પોસ્ટ્સ

ઑક્ટોબર, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વિક્રમ સંવત ૨૦૭૬નું વાર્ષિક રાશિ ભવિષ્ય

છબી
૨૮ ઓક્ટોબર , ૨૦૧૯ , સોમવાર ના રોજ સવારે ૦૯.૧૦ કલાકે ગુજરાતી નવવર્ષ વિક્રમ સંવત ૨૦૭૬નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ નવવર્ષ બારેય રાશિઓને કેવું ફળ આપશે તે જોઈએ. આ વર્ણવેલ ફળ જન્મરાશિ , જન્મલગ્ન (કુંડળીમાં પ્રથમ ભાવમાં રહેલ રાશિ) અને સૂર્યરાશિ એમ ત્રણેય રીતે ધ્યાનમાં લેવાથી વધુ યોગ્ય અંદાજ મેળવી શકશો. આમ છતાં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત જન્મકુંડળીમાં રહેલાં ગ્રહો , દશા-મહાદશા વગેરે પરિબળો પર રહેલો છે. મેષ (અ , લ , ઈ): આ વર્ષે ધનનો પ્રવાહ ઉત્તમ રહેવાની સંભાવના છે. વર્ષના આરંભથી જ ડિસેમ્બર માસ સુધી ઉત્તમ આર્થિક લાભ થઈ શકે છે. એપ્રિલથી જૂન ૨૦૨૦ દરમિયાન પરદેશ કે પરદેશ સાથે સંકળાયેલાં કામકાજને લીધે ધનલાભ થઈ શકે છે. આ જ સમય દરમિયાન જો કે આવકની સાથે જાવક પર કાબુ રાખવાની પણ જરૂર રહે. મે થી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ધનનો પ્રવાહ ધીમો પડે. પરંતુ ઓક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૦માં ફરી આર્થિક સ્થિતિ મજબૂત બને અને રોકાયેલાં નાણા પરત મળી શકે છે. વર્ષ દરમિયાન પિતા દ્વારા ધનલાભ થવાની પણ શક્યતા રહે. વ્યવસાયની દ્રષ્ટિએ વર્ષનો પ્રારંભ સામાન્ય રહે. જાન્યુઆરી ૨૦૨૦ના અંત ભાગથી

વિક્રમ સંવત ૨૦૭૬ (૨૦૧૯-૨૦૨૦)માં રાશિ અનુસાર પનોતી

છબી
નવગ્રહોમાં શનિ મહારાજ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કહેવાય છે કે કળિયુગમાં શનિનો પ્રભાવ સૌથી વધુ છે. શનિના પિતા સૂર્ય અને માતા છાયા છે. આથી શનિ ‘ છાયાસુત ’, ‘ છાયાનંદન ’ કે ‘ સૂર્યપુત્ર ’ તરીકે પણ ઓળખાય છે. સામાન્ય લોકોમાં શનિ અને શનિની પનોતીને લઈને ઘણાં બધાં ભ્રમ અને માન્યતાઓ છે. શનિ મહારાજ ક્યારેય કારણ વગર કોઈ મનુષ્યને દંડ આપતાં નથી. જે મનુષ્યએ પૂર્વજન્મમાં શુભ કર્મો કર્યા હોય તેને લાભ આપે છે. જ્યારે પૂર્વજન્મમાં અશુભ અને પાપકર્મો કરનારને આ જન્મમાં શનિની મહાદશા , સાડાસાતી પનોતી અને નાની પનોતી અશુભ ફળ પ્રદાન કરે છે. પનોતી એટલે શું ? જ્યારે જન્મનાં ચંદ્ર/રાશિથી ૧૨ , ૧ અને ૨ સ્થાનોમાંથી શનિ પસાર થાય ત્યારે તેને મોટી પનોતી અથવા સાડાસાતી આવી એમ કહેવાય છે. શનિને એક રાશિમાંથી પસાર થતાં લગભગ અઢી વર્ષ લાગે છે. આમ ત્રણ સ્થાનમાંથી પસાર થતાં શનિને સાડા સાત વર્ષ લાગે છે. આથી તેને સાડાસાતી કહેવાય છે. શનિ જ્યારે બારમે આવે ત્યારે માથા પર , પહેલે આવે ત્યારે છાતી પર અને બીજે આવે ત્યારે પગ પર પનોતી આવી એમ કહેવાય. આ સિવાય જ્યારે જન્મનાં ચંદ્ર/રાશિથી ૪ અને ૮ સ્થાનોમાંથી શનિ પસાર થાય ત્યારે નાની પ

