પોસ્ટ્સ

એપ્રિલ, 2010 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગુરુનો મીન રાશિમાં પ્રવેશ

દેવોના ગુરુ અને જ્ઞાનનો ભંડાર એવાં શ્રી ગુરુ મહારાજ તા.૨.૫.૨૦૧૦ના રોજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. તા.૨૩.૭.૨૦૧૦થી ગુરુ વક્રી થશે અને તા.૧.૧૧.૨૦૧૦ના રોજ વક્ર ગતિથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. તા.૧૮.૧૧.૨૦૧૦થી ગુરુ માર્ગી થશે અને તા.૬.૧૨.૨૦૧૦ના રોજ ફરીથી મીન રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ તા.૮.૫.૨૦૧૧ સુધી મીન રાશિમાં ગોચર ભ્રમણ કરશે. ગુરુનું મીન રાશિમાં થતું આ ગોચર ભ્રમણ બારેય રાશિઓને કેવું ફળ આપશે તે જોઈએ. અહીં એ નોંધવુ જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો, દશા-મહાદશા, જે-તે ભાવને અષ્ટકવર્ગમાં મળેલાં બિંદુઓ વગેરે પર સૂક્ષ્મ ફળનો આધાર રહેલો છે. મેષ ગુરુનું દ્વાદશ ભાવમાં ભ્રમણ - પરદેશની મુસાફરી, વિદ્યાર્થીઓનું ઉચ્ચ અભ્યાસ અર્થે પરદેશગમન, નાણાકીય જાવકમાં વધારો, દાન-ધર્માદા અને ધાર્મિક કાર્યો જેવા શુભ હેતુઓ પાછળ નાણાકીય ખર્ચ, નવા જમીન-મકાન-વાહનની ખરીદી શક્ય, વતનની મુલાકાત, લોન પ્રાપ્તિમાં સફળતા, ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્‍નતિ, પ્રગતિનાં માર્ગ આડે આવતા અવરોધો દૂર કરવામાં સફળતા. વૃષભ ગુરુનું એકાદશ ભાવમાં ભ્રમણ - ધનલાભ, નાણાકીય આવકમાં વધારો, ભાઈ-બહેનો ત

વક્રી ગ્રહો - ૧

જ્યારે કોઈ ગ્રહ પોતાનાં માર્ગમાં આગળ વધવાને બદલે પાછળ જતો દેખાય ત્યારે તે ગ્રહ વક્રી થયો કહેવાય છે. સામાન્ય રીતે ગ્રહો રાશિચક્રની દિશામાં એટલે કે મેષથી વૃષભ તરફ ગતિ કરે છે. રાશિચક્રની દિશામાં ગતિ કરતાં ગ્રહોને માર્ગી ગ્રહો કહેવાય છે. પરંતુ ક્યારેક ગ્રહો રાશિચક્રથી ઉલટી દિશામાં એટલે કે મેષથી મીન તરફ જતાં દેખાય છે. રાશિચક્રથી ઉલટી દિશામાં ગતિ કરતાં ગ્રહોને વક્રી ગ્રહો કહેવાય છે. અહીં હકિકતમાં ગ્રહ પાછળ જતો નથી પરંતુ પૃથ્વી પરથી જોતાં ગ્રહ પાછળ તરફ ગતિ કરતો હોય તેવો દ્રષ્ટિ ભ્રમ થાય છે. આ દ્રષ્ટિ ભ્રમ શા કારણે થાય છે તે ઉદાહરણ દ્વારા સમજીએ. ધારોકે આપણે એક ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છીએ. આપણી બાજુનાં પાટા પરથી બીજી ટ્રેન પસાર થઈ રહી છે. બીજી ટ્રેન આપણે જે દિશામાં જઈ રહ્યા છીએ તે જ દિશામાં જઈ રહી છે. પરંતુ તે ટ્રેનની ગતિ આપણી ટ્રેન કરતાં ધીમી છે. એક સમય એવો આવશે કે આપણી ટ્રેન બાજુની ટ્રેનની સાથે થઈ જશે અને થોડીવારમાં બાજુની ટ્રેનને પાછળ મૂકીને આપણી ટ્રેન આગળ વધી જશે. જ્યારે આપણી ટ્રેન બાજુની ટ્રેનની સાથે થશે ત્યારે થોડી ક્ષણ પૂરતી બંને ટ્રેનની ગતિ સરખી લાગશે અને ટ્રેન સ્થંભી ગઈ હોય તેવું જણ

