પોસ્ટ્સ

જુલાઈ, 2012 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શનિના તુલા ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

તા.૪.૮.૨૦૧૨ શનિવારના રોજ સવારે ૮.૫૮ કલાકે શનિ મહારાજ ફરી કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. અહીં શનિ તા.૨.૧૧.૨૦૧૪ સુધી ગોચર ભ્રમણ કરશે. તુલા રાશિ એ શનિની ઉચ્ચ રાશિ છે. બારેય રાશિને ઉચ્ચનો શનિ કેવું ફળ આપશે તે જોઈએ. અહીં નોંધવું જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો, દશા-મહાદશા, જે-તે ભાવને અષ્ટકવર્ગમાં મળેલા બિંદુ વગેરે પર રહેલો છે. મેષ (અ, લ, ઈ) મેષ રાશિને શનિ સપ્તમ સ્થાનેથી પસાર થશે. સપ્તમ સ્થાન એ લગ્ન અને ભાગીદારીનું સ્થાન છે. લગ્ન અને વ્યવસાયિક ભાગીદારી માટે વ્યવહારુ અભિગમ અપનાવો તેવું બની શકે છે. લાભાલાભનો વિચાર કરીને ભાગીદારીની શરૂઆત થાય. લગ્ન બાબતે પરંપરાઓને અનુસરવાનું વલણ રહે. જીવનસાથી જવાબદારી અને બંધનમાં આવી ગયાનો અનુભવ કરે. સંબંધમાં થોડો તણાવ રહે. વ્યવસાયિક પ્રવૃતિઓમાં પ્રગતિ થઈ શકે છે. કોર્ટ-કચેરીના કેસોથી દૂર રહેવું. માતાનું આરોગ્ય ચિંતા કરાવી શકે છે. આ સમય દરમિયાન સ્થાવર મિલકતમાં રોકાણ નહિ કરતાં સોનામાં કે સરકારી ડિપોઝીટમાં રોકાણ કરવું લાભપ્રદ રહે. શારીરિક નબળાઈનો અનુભવ થઈ શકે છે. વૃષભ (બ, વ, ઉ)

જન્મભૂમિ પંચાંગ વિ.સં. ૨૦૬૯ (નવેમ્બર ૨૦૧૨થી માર્ચ ૨૦૧૪)

લગ્ન એ કોઈ આકસ્મિક કે ચોક્કસ હેતુ વગર ઘટતી ઘટના નથી. આ પૃથ્વી પર બે  વ્યક્તિઓનું લગ્નગ્રંથિથી જોડાવું એ તેમનું પૂર્વ નિર્ધારિત ભાગ્ય હોય છે. પરિણીત યુગલોની કુંડળીઓનો અભ્યાસ કરીએ તો કહેવું પડે કે ખરેખર જોડીઓ સ્વર્ગમાં જ રચાય છે. ગત જન્મોના ઋણાનુબંધને લીધે જ બે વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ લગ્નમાં પરિણમે છે. આપણી જન્મકુંડળી એ ઋણાનુબંધને સમજવામાં ચાવીરૂપ બની રહે છે. મિત્રો, જન્મભૂમિ પંચાંગ વિ.સં.૨૦૬૯ (નવેમ્બર ૨૦૧૨થી માર્ચ ૨૦૧૪)નાં મારા લેખ ‘લગ્ન – એક ઋણાનુબંધ’ માં મેં આ જ વિષય પર ચર્ચા કરેલી છે. આશા રાખું છું આ લેખ જ્યોતિષ રસિક મિત્રોને પસંદ પડશે. લેખ વાંચીને આપના પ્રતિભાવો જણાવવાનું ભૂલશો નહિ. 

શ્રી ચન્દ્ર અષ્ટોત્તર શતનામાવલી (ચન્દ્રનાં ૧૦૮ નામ)

