પોસ્ટ્સ

નવેમ્બર, 2012 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સૂર્ય અને શનિનો સંબંધ

સૂર્ય એ રાજા છે, તો શનિ એ દાસ છે. સૂર્ય પ્રકાશ છે, શનિ અંધકાર છે. સૂર્ય ગરમ છે, શનિ ઠંડો છે. સૂર્ય તેજસ્વી અને ચળકાટથી ભરેલો છે, શનિ નિસ્તેજ છે. સૂર્ય જીવન છે, શનિ મૃત્યુ છે. સૂર્ય અહંકારને પોષનારો છે, શનિ નમ્રતાને ચાહનારો છે. સૂર્ય વ્યક્તિગતતાનો કારક છે, શનિ જનતાનો કારક છે. સૂર્ય ઉતરાયણમાં બળવાન બને છે, શનિ દક્ષિણાયનમાં બળવાન બને છે. સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો થાય છે અને તુલા રાશિમાં નીચનો થાય છે, શનિ મેષ રાશિમાં નીચનો થાય છે અને તુલા રાશિમાં ઉચ્ચનો થાય છે. પરસ્પર વિપરીત ગુણો અને પ્રકૃતિ ધરાવતા આ બે ગ્રહો જયારે કુંડળીમાં કોઈ પ્રકારે સંબંધ કરે છે ત્યારે જીવન મુરઝાયેલું બની જાય છે. શનિ એ સૂર્યનો પુત્ર છે. પિતા અને પુત્રનો સંબંધ હોવા છતાં સૂર્ય અને શનિ વચ્ચે શત્રુતા છે. પ્રકાશ અને અંધકાર ક્યારેય એક જગ્યાએ એક સાથે રહી શકે નહિ. કુંડળીમાં જયારે સૂર્ય અને શનિ યુતિ, પ્રતિયુતિ, કેન્દ્રયોગ કે દ્રષ્ટિયોગથી સંબંધમાં રહેલા હોય ત્યારે જીવન સંઘર્ષમય બની જાય છે. આત્મા સતત બંધન અને જવાબદારીનો અનુભવ કરે છે. જીવનમાં જે કંઈ પણ પ્રાપ્ત કરવું હોય તે માટે કઠોર પરિશ્રમ કરવો પડે છે. સફળતાની સીડી ચઢવામાં

શ્રી શનિ અષ્ટોત્તર શતનામાવલી (શનિના ૧૦૮ નામ)

૧. ૐ શનૈશ્ચરાય નમઃ ૨. ૐ શાન્તાય નમઃ ૩. ૐ સર્વાભીષ્ટપ્રદાયિને નમઃ ૪. ૐ શરણ્યાય નમઃ ૫. ૐ વરેણ્યાય નમઃ ૬. ૐ સર્વેશાય નમઃ ૭. ૐ સૌમ્યાય નમઃ ૮. ૐ સુરવન્દ્યાય નમઃ ૯. ૐ સુરલોકવિહારિણે નમઃ ૧૦. ૐ સુખાસનોપવિષ્ટાય નમઃ ૧૧. ૐ સુન્દરાય નમઃ ૧૨. ૐ ઘનાય નમઃ ૧૩. ૐ ઘનરૂપાય નમઃ ૧૪. ૐ ઘનાભરણધારિણે નમઃ ૧૫. ૐ ઘનસારવિલેપાય નમઃ ૧૬. ૐ ખદ્યોતાય નમઃ ૧૭. ૐ મન્દાય નમઃ ૧૮. ૐ મન્દચેષ્ટાય નમઃ ૧૯. ૐ મહનીયગુણાત્મને નમઃ ૨૦. ૐ મર્ત્યપાવનપદાય નમઃ ૨૧. ૐ મહેશાય નમઃ ૨૨. ૐ છાયાપુત્રાય નમઃ ૨૩. ૐ શર્વાય નમઃ ૨૪. ૐ શતતૂણીરધારિણે નમઃ ૨૫. ૐ ચરસ્થિરસ્વભાવાય નમઃ ૨૬. ૐ અચંચલાય નમઃ ૨૭. ૐ નીલવર્ણાય નમઃ ૨૮. ૐ નિત્યાય નમઃ ૨૯. ૐ નીલાંજનનિભાય નમઃ ૩૦. ૐ નીલામ્બરવિભૂશણાય નમઃ ૩૧. ૐ નિશ્ચલાય નમઃ ૩૨. ૐ વેદ્યાય નમઃ ૩૩. ૐ વિધિરૂપાય નમઃ ૩૪. ૐ વિરોધાધારભૂમયે નમઃ ૩૫. ૐ ભેદાસ્પદસ્વભાવાય નમઃ ૩૬. ૐ વજ્રદેહાય નમઃ ૩૭. ૐ વૈરાગ્યદાય નમઃ ૩૮. ૐ વીરાય નમઃ ૩૯. ૐ વીતરોગભયાય નમઃ ૪૦. ૐ વિપત્પરમ્પરેશાય નમઃ

