પોસ્ટ્સ

ફેબ્રુઆરી, 2013 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પંચક એટલે શું?

પંચક એટલે પાંચનો સમૂહ. દર મહિને ચન્દ્રના કુંભ અને મીન રાશિમાંથી પસાર થવાના સમયને પંચક કહેવામાં આવે છે. ભારતીય જ્યોતિષ અનુસાર એક રાશિચક્ર ૧૨ રાશિઓ અને ૨૭ નક્ષત્રોનું બનેલું છે. ચન્દ્ર આશરે ૨૭ દિવસમાં રાશિચક્રનું એક ભ્રમણ પૂરું કરે છે. એટલે કે એક રાશિમાંથી પસાર થતા ચન્દ્રને આશરે સવા બે દિવસ જેટલો સમય લાગે. કુંભ અને મીન એ બે રાશિઓમાંથી પસાર થતા ચન્દ્રને આશરે પાંચ દિવસ લાગે છે. આથી આ પાંચ દિવસનાં સમૂહને પંચક કહેવામાં આવે છે. ઉપરાંતમાં કુંભ અને મીન રાશિમાં કુલ પાંચ નક્ષત્રો સમાયેલા છે. આથી આ પાંચ નક્ષત્રોના સમૂહને લીધે પણ ચન્દ્રના આ પાંચ નક્ષત્રમાંથી પસાર થવાના કાળને પંચક કહેવામાં આવે છે. પંચકનો પ્રારંભ ધનિષ્ઠાના ત્રીજા ચરણથી થાય છે અને શતભિષા, પૂર્વભાદ્રપદ, ઉત્તરભાદ્રપદમાંથી પસાર થઈ રેવતિ નક્ષત્રની સમાપ્તિએ અંત પામે છે. બીજા શબ્દોમાં ચન્દ્ર જ્યારે કુંભ રાશિમાં પ્રવેશ કરે ત્યારે પંચકનો પ્રારંભ થાય છે અને મેષ રાશિમાં પ્રવેશ કરે એટલે અંત આવે છે. પંચક કાળ દરમિયાન પાંચ કાર્યો કરવા વર્જિત ગણવામાં આવ્યા છે. ઘાસ, લાકડું વગેરે ઈંધણ એકઠું કરવું, દક્ષિણ દિશાની યાત્રા કરવી, ઘર પર છત નાખવી, પલંગ

કયા વારે કઈ પ્રવૃત્તિ કરશો?

વાર એટલે કે ફેરો, ફરતે જવું. વાર પંચાંગના પાંચ અંગોમાનું એક અંગ છે (પંચાંગ = પાંચ અંગ = વાર, તિથિ, નક્ષત્ર, યોગ, કરણ). સાત ગ્રહોના નામ પરથી સાત વારના નામ પડેલાં છે. સર્વે ગ્રહોની ગતિ પ્રમાણે તેમનો ક્રમ છેલ્લેથી એટલે કે સૌથી ધીમી ગતિના ગ્રહથી શરૂ કરીને સૌથી ઝડપી ગતિ ધરાવતા ગ્રહ પ્રમાણે લઈએ તો શનિ, ગુરુ, મંગળ, સૂર્ય, શુક્ર, બુધ અને ચન્દ્ર એમ ગોઠવાય. આમાંનો પ્રથમ ગ્રહ શનિ લઈને ત્યારબાદ ચોથો ગ્રહ ફરી ફરી લઈએ તો સાતે વાર ક્રમ પ્રમાણે આવશે. પશ્ચિમી કેલેન્ડરમાં વાર એક મધ્યરાત્રિ એટલે કે રાત્રે ૧૨ કલાકે શરૂ થઈને બીજી મધ્યરાત્રિએ સમાપ્ત થાય છે. જ્યારે હિંદુ કેલેન્ડર અને જ્યોતિષ મુજબ વાર એક સૂર્યોદયથી શરૂ થઈને બીજા સૂર્યોદયે સમાપ્ત થાય છે. દરેક વારનું નામ જે-તે દિવસે સૂર્યોદય સમયે રહેલી હોરાના સ્વામી પરથી પાડવામાં આવ્યું છે. પંચાંગના પાંચેય અંગો પાંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં વાર એ અગ્નિતત્વનું પ્રતિનિધિત્વ કરે છે (વાર = અગ્નિતત્વ, તિથિ = જળતત્વ, કરણ = પૃથ્વીતત્વ, નક્ષત્ર = વાયુતત્વ, યોગ = આકાશતત્વ). વારને બીજા શબ્દમાં વાસર પણ કહેવામાં આવે છે. ‘વાસ’ એટલે કે વસવું અને ‘૨’ એ

શ્રી કેતુ અષ્ટોત્તર શતનામાવલી ( કેતુના ૧૦૮ નામ)

૧. ૐ કેતવે નમઃ ૨. ૐ સ્થૂલશિરસે નમઃ ૩. ૐ શિરોમાત્રાય નમઃ ૪. ૐ ધ્વજાકૃતયે નમઃ ૫. ૐ નવગ્રહયુતાય નમઃ ૬. ૐ સિંહિકાસુરીગર્ભસંભવાય નમઃ ૭. ૐ મહાભીતિકરાય નમઃ ૮. ૐ ચિત્રવર્ણાય નમઃ ૯. ૐ શ્રીપિંગલાક્ષકાય નમઃ ૧૦. ૐ ફુલ્લધૂમ્રસંકાષાય નમઃ ૧૧. ૐ તીક્ષ્ણદંષ્ટ્રાય નમઃ ૧૨. ૐ મહોદરાય નમઃ ૧૩. ૐ રક્તનેત્રાય નમઃ ૧૪. ૐ ચિત્રકારિણે નમઃ ૧૫. ૐ તીવ્રકોપાય નમઃ ૧૬. ૐ મહાસુરાય નમઃ ૧૭. ૐ ક્રૂરકંઠાય નમઃ ૧૮. ૐ ક્રોધનિધયે નમઃ ૧૯. ૐ છાયાગ્રહવિશેષકાય નમઃ ૨૦. ૐ અન્ત્યગ્રહાય નમઃ ૨૧. ૐ મહાશીર્ષાય નમઃ ૨૨. ૐ સૂર્યારયે નમઃ ૨૩. ૐ પુષ્પવદગ્રાહિણે નમઃ ૨૪. ૐ વરહસ્તાય નમઃ ૨૫. ૐ ગદાપાણયે નમઃ ૨૬. ૐ ચિત્રવસ્ત્રધરાય નમઃ ૨૭. ૐ ચિત્રધ્વજપતાકાય નમઃ ૨૮. ૐ ઘોરાય નમઃ ૨૯. ૐ ચિત્રરથાય નમઃ ૩૦. ૐ શિખિને નમઃ ૩૧. ૐ કુલુત્થભક્ષકાય નમઃ ૩૨. ૐ વૈડૂર્યાભરણાય નમઃ ૩૩. ૐ ઉત્પાતજનકાય નમઃ ૩૪. ૐ શુક્રમિત્રાય નમઃ ૩૫. ૐ મન્દસખાય નમઃ ૩૬. ૐ ગદાધરાય નમઃ ૩૭. ૐ નાકપતયે નમઃ ૩૮. ૐ અન્તર્વેદીશ્વરાય નમઃ ૩૯. ૐ જૈમિનિગો