પોસ્ટ્સ

જાન્યુઆરી, 2010 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

બુધ

બધા ગ્રહોમાં બુધ એ સૂર્યથી સૌથી નજીક રહેલો ગ્રહ છે. સૂર્યની નજીક હોવાથી સૂર્યના પ્રકાશને લીધે આકાશમાં હંમેશા જોઈ શકાતો નથી. જ્યારે સૂર્યથી દૂર અંતરે રહેલો હોય ત્યારે જ સૂર્યોદય પહેલાં કે સૂર્યાસ્ત પછી જોઈ શકાય છે. બુધ પૃથ્વીથી ૩ કરોડ ૫૯ લાખ માઈલ દૂર છે. તેનો વ્યાસ લગભગ ૩૨૦૦ માઈલ છે. બુધનુ ગોત્ર અત્રિ છે અને તે મગધ દેશનો સ્વામી છે. પુરાણો અનુસાર બુધ એ ચન્દ્રનો પુત્ર છે. તેની માતા તારા છે. તારા એ ગુરુની પત્ની છે. ચન્દ્રએ તારાનુ અપહરણ કર્યુ હતું. બાદમાં તારાએ બુધને જન્મ આપ્યો હતો. ચન્દ્ર પિતા હોવાને લીધે બુધ સાથે મિત્રતા ધરાવે છે. પરંતુ બુધ ચન્દ્રના પોતાની માતા સાથેના અનુચિત સંબંધને લીધે તેના પ્રત્યે શત્રુતા ધરાવે છે. ચન્દ્ર એટલે કે મન અને બુધ એટલે બુધ્ધિ. આમ મન દ્વારા બુધ્ધિનો જન્મ થયો છે. સૂર્યની જેમ બુધ પણ એક રાશિમાં લગભગ એક માસ સુધી રહે છે. રાશિચક્રનું એક ભ્રમણ પૂર્ણ કરતાં ૧૨ માસ લાગે છે. એક વર્ષમાં ૩ થી ૪ વખત વક્રી થાય છે અને લગભગ ૨૪ દિવસ સુધી વક્રી રહે છે. બુધ આકર્ષક દેખાવ ધરાવતો નપુંસક જાતિનો ગ્રહ છે. શુભગ્રહની સાથે શુભ અને અશુભગ્રહની સાથે અશુભ છે. ઉત્તર દિશાનો અને શરદ ઋતુનો સ્વામી

મંગળ

મંગળ એ બહિર્વતિ ગ્રહ છે. બીજા બહિર્વતિ ગ્રહો ગુરુ અને શનિ કરતાં પૃથ્વીથી નજીક છે. મંગળ પૃથ્વીથી આશરે ૧૪ કરોડ ૧૫ લાખ માઈલ દૂર છે. પૃથ્વી કરતાં નાનો ગ્રહ છે. તેનો વ્યાસ લગભગ ૪૨૦૦ માઈલ છે. મંગળ એટલે કે શુભ. મંગળ એ અંગારક અને ભૌમ તરીકે પણ ઓળખાય છે. સંસ્કૃતમાં અંગારક એટલે બળતો કોલસો અને ભૌમ એટલે ભૂમિનો પુત્ર. મંગળ એ પૃથ્વીનો પુત્ર ગણાય છે. પુરાણોમાં મંગળના જન્મ અંગેની જુદી-જુદી કથાઓ વર્ણવેલી છે. એક કથા અનુસાર મંગળને કાર્તિકેય તરીકે ઓળખવામાં આવ્યાં છે. જે શિવના પુત્ર છે. મંગળનુ ગોત્ર ભારદ્વાજ છે અને તેઓ અવન્તિ દેશના સ્વામી છે. તેમણે લાલ રંગના વસ્ત્ર અને માળા ધારણ કર્યા છે. ચાર ભુજાઓ છે. તેમના હથિયાર શક્તિ, ત્રિશુળ અને ગદા છે. વાહન ઘેટું છે. મંગળ એક રાશિમા લગભગ દોઢ માસ રહે છે. તેને રાશિચક્રનું એક ભ્રમણ પૂર્ણ કરતાં આશરે ૧૮ માસ લાગે છે. ૮૦ દિવસ સુધી વક્રી બને છે. મંગળ એ લાલ આંખો ધરાવતો, અસ્થિર, ઉદામતવાદી, આક્રમક સ્વભાવ ધરાવતો ગ્રહ છે. તે ઓછી ઊંચાઈ, લાલાશ પડતો વર્ણ અને પાતળી કમર ધરાવે છે. પુરુષ જાતિનો પાપગ્રહ છે. દક્ષિણ દિશા અને ગ્રીષ્મ ઋતુનો સ્વામી છે. ક્ષત્રિય વર્ણનો, ઉગ્ર સ્વભાવ ધરાવતો તામસિક

