પોસ્ટ્સ

ઑગસ્ટ, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગણેશજી દ્વારા વાસ્તુ દોષનું નિવારણ

છબી
ભાદ્રપદ માસની શુક્લ પક્ષની ચતુર્થીએ સમગ્ર દેશમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ગણેશ ચતુર્થી મહોત્સવ મનાવવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 2 સપ્ટેમ્બર , 2019 ના રોજ મનાવવામાં આવશે. શ્રી ગણેશ વિઘ્ન વિનાયક છે. દરેક પ્રકારના વિઘ્નોને પળભરમાં દૂર કરી દે છે. ભારતભરમાં દરેક ઘરમાં દેવોના દેવ એવાં ભગવાન ગણેશજીની પૂજા-આરાધના કરવામાં આવે છે. ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જ્યાં ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરાયેલી ન હોય! ગણેશજીની નિયમિત પૂજા-આરાધના ઘર અને ઘરના સભ્યોને સુરક્ષા પ્રદાન કરે છે. ઘરમાં પ્રવર્તતી અશુભ શક્તિઓને નષ્ટ કરીને ઘરને ધન-ધાન્ય અને સુખથી પરિપૂર્ણ કરે છે. લોકોના ગણેશજી પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસનો પડઘો વાસ્તુમાં પણ પડે છે. ગણેશજીની પ્રતિમા અને પ્રતીક ચિહ્નો વાસ્તુ દોષ નિવારણમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પૂજા-આરાધના અને ઘરની સુખ-શાંતિ હેતુ ઉપરાંત વાસ્તુ દોષ નિવારણ અર્થે ગણેશજીને ઘરમાં સ્થાન આપવામાં આવે છે. અન્ય વાસ્તુ દોષ નિવારણ યંત્રો કરતાં ગણેશજીની વાસ્તુ દોષ નિવારણ યંત્રના રૂપમાં સ્થાપના નિશ્ચિતપણે વધુ લાભ આપે છે. આવો જાણીએ કે ગણેશજીની સ્થાપનાથી ક્યાં-ક્યાં લાભની પ્રાપ્તિ થાય છે.

રોહિણી : ભગવાન શ્રીકૃષ્ણનું જન્મનક્ષત્ર

છબી
શ્રાવણ માસ કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઘનઘોર અંધારી મધ્યરાત્રિના રોહિણી નક્ષત્રમાં મથુરાના કારાવાસમાં વસુદેવની પત્ની દેવકીના ગર્ભથી ભગવાન શ્રીકૃષ્ણએ જન્મ લીધો હતો. સમગ્ર ભારત દેશમાં દર વર્ષે અષ્ટમી તિથિએ સૂર્ય સિંહ રાશિમાં હોય અને ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હોય ત્યારે શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. રોહિણી નક્ષત્રમાં જન્મ લેનાર સુંદર , આનંદી , શાંત અને મોહિત કરનાર હોય છે. ભગવાન શ્રીકૃષ્ણની મોહિનીથી કોણ બચી શક્યું છે ? સંસ્કૃતમાં રોહિણી એટલે રાતું કે લાલ . તે રાતી ગાય પણ કહેવાય છે. લાલ રંગ પ્રેમ , ઉત્કટતા અને વિષયાસક્તતાનું પ્રતીક છે. રોહ શબ્દનો અર્થ વિકાસ અથવા ઉન્નતિ કરવી થાય છે. રોહણ એટલે કે સવારી કરવી કે સવારી કરનાર. રોહિણી નક્ષત્ર જીવનમાં ધીરે-ધીરે આરોહણ એટલે કે પ્રગતિ કરાવનાર અને ઊંચે લઈ જનાર હોય છે. રોહિણી નક્ષત્રમાં જન્મનાર ભગવાન શ્રીકૃષ્ણના જન્મલગ્ન પર પણ રોહિણી નક્ષત્રનો પ્રબળ પ્રભાવ હતો. ન ક્ષતિ ઈતિ નક્ષત્ર એટલે કે જેનો નાશ નથી થતો તે નક્ષત્ર. આકાશમાં જુદા-જુદા સ્થિર તારક સમૂહો રહેલાં છે. તારાઓનાં આ સમૂહો એકબીજાથી સ્પષ્ટ રીતે અલગ જોઈ શકાય છે. આ તારક વૃંદોને આપણ

