પોસ્ટ્સ

ઑગસ્ટ, 2008 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

નીચભંગ રાજયોગ

દરેક ગ્રહ કોઈ એક ચોક્કસ રાશિમાં ઉચ્ચનો થાય છે અને પોતાની એ ઉચ્ચ રાશિથી સાતમી રાશિમાં નીચનો થાય છે. નીચનો ગ્રહ નબળો ગણાય છે. નીચનો ગ્રહ જે ભાવનો અધિપતિ હોય તે ભાવ તથા જે ભાવ સ્થિત હોય તે ભાવને લગતી સમસ્યાઓ સૂચવે છે. નીચનો ગ્રહ જે બાબતોનો કારક હોય તે બાબતે પણ સમસ્યાઓ આપે છે. નીચના ગ્રહની દશા તક્લીફદાયક પસાર થાય છે. કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓમાં નીચના ગ્રહોનું નીચત્વ ભંગ થાય છે અને તે રાજયોગનું ફળ આપે છે. રાશિ પરિસ્થિતિ સૂચવે છે. જ્યારે ગ્રહ નીચ રાશિ સ્થિત હોય ત્યારે જાતક પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરે છે. પ્રારંભમાં તે પીડા ભોગવે છે. પરંતુ જ્યારે નીચભંગ કરનાર ગ્રહની દશા આવે છે ત્યારે પરિસ્થિતિ અનુકૂળ બની જાય છે. નીચભંગ રાજયોગ એટલે જાણે કે મરણપથારીએ પડેલાં દર્દીને મળેલી સમયસરની તબીબી સારવાર. નીચેની પરિસ્થિતિઓમાં નીચભંગ રાજયોગનું નિર્માણ થાય છે. ૧. નીચનો ગ્રહ જે રાશિ સ્થિત હોય તે રાશિનો સ્વામી જન્મલગ્ન કે ચન્દ્રલગ્નથી કેન્દ્રસ્થાનમાં સ્થિત હોય. દા.ત. શનિ મેષ રાશિ સ્થિત હોય તો મંગળ જન્મલગ્ન/ચન્દ્રલગ્નથી કેન્દ્રસ્થાનમાં હોય. અહીં મંગળ મેષ રાશિનો સ્વામિ છે. ૨. નીચનો ગ્રહ જે રાશિમાં ઉચ્ચનો થતો