તુલામાં સૂર્યના ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

છબી
18 ઓક્ટોબર , 2019 ના રોજ રાત્રે 01.04 કલાકે સૂર્ય મહારાજ કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. અહીં સૂર્ય 17 નવેમ્બર , 2019 એટલે કે લગભગ એક માસ જેટલાં સમય સુધી ગોચર ભ્રમણ કરશે. તુલા રાશિમાં સૂર્ય નીચત્વ ધારણ કરે છે. શાં માટે તુલા એ સૂર્યની નીચ રાશિ છે ? કાળપુરુષની કુંડળીમાં તુલા રાશિ સપ્તમભાવમાં પડે છે. સપ્તમભાવ એ સૂર્યાસ્તનો નિર્દેશ કરે છે. પ્રથમભાવ સૂર્યોદયનો સૂચક છે. આથી જ પ્રથમભાવની મેષ રાશિમાં સૂર્ય ઉચ્ચનો બને છે. જ્યારે સૂર્યાસ્તનો નિર્દેશ કરતી સપ્તમભાવની તુલા રાશિમાં બળ ગુમાવી નીચનો બને છે. વળી તુલાનું ચિહ્ન નામ અનુસાર તુલાધારી પુરુષ છે. તુલા એટલે કે જોખીને-તોલીને આપવું . સૂર્ય હંમેશા મુક્તપણે , ખુલ્લા દિલથી અને ઉદાર હ્રદયે આપનારો ગ્રહ છે. જોખી-તોલીને આપવાની પ્રકૃતિ તેને માફક આવતી નથી. દીપાવલીના દિવસે સૂર્ય અને ચંદ્ર તુલા રાશિમાં હોય છે. પોતાની નીચ રાશિમાં હોવાથી સૂર્ય નિર્બળ બનેલો હોય છે. અમાવસ્યા હોવાથી ચંદ્ર પણ પોતાનું તેજ ગુમાવીને બળહીન થઈ જાય છે. સમગ્ર જગતને અજવાળનાર સૂર્ય અને ચંદ્ર બંને નિર્બળ થઈ જવાથી પૃથ્વી પર વિશુદ્ધ, સૂક્ષ્મ અને સકારાત્મક ઉર્જાનો અભાવ

નવરાત્રિ સાથે જોડાયેલાં અંક 9 ની વિશેષતાઓ

છબી
9 રાત્રિઓ સુધીઓ મા દુર્ગાની ઉપાસના કરી મનાવવામાં આવતો તહેવાર એટલે કે નવરાત્રિ. શાં માટે આઠ કે દસ નહિ પરંતુ 9 જ રાત્રિ સુધી આ તહેવાર મનાવવામાં આવે છે ? હકીકતમાં આપણાં પૂર્વજોએ જીવન સાથે જોડાયેલી દરેક વૈજ્ઞાનિક બાબતોને પ્રતીકો અને માધ્યમો દ્વારા દર્શાવીને તેને ધર્મનું નામ આપ્યું છે. જેથી કરીને સામાન્ય લોકો તેનું વિધિવત શ્રદ્ધાપૂર્વક પાલન કરી શકે. ભારતીય દર્શનમાં અંક 108 ને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આની પાછળનું કારણ એ છે કે યોગીઓ અને આચાર્યોએ સૌરમાર્ગને 27 ભાગોમાં વહેંચ્યો છે. જે 27 નક્ષત્રો તરીકે ઓળખાય છે. પ્રત્યેક નક્ષત્રને ચાર પદમાં વહેંચવામાં આવ્યું છે. આ રીતે જોતાં 27* 4=108 થાય છે. જ્યારે ભક્ત માળાના 108 મણકાના જાપ કરે છે ત્યારે તે સૌરમાર્ગની પરિક્રમા પૂરી કરી લે છે. પવિત્ર અંક 108નો સરવાળો કરતાં 1+0+8=9 થાય. અંક 9 ની વિશેષતા એ છે કે તેને કોઈ પણ અંક સાથે ગુણવાથી મળતી સંખ્યાનાં અંકોનો સરવાળો કરતાં જવાબ હંમેશા 9 આવે છે. જેમ કે અંક 9 ને 3 અથવા 4 થી ગુણતાં 27 અથવા 36 સંખ્યા પ્રાપ્ત થાય છે. હવે જો આ પ્રાપ્ત થયેલ સંખ્યાના અંકોનો સરવાળો કરવામાં આવે તો 2+7=9 અને 3+6=9 જ પ્રાપ