સ્વરાશિ સિંહમાં સૂર્યના ભ્રમણની ભવ્યતા

છબી
17 ઓગસ્ટ , 2019 ના રોજ 13.03 કલાકે નવગ્રહોમાં રાજા એવાં સૂર્ય મહારાજની સવારી સ્વરાશિ સિંહમાં પધારશે. સિંહ રાશિમાં સૂર્યનું આવવું એટલે કે જાણે રાજાનું પોતાના દરબારમાં સિંહાસન પર આસન ગ્રહણ કરવું. અહીં હવે સૂર્ય તેજથી ઝળહળીત છે , ભવ્ય છે , ભપકાદાર છે , સામર્થ્યવાન છે. સિંહ રાશિમાં આવીને સૂર્ય બળવાન બને છે અને પોતાના ગુણોનું ફળ આપવા સંપૂર્ણ રીતે સમર્થ બને છે. રાજાના બળવાન બનવાથી અન્ય ગ્રહ પ્રજા પણ પોતાનું ફળ આપવા સક્ષમ બને છે. સિંહ રાશિમાં સૂર્યના ભ્રમણનો સમય જીવનની અને જાતની ભવ્યતાને માણવાનો છે. વ્યક્તિગત ઈચ્છાઓ અને સપનાઓને માન આપવાનો છે. ટોળામાંના એક બનીને રહેવા કરતાં કંઈક નોખું કે અનોખું કરવાનો છે. સિંહ રાશિનો સૂર્ય આપણી જીવનશક્તિ અને મહાત્વાકાંક્ષાઓને પાંખ આપે છે. નવું સર્જન કે નવી શરૂઆત કરવાનું બળ પૂરું પાડે છે. તમે જીવનમાં જે કરી ચૂક્યાં છો કે કરી રહ્યાં છો તે માટે ગર્વ અનુભવો છો ? જો જવાબ ના હોય તો આ સમય એને બદલવાનો છે. સિંહ રાશિમાં સૂર્ય એક માસ એટલે કે 17 સપ્ટેમ્બર , 2019 સુધી ગોચર ભ્રમણ કરશે. સકારાત્મક રીતે આ ભ્રમણ વ્યક્તિત્વને ઉદાર અને ગૌરવપૂર્ણ બનાવી શકે તો નકારાત્

ગુરુ થશે માર્ગી - કેવું આપશે ફળ?

છબી
Image credit: NASA / JPL-Caltech / SwRI / MSSS / David Marriott.  નવગ્રહોમાં દેવગુરુ બૃહસ્પતિને ધન-સંપત્તિ અને જ્ઞાનના કારક ગ્રહ માનવામાં આવ્યાં   છે. 29 માર્ચ , 2019 ના રોજ ગુરુએ ધનુ રાશિમાં પ્રવેશ કર્યો હતો અને 10 એપ્રિલ , 2019 ના રોજથી વક્રી બનેલ છે. ગ્રહનું વક્રી થવું એટલે કે ગ્રહનો ઉલટી ગતિથી ચાલવાનો આભાસ થવો. વક્રી થવાને કારણે ગુરુએ 24 દિવસ જેટલાં ટૂંકા ગાળા માટે ધનુ રાશિમાં રહીને ફરી 23 એપ્રિલ , 2019 ના રોજ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી ગુરુ મહારાજ વૃશ્ચિક રાશિમાં વક્રી ગોચર ભ્રમણ કરી રહ્યાં છે. હવે 11 ઓગસ્ટ , 2019 ના રોજ માર્ગી થઈને વૃશ્ચિક રાશિમાં 5 નવેમ્બર , 2019 સુધી ગોચર ભ્રમણ કરશે. માર્ગી અર્થાત ગ્રહનું સીધી ગતિએ ચાલવું. ગુરુના આ વૃશ્ચિક રાશિમાં માર્ગી ભ્રમણનો બારેય રાશિઓ પર કેવો પ્રભાવ પડશે તે જોઈએ.   અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીના ગ્રહો પર રહેલો છે.   મેષ (અ , લ , ઈ): ગુરુ અષ્ટમસ્થાનમાંથી ગોચર ભ્રમણ કરી રહ્યો છે. માર્ગી થતાં વારસાગત કે ગુપ્ત ધનની પ્રાપ્તિ થઈ શકે છે. જીવનસાથી દ્વારા ધનલાભ થવાની

કેવાં છે તમારા મિત્રો અને મૈત્રી સંબંધો?

છબી
હાલમાં 3 0 જુલાઈના રોજ ‘ ઈન્ટરનેશનલ ફ્રેન્ડશીપ ડે ’ મનાવવામાં આવ્યો. ભારતમાં આ દિવસ ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે એટલે કે આ વર્ષે 4 ઓગસ્ટ , 2019 ના રોજ મનાવવામાં આવશે. શું કહે છે જ્યોતિષ મિત્રો અને મિત્રતા વિશે ? જન્મકુંડળીમાં એકાદશ એટલે કે અગિયારમો ભાવ સ્વજાતિના મિત્રોનો નિર્દેશ કરે છે. એકાદશભાવથી સપ્તમભાવ એટલે કે પંચમભાવ વિજાતીય મિત્રોનો નિર્દેશ કરે છે. પંચમભાવ એ પ્રેમનો ભાવ છે. સામાન્ય રીતે વ્યક્તિ પોતાનાં વિજાતીય મિત્ર સાથે જ પ્રેમમાં પડતી હોય છે. તૃતીયભાવ નજીકના મિત્રનો નિર્દેશ કરે છે. એવો મિત્ર કે જેને તમે ભાઈ સમાન ગણો છો. આમ છતાં એકાદશભાવ એ મિત્રતા માટેનો પ્રમુખ ભાવ છે. બારેય રાશિઓ અગ્નિ (1 , 5, 9), પૃથ્વી (2 , 6, 10), વાયુ (3 , 7, 11) અને જળતત્વમાં (4 , 8, 12) વહેંચાયેલી છે. સમાન તત્વની રાશિ કે લગ્ન ધરાવતી વ્યક્તિ સાથે સરળતાથી મૈત્રી સંબંધો રચાય છે. આ ઉપરાંત પૃથ્વી અને જળ તેમજ અગ્નિ અને વાયુ રાશિ/લગ્ન ધરાવતી વ્યક્તિ સાથે સરળતાથી મિત્રતા થાય. જ્યારે અગ્નિ અને જળ તેમજ પૃથ્વી અને વાયુનો વ્યવહાર મિત્રતાપૂર્ણ રહેવાની શક્યતા ઓછી રહે. 11મો ભાવ , 11માં ભાવનાં અધિપતિ , 1