૧. ૐ શ્રીમતે નમઃ ૨. ૐ શશધરાય નમઃ ૩. ૐ ચન્દ્રાય નમઃ ૪. ૐ તારાધીશાય નમઃ ૫. ૐ નિશાકરાય નમઃ ૬. ૐ સુખાનીઘાયે નમઃ ૭. ૐ સદારાધ્ય નમઃ ૮. ૐ સત્પતયે નમઃ ૯. ૐ સાધુપૂજીતાય નમઃ ૧૦. ૐ જિતેન્દ્રીયાય નમઃ ૧૧. ૐ જયોધ્યોગાય નમઃ ૧૨. ૐ જ્યોતિશ્ચક્રપ્રવર્તકાય નમઃ ૧૩. ૐ વિકર્તનનુજાય નમઃ ૧૪. ૐ વીરાય નમઃ ૧૫. ૐ વિશ્વેશાય નમઃ ૧૬. ૐ વિદુશં પતયે નમઃ ૧૭. ૐ દોશકરાય નમઃ ૧૮. ૐ દુષ્ટદૂરાય નમઃ ૧૯. ૐ પુષ્ટિમતે નમઃ ૨૦. ૐ શિષ્ટપલકાય નમઃ ૨૧. ૐ અષ્ટમૂર્તિપ્રિયાય નમઃ ૨૨. ૐ અનન્તાય નમઃ ૨૩. ૐ કષ્ટદરુકુતરકાય નમઃ ૨૪. ૐ સ્વપ્રકાશાય નમઃ ૨૫. ૐ પ્રકાશાત્મને નમઃ ૨૬. ૐ દ્યુચરાય નમઃ ૨૭. ૐ દેવભોજનાય નમઃ ૨૮. ૐ કાલધરાય નમઃ ૨૯. ૐ કાલહેતવે નમઃ ૩૦. ૐ કામકૃતે નમઃ ૩૧. ૐ કામદાયકાય નમઃ ૩૨. ૐ મૃત્યુસહારકાય નમઃ ૩૩. ૐ અમર્ત્યાય નમઃ ૩૪. ૐ નિત્યાનુષ્ઠનદાયકાય નમઃ ૩૫. ૐ ક્ષાપકરાય નમઃ ૩૬. ૐ ક્ષીણપાપાય નમઃ ૩૭. ૐ ક્ષયવૃદ્ધિસમ ન્વિ તાય નમઃ   ૩૮. ૐ જૈવત્રિકાય નમઃ

ગ્રહો અને વ્યવસાય

કુંડળીમાં દસમું સ્થાન એ કર્મસ્થાન છે. તે જાતકની નોકરી, વ્યવસાય કે આજીવિકાનો નિર્દેશ કરે છે. દરેક ગ્રહનાં પોતાના વિશિષ્ટ વ્યવસાય છે. જે નીચે મુજબ છે. સૂર્ય: સત્તા, કારભાર સંભાળનાર, વહીવટ કરનાર, અમલ બજાવનાર, હુકમો કરનાર, નિર્ણય કરનાર અને નિર્ણયનો અમલ કરનાર, સરકારી નોકરી, સરકાર સંચાલિત કે સરકાર દ્વારા સ્થપાયેલા કોર્પોરેશનમાં હોદ્દો, રાજકારણી, ધારાસભામાં હોદ્દો, મંત્રી કે પ્રધાનપદ, જાહેર સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દો, સંચાલક, તબીબ, સોના- ચાંદીનો વ્યાપાર કરનાર ઝવેરી, જીવનને જરૂરી અન્ન કે ઘાસનો વ્યાપાર, ઊનનો વ્યવસાય. ચન્દ્ર: સુશુશ્રા કરનાર, પરિચારિકા, દાયણ, સ્ત્રીઓના રોગોના તબીબ, સ્ત્રીઓના કલ્યાણને લગતા વ્યવસાય, પ્રજા સાથે સંપર્કમાં રહેનાર, બાળકોને લગતો વ્યવસાય, મુસાફરીઓ, નૌકાસૈન્ય, દરિયાને લગતો વ્યવસાય, દરિયામાંથી ઉત્પન થતી વસ્તુઓ છીપ, મોતી, નિમક, વહાણ, માછલીઓને લગતો વ્યવસાય, ખલાસી, વહાણવટુ કરનાર, રસોઈયો, ભોજનાલય, ખાદ્ય પદાર્થોનો વ્યવસાય, આયાત/નિકાસ, પાણી કે પ્રવાહીને લગતા વ્યવસાય, કૃષિ, પશુધન, જમીનની સિંચાઈ, પાણી પૂરવઠો, વસ્ત્રો. મંગળ: અગ્નિ, ઉર્જા, ધાતુ, પહેલવૃત્તિ, સાહસી કાર્યો

મુંબઈ સમાચાર પંચાંગ વિ.સં.૨૦૬૯–૨૦૭૦ (તા.૧૪.૧૧.૨૦૧૨ થી તા.૩૦.૦૩.૨૦૧૪)

પ્રિય વાચકમિત્રો, મુંબઈ સમાચાર પંચાંગ વિ.સં.૨૦૬૯–૨૦૭૦ (તા.૧૪.૧૧.૨૦૧૨ થી તા.૩૦.૦૩.૨૦૧૪)માં આપ મારો ‘પરિવર્તન યોગનું મહત્વ’ એ વિષય પરનો લેખ વાંચી શકશો. લેખ વાંચીને આપના પ્રતિભાવો ચોક્કસ જણાવશો.