ચન્દ્ર

ચન્દ્ર એ પૃથ્વીથી સૌથી નજીક રહેલો ગ્રહ છે. પૃથ્વીનો ઉપગ્રહ છે. આ એકમાત્ર ગ્રહ છે જે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. તે પૃથ્વીથી આશરે ૨,૩૮,૯૦૦ માઈલ દૂર છે. સંસ્કૃતમાં ચન્દ્ર એટલે કે તેજસ્વી અને ચળકતું. ચન્દ્રને સોમ પણ કહેવાય છે. સોમ એ પવિત્ર માદક રસ છે. પુરાણો અનુસાર અત્રિ ઋષિએ વરદાન માગવાથી ચન્દ્રએ તેમનાં ઘેર જન્મ લીધો હતો. અન્ય મત અનુસાર ચન્દ્ર એ સમુદ્ર મંથન દરમ્યાન પ્રગટેલાં ચૌદ રત્નોમાંનો એક છે. ચન્દ્ર યમુના પ્રદેશનો સ્વામી છે. ચન્દ્રને મસ્તક પર ધારણ કરીને ભગવાન શંકર ચન્દ્રશેખર કહેવાયા છે. ચન્દ્ર ભગવાન શંકરનો પરમ ભક્ત છે. શંકરની ઉપાસનાથી ચન્દ્ર પ્રસન્ન થાય છે. તે બુધનો પિતા છે. બુધની માતા ગુરુની પત્ની તારા છે. ચન્દ્રએ દક્ષ પ્રજાપતિની ૨૭ પુત્રીઓ કે જે ૨૭ નક્ષત્રો છે તેમની સાથે લગ્ન કર્યા હતા. બધી દક્ષપુત્રીઓમાં રોહિણી ચન્દ્રને સૌથી વધુ પ્રિય હતી. રોહિણી નક્ષત્રનો સમાવેશ વૃષભ રાશિમાં થાય છે. જે ચન્દ્રની ઉચ્ચ રાશિ છે. બધાં ગ્રહોમાં ચન્દ્ર સૌથી ઝડપી ગતિ ધરાવતો ગ્રહ છે. તે એક રાશિમાં આશરે સવા બે દિવસ રહે છે. રાશિચક્રનું એક ભ્રમણ લગભગ ૨૭ દિવસ ૭ કલાક અને ૪૩ મિનિટમાં પૂર્ણ કરે છે. સૂર્યની જેમ