દીપાવલી – તમસો મા જ્યોતિર્ગમય

છબી
દીપાવલી એટલે કે પ્રકાશનું પર્વ. અંધકાર પર પ્રકાશના વિજયનું પ્રતીક પર્વ. દીપાવલી શબ્દની સંધી છૂટી પાડીએ તો દીપ + આવલી. સંસ્કૃતમાં દીપ એટલે કે દીવો, પ્રકાશ અને આવલી એટલે કે પંક્તિ, હારમાળા. દીપાવલી એટલે દીપોની હારમાળા! આ પર્વ આશ્વિન માસની અમાવસ્યાને દિવસે મનાવવામાં આવે છે. પ્રચલિત માન્યતા અનુસાર દીપાવલીની રાત્રિએ ભગવાન શ્રી રામ રાવણ પર વિજય મેળવીને અયોધ્યા પરત ફર્યા હતા. તેમના આગમનની ખુશીમાં અયોધ્યાવાસીઓએ સમગ્ર શહેરને દીવડાઓથી ઝગમગાવી દીધું હતું. ત્યારથી દીપોનું આ પર્વ દીપાવલી મનાવવામાં આવે છે. આ પર્વ સાથે સમુદ્ર મંથનની કથા પણ જોડાયેલી છે. શ્રી વિષ્ણુ ભગવાનની સહાયથી દેવો અને દાનવોએ કરેલા સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થયેલા ચૌદ રત્નોમાંના શ્રી ધન્વંતરી ધનતેરસના દિવસે પ્રગટ થયા હતા. શ્રી ધન્વંતરીના પ્રગટ થયા બાદ બે દિવસ પછી આશ્વિન માસની અમાવસ્યાના દિવસે શ્રી લક્ષ્મીજી પ્રગટ થયા હતા. જેમના ભગવાન વિષ્ણુ સાથે વિવાહ થયા. આથી જ દીપાવલીના દિવસે શ્રી લક્ષ્મીજીની પૂજા-આરાધનાનું અનેરું મહત્વ છે. જ્યોતિષની દ્રષ્ટિએ ગ્રહોમાં રાજા અને રાણી એવા સૂર્ય અને ચન્દ્ર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનુ સ

શ્રી શુક્ર અષ્ટોત્તર શતનામાવલી (શુક્રના ૧૦૮ નામ)

૧. ૐ શુક્રાય નમઃ ૨. ૐ શુચયે નમઃ ૩. ૐ શુભગુણાય નમઃ ૪. ૐ શુભદાય નમઃ ૫. ૐ શુભલક્ષણાય નમઃ ૬. ૐ શોભનાક્ષાય નમઃ ૭. ૐ શુભ્રવહાય નમઃ ૮. ૐ શુદ્ધસ્ફટિકભાસ્વરાય નમઃ ૯. ૐ દીનાર્તિહરકાય નમઃ ૧૦. ૐ દૈત્યગુરવે નમઃ ૧૧. ૐ દેવાભિવન્દિતાય નમઃ ૧૨. ૐ કાવ્યાસક્તાય નમઃ ૧૩. ૐ કામપાલાય નમઃ ૧૪. ૐ કવયે નમઃ ૧૫. ૐ કલ્યાણદાયકાય નમઃ ૧૬. ૐ ભદ્રમુર્તયે નમઃ ૧૭. ૐ ભદ્રગુણાય નમઃ ૧૮. ૐ ભાર્ગવાય નમઃ ૧૯. ૐ ભક્તપાલનાય નમઃ ૨૦. ૐ ભોગદાય નમઃ ૨૧. ૐ ભુવાનાધ્યક્ષાય નમઃ ૨૨. ૐ ભુક્તિમુક્તિફલપ્રદાય નમઃ ૨૩. ૐ ચારૂશીલાય નમઃ ૨૪. ૐ ચારૂરૂપાય નમઃ ૨૫. ૐ ચારૂચન્દ્રનિભનનાય નમઃ ૨૬. ૐ નિધયે નમઃ ૨૭. ૐ નિખિલશાસ્ત્રજ્ઞાય નમઃ ૨૮. ૐ નીતિવિદ્યાધુરંધરાય નમઃ ૨૯. ૐ સર્વલક્ષણસંપન્નાય નમઃ ૩૦. ૐ સર્વગુણવર્જિતાય નમઃ ૩૧. ૐ સમાનાદિકનિર્મુક્તાય નમઃ ૩૨. ૐ સકલગમપરાગાય નમઃ ૩૩. ૐ ભ્રૃગવે નમઃ ૩૪. ૐ ભોગકારાય નમઃ ૩૫. ૐ ભૂમિસુરપાલનતત્પરાય નમઃ ૩૬. ૐ મનસ્વિને નમઃ ૩૭. ૐ મનદાય નમઃ ૩૮. ૐ મન્યાય નમઃ ૩૯. ૐ માયાતીયાય નમઃ