પોસ્ટ્સ

ફેબ્રુઆરી, 2012 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વાસ્તુશાસ્ત્રના આધારે તિજોરીકક્ષની રચના

છબી
આપણે સૌ કોઈ જીવનમાં ધન-સંપતિનું મહત્વ નકારી શકીએ એમ નથી. ધન આપણને ભૂખ અને ગરીબીની પીડામાંથી બચાવી શકે છે. જીવનને સહ્ય અને આરામદાયક બનાવી આપે છે. હા, એ જરૂર છે કે ધનથી ખુશીને ખરીદી શકાતી નથી. પરંતુ જેમ Groucho Marx કહે છે તેમ, "While money can't buy happiness, it certainly lets you choose your own form of misery.” પ્રામાણિક રીતે અને સાચા રસ્તે ધન કમાવવામાં આવે તો તેમાં કશું જ અયોગ્ય નથી. પરસેવો પાડીને કમાયેલા ધનનો વ્યય ન થાય અને તેનો યોગ્ય રીતે સંગ્રહ થાય તે પણ જરૂરી છે. તે માટે વાસ્તુશાસ્ત્ર આપણી મદદે આવી શકે છે. ધનનો સંગ્રહ કરવાની જગ્યા એટલે તિજોરી અને તિજોરીને રાખવાની જગ્યા એટલે કે તિજોરીકક્ષ. આજે આપણે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તિજોરીકક્ષની રચના કેવી હોવી જોઈએ તે જોઈએ. * વાસ્તુશાસ્ત્ર મુજબ તિજોરીકક્ષ ઉત્તર દિશામા હોવો જોઈએ. ઉત્તર દિશા એ દેવોના ખજાનચી અને ધન-સંપતિના સ્વામી એવા કુબેરની દિશા છે. જો ઉત્તર દિશામાં તિજોરીકક્ષ બનાવવો શક્ય ન હોય તો પૂર્વ દિશામાં બનાવી શકાય. પરંતુ જો તિજોરી ભારે વજનની હોય કે ભારે અલમારી હોય તો દક્ષિણ - પશ્ચિમ દિશા તરફ રાખવી જોઈએ. * તિજોરીકક્ષનો આ

જ્યોતિષ વિષય પરનો ઈન્ટરવ્યૂ

છબી
પ્રિય મિત્રો, નીચે આપેલ લીંક પર ક્લીક કરો અને જુઓ / વાંચો speakbindas.com દ્વારા લેવામાં આવેલ મારો જ્યોતિષ વિષય પરનો ઈન્ટરવ્યૂ. http://www.speakbindas.com/interview-of-astrology-advisor-vinati-davda/ ઈન્ટરવ્યૂમાં ચર્ચાયેલ પ્રશ્નો પ્રશ્ન :  જ્યોતિષ વિદ્યા એટલે શું? એ શું સૂચવે છે? પ્રશ્ન: આપણા જીવનમાં જ્યોતિષનુ મહત્વ શું છે? પ્રશ્ન: વ્યક્તિના જીવનને બહેતર બનાવવા આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો? પ્રશ્ન:  આજકાલ જ્યોતિષશાસ્ત્રીઓ એટલા બધા છે કે કોણ ખરું જ્ઞાન ધરાવે છે તે જાણવું મૂશ્કેલ બની રહે છે. કોઈ વ્યક્તિને પોતાના વિશે જ્યોતિષશાસ્ત્ર શું કહે છે એ જાણવું હોય તો યોગ્ય જ્યોતિષશાસ્ત્રીની પસંદગી કેવી રીતે કરી શકે? કરવી જોઈએ? પ્રશ્નઃ પોતાની કુંડળી શું સૂચવે છે તે જાણવા માટે જ્યોતિષ જાણકારને કેવી રીતે પ્રશ્નો પૂછવા જોઈએ? પ્રશ્નઃ કોમ્પ્યુટરાઈઝ્ડ કુંડળી કેટલી સાચી? શું એના પર આધારિત રહી શકાય? પ્રશ્નઃ જ્યોતિષમા નંગ ધારણ કરવા, પૂજા-પાઠ તેમજ મંત્રો વગેરે - આ બધાનું શું મહત્વ છે? પ્રશ્નઃ જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ ન ધરાવનાર વ્યક્તિઓ કહેતા હોય છે કે હજારો-લાખો કિલોમીટર દૂર આવે