સૂર્ય

સૂર્ય એ ગ્રહોમાં રાજા છે. તે પથ્વીથી આશરે ૯ કરોડ ૨૯ લાખ માઈલ દૂર છે. વિશાળ ગ્રહ છે. પથ્વી કરતાં લગભગ ૧૧૦ ગણો મોટો છે. સૂર્ય એ કશ્યપ અને અદિતીનો પુત્ર છે. અદિતીનો પુત્ર છે તેથી આદિત્ય કહેવાયો. પુરાણો અનુસાર સૂર્ય સાત અશ્વ લગાવેલાં રથ પર સવાર થઈને સ્વર્ગમાંથી ઉતરે છે. રથનો સારથિ અરૂણ છે. જે સૂર્યની આગળ ઉભો રહીને પોતાનાં વિશાળ શરીરથી સૂર્યનાં તેજને રોકીને આ જગતની રક્ષા કરે છે. સાત અશ્વો એ મેઘધનુષ્યનાં સાત રંગોનું પ્રતીક છે. સૂર્ય કલિંગદેશનો સ્વામી છે. તેઓ શ્રી રામના સૂર્યવંશનાં આદિ પુરુષ છે. કુંતીએ સૂર્યની ઉપાસનાથી જ કર્ણને જન્મ આપ્યો હતો. સૂર્યની સંજ્ઞા નામક રાણી હતી. એક્વાર સંજ્ઞાથી સૂર્યનું તેજ સહન ન થતાં તેણે પોતાનાં પડછાયામાંથી એક પ્રતિકૃતિનું નિર્માણ કર્યું અને તેનામાં પ્રાણ પૂર્યા. આ પ્રતિકૃતિ તે સૂર્યની બીજી પત્ની છાયા. બાદમાં છાયા શનિ નામક પુત્રની માતા બની. સૂર્ય એ જીવન દાતા અને પ્રાણ પ્રદાન કરનાર હોવાથી તેમને પ્રત્યક્ષ દેવતા માની 'સૂર્યદેવ' તરીકે પૂજા કરવામાં આવે છે. સૂર્ય એક રાશિમાં એક માસ સુધી રહે છે. ૧૨ રાશિનાં બનેલાં રાશિચક્રનું એક ભ્રમણ પૂર્ણ કરતાં સૂર્યને એક વર્ષ લ

ગ્રહો

આકાશમાં સ્થિર રહેલાં નક્ષત્ર વૃંદોમાંથી પસાર થતાં કેટલાંક આકાશી પદાર્થો જણાયા. આ આકાશી પદાર્થો એટલે કે ગ્રહો. નક્ષત્રો લગભગ સ્થિર રહે છે. જયારે ગ્રહો એક નક્ષત્ર કે રાશિમાંથી બીજાં નક્ષત્ર કે રાશિમાં ગતિ કરતાં રહે છે. ગ્રહ શબ્દની વ્યુત્પતિ ગ્રહણમાંથી થઈ છે. સંસ્કૃતમાં ગ્રહ એટલે કે પકડવું/ઝાલવું. જે નક્ષત્રોને ગ્રહણ કરી લે, પકડી લે તે ગ્રહ. સૂર્ય, ચન્દ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એમ કુલ સાત ગ્રહો છે. આ સિવાય રાહુ અને કેતુને પણ ભારતીય જ્યોતિષમાં ગ્રહો તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. રાહુ અને કેતુ એ કોઈ દ્રષ્ટ ગ્રહો નથી અને આકાશમાં બીજાં ગ્રહોની માફક જોઈ શકાતાં નથી. રાહુ અને કેતુ ગાણિતીક બિંદુઓ છે. પૃથ્વીની ભ્રમણકક્ષા અને ચન્દ્રની ભ્રમણકક્ષા એકબીજાંને જ્યાં છેદે તે બિંદુઓ રાહુ અને કેતુ તરીકે ઓળખાય છે. ઉત્તરનું છેદનબિંદુ તે રાહુ અને દક્ષિણનું છેદનબિંદુ એ કેતુ. ચન્દ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે અને તે પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે. બાકીનાં મંગળથી શનિ સુધીનાં પાંચ ગ્રહો પૃથ્વીની સાથે ઘડિયાળનાં કાંટાથી અવળી દિશામાં સૂર્ય આસપાસ પ્રદક્ષિણા કરે છે. ભારતીય જ્યોતિષમાં હર્ષલ, નેપચ્યુન અને પ્લુટોને

