદય પહેલાં જ ભદ્રા સમાપ્ત થઈ જતી હોવાથી રક્ષાબંધનની ઉજવણીમાં ભદ્રાનું બંધન રહેતું નથી. ઓગસ્ટ ૦૯ , ૨૦૨૫ના રોજ સવારે સૂર્યોદયથી લઈને બપોરે ૧૩.૨૬ દરમિયાન રક્ષાબંધન મનાવવુ શુભ રહી શકે છે.