ગ્રહોનો અસ્ત

જ્યારે કોઈ ગ્રહ સૂર્યથી નજીક આવે ત્યારે સૂર્યના તેજને લીધે પોતાનું બળ ગુમાવી બેસે છે. તેને ગ્રહનો અસ્ત થયો કહેવાય છે. સામાન્ય રીતે સૂર્યથી આગળ કે પાછળ ૧૦ અંશનાં અંતરે આવતાં ગ્રહનો અસ્ત થાય છે. પ્રત્યેક ગ્રહનાં અસ્ત પામવાના ચોક્ક્સ અંશો નીચે મુજબ છે. ચન્દ્ર - ૧૨ અંશ મંગળ - ૧૭ અંશ બુધ - ૧૪ અંશ; વક્રી હોય ત્યારે ૧૨ અંશ ગુરુ- ૧૧ અંશ શુક્ર - ૧૦ અંશ; વક્રી હોય ત્યારે ૮ અંશ શનિ - ૧૫ અંશ બહિર્વર્તી ગ્રહો મંગળ, ગુરુ અને શનિ ક્યારેય એકસાથે વક્રી અને અસ્ત થતાં નથી. જ્યારે ગ્રહનો અસ્ત થાય છે ત્યારે ગ્રહ જે સ્થાનનો અધિપતિ હોય તે સ્થાનને લગતી બાબતો અને પોતાના કારકત્વને લગતી બાબતોનું ફળ આપવા માટે નિર્બળ બને છે. ગ્રહ જ્યારે અસ્ત પામે છે ત્યારે તેનાં કારકત્વને લગતી આંતરિક બાબતોને કોઈ હાનિ પહોંચતી નથી પરંતુ ફક્ત બાહય બાબતોને હાનિ પહોંચે છે. દા.ત. જ્યારે બુધનો અસ્ત થાય ત્યારે બુધ્ધિ અને વિશ્લેષણાત્મક શક્તિ કે જે આંતરીક બાબતો છે તેમાં વધારો થાય છે. પરંતુ બાહ્ય બાબત જેવી કે ચામડીને હાનિ પહોંચે છે. શુક્ર અસ્ત પામે ત્યારે સર્જનાત્મક શક્તિ અને કલા પ્રત્યેની રુચિમાં વધારો થાય છે પરંતુ લગ્નજીવનને હાનિ પહોંચે છે

દ્રષ્ટિ

જ્યોતિષમાં દ્રષ્ટિ એટલે કે કોઈ ભાવ અથવા ગ્રહ પર ધ્યાન કેન્દ્રિત કે એકાગ્ર કરવું. દ્રષ્ટિનાં ત્રણ પ્રકારો છે. ૧. રાશિ દ્રષ્ટિ ૨. ગ્રહ દ્રષ્ટિ ૩. સ્ફૂટ દ્રષ્ટિ અત્યારે આપણે અહીં માત્ર ગ્રહ દ્રષ્ટિ વિશે ચર્ચા કરીશું. ગ્રહ દ્રષ્ટિ એટલે કે ગ્રહો દ્વારા કરાતી દ્રષ્ટિ. ગ્રહો પોતાની દ્રષ્ટિ દ્વારા ભાવને અને ભાવમાં રહેલાં ગ્રહોને પ્રભાવિત કરે છે. ગ્રહની દ્રષ્ટિ એ ગ્રહની જે-તે ભાવ સંબંધિત બાબતોમાં રહેલી ઈચ્છા કે રુચિનો સંકેત કરે છે. દરેક ગ્રહો પોતે જે સ્થાન સ્થિત હોય ત્યાંથી સપ્તમ ભાવમાં અને સપ્તમ ભાવમાં રહેલાં ગ્રહોમાં રુચિ ધરાવે છે. એટલે કે દરેક ગ્રહ પોતે જે સ્થાન સ્થિત હોય ત્યાંથી સપ્તમ ભાવ પર પૂર્ણ દ્રષ્ટિ કરે છે. આ ઉપરાંત બહિર્વર્તી ગ્રહો મંગળ, ગુરુ અને શનિને વધારાની દ્રષ્ટિ આપવામાં આવી છે. મંગળ પોતાના સ્થાનથી ૪ અને ૮, ગુરુ ૫ અને ૯ અને શનિ ૩ અને ૧૦ સ્થાનો પર પૂર્ણ દ્રષ્ટિ કરે છે. રાહુ-કેતુ અન્ય ગ્રહોની માફક ભૌતિક અસ્તિત્વ ધરાવતાં ન હોવાથી તેમને કોઈ દ્રષ્ટિ આપવામાં આવી નથી. અન્ય મત મુજબ કેતુ દ્રષ્ટિહીન છે. પરંતુ રાહુ પોતાનાં સ્થાનથી ૧૨, ૫, ૭ અને ૯માં સ્થાન પર દ્રષ્ટિ કરે છે. રાહુ હંમેશા વક્ર