પ્રશ્નો પૂછનારને…

આજે જ્યોતિષની અને જ્યોતિષીને પ્રશ્ન કઈ રીતે પૂછવો એ વિશે થોડી વાતો કરવી છે. આપણાં દરેકમાં કુદરતી રીતે જ ભવિષ્ય જાણવાની ઉત્સુકતા રહેલી હોય છે. ઘણાં લોકો ગંભીરતાપૂર્વક ભવિષ્ય જાણવાં માગતા હોય છે. જ્યારે અમુક લોકો ફક્ત ગમ્મત ખાતર, પરીક્ષા કરવા કે સમય પસાર કરવાં પ્રશ્નો પૂછતાં હોય છે. જ્યોતિષ એ ઈશ્વર પાસેથી તમારી મૂશ્કેલીઓનો જવાબ મેળવવાનું શાસ્ત્ર છે. તમારી અને ઈશ્વર વચ્ચે જ્યોતિષી એ ફક્ત એક માધ્યમ બનવાની ભૂમિકા ભજવે છે. જે શ્રધ્ધાથી તમે મંદિરમાં જઈને ઈશ્વર સમક્ષ માથું નમાવીને પ્રાર્થના કરો છો એ જ શ્રધ્ધાથી તમારે જ્યોતિષીને પ્રશ્ન પૂછવો જોઈએ. અહીં હકિકતમાં તમે જ્યોતિષીને નહિ પરંતુ ઈશ્વરને જ પૂછી રહ્યા હો છો. જ્યારે તમે ગમ્મત ખાતર, પરીક્ષા કરવા માટે કે સમય પસાર કરવાં માટે પ્રશ્નો પૂછો છો ત્યારે ક્યારેય સાચી અંતઃસ્ફૂરણાથી જવાબ મળતો નથી. ઘણાં લોકોના ઈ-મેલ્સ આવે છે અને એક જ પ્રશ્ન પૂછેલો હોય છે. "મારું ભવિષ્ય જણાવો". આ પ્રશ્ન બહુ વિશાળ છે અને કોઈ પણ જાતની હકિકતો, તથ્યો કે સંદર્ભો જાણ્યા વગર જવાબ આપવાનું શક્ય હોતું નથી. આ એવી વાત છે કે તમે ડોક્ટર પાસે જાઓ છો અને કહો છો કે તમને શરીરમાં

મકર સંક્રાંતિ

સંક્રાતિ એટલે કે સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં સંક્રમણ. સૂર્ય દર એક મહિને રાશિ બદલે છે એટલે આમ તો સંક્રાતિ દર મહિને થાય છે. સૂર્ય જયારે મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરે તેને મેષ સંક્રાતિ થઈ કહેવાય છે. મેષ સંક્રાતિએ નવા સૌર વર્ષની શરૂઆત થાય છે. સૂર્ય જ્યારે મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરે તેને વૃષભ સંક્રાતિ થઈ કહેવાય. આ રીતે સૂર્ય જ્યારે ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે તેને મકર સંક્રાતિ કહે છે. મકર સંક્રાતિ આગવું મહત્વ ધરાવે છે. મકર સંક્રાતિના દિવસથી સૂર્ય ક્રમે ક્રમે પૃથ્વીની ઉત્તર તરફ આગળ વધે છે. આથી જ તેને ઉત્તરાયણ પણ કહેવાય છે. આમ તો ઉત્તરાયણની શરૂઆત જ્યારે સાયન સૂર્ય ૨૨મી ડિસેમ્બરે મકર રાશિમાં પ્રવેશ કરે ત્યારથી થઈ જાય છે. પરંતુ નિરયન સૂર્ય ૧૪મી જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી ભારતીય જ્યોતિષ મુજબ ૧૪મી જાન્યુઆરીએ ઉત્તરાયણ મનાવવામાં આવે છે. એક વર્ષ ઉત્તરાયણ અને દક્ષિણાયન એમ બે ભાગમાં વહેંચાયેલું હોય છે. સૂર્યનાં મકર રાશિથી લઈને મિથુન રાશિ સુધીનાં ભ્રમણને ઉત્તરાયણ અને કર્ક રાશિથી લઈને ધનુ રાશિ સુધીના ભ્રમણને દક્ષિણાયન કહે છે. દક્ષિણાયનમાં સૂર્ય ફરી દક્ષિણ