પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2009 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

આકાશ પરિચય

પૃથ્વી અને બાકીનાં ગ્રહો સૂર્ય આસપાસ પરિભ્રમણ કરે છે. વિજ્ઞાનની આ પરિભાષાને Heliocentric model કહેવામાં આવે છે. ભારતીય જ્યોતિષમાં પૃથ્વીને કેન્દ્રબિંદુ ગણવામાં આવે છે અને સૂર્ય પૃથ્વી આસપાસ પરિભ્રમણ કરી રહ્યો છે એવું માનવામાં આવે છે. આ પરિકલ્પનાને Geocentric model કહેવામાં આવે છે. જ્યોતિષને સમજવાં માટે ભારતીય જ્યોતિષની આ પરિકલ્પના સમજવી જરૂરી છે. પૃથ્વી પોતાની ધરી પર સતત ભમરડાંની જેમ પશ્ચિમથી પૂર્વ તરફ ફરતી રહે છે અને ૨૪ કલાકની અંદર પોતાનું એક ભ્રમણ પૂરું કરે છે. પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ફરતી હોવાને લીધે પૃથ્વી પરથી જોનારને સૂર્ય દરરોજ પૂર્વમાં ઉગતો અને પશ્ચિમમાં આથમી જતો દેખાય છે. આપણે ટ્રેનમાં બેઠાં હોઇએ અને જે રીતે બહાર માર્ગ પર સ્થિર ઉભેલાં વૃક્ષો ટ્રેનની વિરૂધ્ધ દિશામાં જતાં દેખાય છે તે જ રીતે પૃથ્વી પરથી નિરિક્ષણ કરતાં સૂર્ય અને બીજાં સ્થિર તારાઓ પૃથ્વીનાં ભ્રમણની વિરૂધ્ધ દિશા એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ જતાં દેખાય છે. આકાશમાં જુદાં-જુદાં સ્થિર તારક વૃંદો રહેલાં છે. તારાઓના આ સમૂહો એકબીજાથી સ્પષ્ટ રીતે અલગ જોઇ શકાય છે. આ તારક વૃંદોને આપણે નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ. પૃથ્વી પરથી બાર

જ્યોતિષ પરિચય

જ્યોતિષ શબ્દની સંધિ છૂટી પાડીએ તો જ્યોતિ + ઈશ થાય. અર્થાત ઈશ્વરની જ્યોતિ. જ્યોતિનું કામ છે પ્રકાશ પાથરવાનું. જે વસ્તુ, ઘટના કે પરિસ્થિતિ આપણે આપણી સામાન્ય આંખો વડે સામાન્ય પ્રકાશમાં જોઈ શકતાં નથી તે ઈશ્વરની જ્યોતિ એટલે કે જ્યોતિષની મદદ વડે જોઈ શકાય છે. જ્યોતિષ એ જ્યોત પ્રગટાવનાર વિજ્ઞાન છે, ઈશ્વરની નજીક લઈ જતું શાસ્ત્ર છે. જ્યોતિષ એ વેદોનું એક અંગ છે. વેદ એ સદીઓ પુરાણા પવિત્ર ગ્રંથો છે જેમાં તમામ વિષયોનું જ્ઞાન છુપાયેલું છે. વેદોમાં છુપાયેલાં આ જ્ઞાનને સમજવાં માટે અમુક ચોક્કસ વિષયો શીખવા જરુરી છે. આ વિષયો વેદાંગ એટલે કે વેદોનાં અંગ તરીકે ઓળખાય છે. વેદનાં કુલ છ અંગ છે. ૧. જ્યોતિષ ૨. વ્યાકરણ ૩. શિક્ષા ૪. નિરુક્ત ૫. કલ્પ ૬. છંદ. આ છ અંગોમાં જ્યોતિષને વેદનાં ચક્ષુ ગણવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ચક્ષુ આપણાં શરીરનું મહત્વનું અંગ છે અને તેનાં વગર આપણી દુનિયા અંધકારમય છે. તે જ રીતે જ્યોતિષ એ વેદોનું મહત્વપૂર્ણ અંગ છે અને તેને સમજ્યાં વગર ગહન જ્ઞાનની પ્રાપ્તિ થવી અસંભવ છે. જ્યોતિષની ત્રણ પ્રમુખ શાખાઓ છે. ૧. સિધ્ધાંત - સિધ્ધાંત એટલે કે નિયમ. આ શાખા જ્યોતિષનાં ગણિત વિભાગને આવરે છે. ગ્રહોની સ્થ

કન્યા રાશિમાં શનિ અને પનોતી

જ્યારે જન્મનાં ચન્દ્ર/રાશિથી ૧૨, ૧ અને ૨ સ્થાનોમાંથી શનિ પસાર થાય ત્યારે તેને મોટી પનોતી અથવા સાડાસાતી આવી એમ કહેવાય છે. શનિને એક રાશિમાંથી પસાર થતાં લગભગ અઢી વર્ષ લાગે છે. આમ ત્રણ સ્થાનમાંથી પસાર થતાં શનિને સાડા સાત વર્ષ લાગે છે. આથી તેને સાડાસાતી કહેવાય છે. શનિ જ્યારે બારમે આવે ત્યારે માથા પર, પહેલે આવે ત્યારે છાતી પર અને બીજે આવે ત્યારે પગ પર પનોતી આવી એમ કહેવાય. આ સિવાય જ્યારે જન્મનાં ચન્દ્ર/રાશિથી ૪ અને ૮ સ્થાનોમાંથી શનિ પસાર થાય ત્યારે નાની પનોતી આવી એમ કહેવાય છે. જેનો સમયગાળો અઢી વર્ષનો હોય છે. પનોતી એ ચન્દ્ર સાથે સંબંધિત હોવાથી અને ચન્દ્ર આપણાં મનને અસર કરનારો ગ્રહ હોવાથી પનોતી શરુ થાય ત્યારે ચન્દ્રની સ્થિતિ જોવાય છે. પનોતીનાં પ્રારંભ સમયે ગોચરનો ચન્દ્ર જન્મનાં ચન્દ્રથી ક્યા સ્થાને છે તેના પરથી પનોતીનો પાયો નક્કી થાય છે. આ પાયાને આધારે પનોતી અનુકૂળ રહેશે કે પ્રતિકૂળ તે જાણી શકાય છે. શનિ જ્યારે રાશિ બદલે ત્યારે એટલે કે પનોતી શરુ થાય ત્યારે જો ગોચરનો ચન્દ્ર જન્મનાં ચન્દ્રથી ૩, ૭ કે ૧૦ સ્થાન સ્થિત હોય તો તાંબાનો પાયો ગણાય છે. આ પાયો અનુકૂળ ગણાય છે અને પનોતીનાં પ્રતિકૂળ પ્રભાવને કં