પોસ્ટ્સ

એપ્રિલ, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વક્રી શનિ અને કેતુના ગાઢ જોડાણનો બાર રાશિઓ પર પ્રભાવ

છબી
30 એપ્રિલ , 2019 ના રોજ સવારે 06.25 કલાકે શનિ મહારાજ પોતાની ચાલ બદલીને વક્રી થવાં જઈ રહ્યાં છે. શનિ 18 સપ્ટેમ્બર , 2019 સુધી ધનુ રાશિમાં વક્રી ગતિથી ભ્રમણ કરશે. જ્યારે કોઈ ગ્રહ પોતાની સામાન્ય દિશા કરતાં ઉ લટી દિશામાં ચાલવાનું શરૂ કરે ત્યારે ગ્રહ વક્રી થયો એમ કહેવાય. અહીં હકીકતમાં ગ્રહ વિપરિત દિશામાં જતો નથી પરંતુ પૃથ્વી પરથી જોતાં ગ્રહ ઉલટી દિશામાં ગતિ કરતો હોય તેવો દ્રષ્ટિ ભ્રમ થાય છે. સૂર્ય અને ચન્દ્ર ક્યારેય વક્રી થતા નથી એટલે કે હંમેશા માર્ગી રહે છે. જ્યારે રાહુ અને કેતુ હંમેશા વક્રી રહે છે. શનિ લગભગ દર બાર મહિને આશરે સાડા ચાર માસ સુધી વક્રી બને છે. વક્રી અને માર્ગી થતાં પહેલાં પાંચ દિવસ સુધી સ્થિર રહે છે. શનિ એ આપણે ભૂતકાળમાં કરેલાં કર્મોનો ન્યાય તોળનારો ગ્રહ છે . વક્રી થાય છે ત્યારે કર્મનું ફળ તીવ્રપણે અનુભવાય છે . શનિના વક્રી ભ્રમણ દરમિયાન ઉદાસી , હતાશા , નિરાશાભર્યા અને નકારાત્મક વિચારો તેમજ એકલતાનો અનુભવ થઈ શકે છે . ધીમી ગતિનો ગ્રહ શનિ વક્રી બને ત્યારે આપણાં કાર્યો અને યોજનાઓને પણ ધીમાં અને વિલંબ માં પાડે છે. વક્રી શનિના ભ્રમણનો સમય ભૂત

જન્મનો વાર અને સ્વભાવ

છબી
વાર એટલે કે ફેરો, ફરતે જવું. વાર પંચાંગના પાંચ અંગોમાનું એક અંગ છે (પંચાંગ = પાંચ અંગ = વાર, તિથિ, નક્ષત્ર, યોગ, કરણ). સાત ગ્રહોના નામ પરથી સાત વારના નામ પડેલાં છે. સર્વે ગ્રહોની ગતિ પ્રમાણે તેમનો ક્રમ છેલ્લેથી એટલે કે સૌથી ધીમી ગતિના ગ્રહથી શરૂ કરીને સૌથી ઝડપી ગતિ ધરાવતા ગ્રહ પ્રમાણે લઈએ તો શનિ, ગુરુ, મંગળ, સૂર્ય, શુક્ર, બુધ અને ચન્દ્ર એમ ગોઠવાય. આમાંનો પ્રથમ ગ્રહ શનિ લઈને ત્યારબાદ ચોથો ગ્રહ ફરી ફરી લઈએ તો સાતે વાર ક્રમ પ્રમાણે આવશે. પશ્ચિમી કેલેન્ડરમાં વાર એક મધ્યરાત્રિ એટલે કે રાત્રે ૧૨ કલાકે શરૂ થઈને બીજી મધ્યરાત્રિએ સમાપ્ત થાય છે. જ્યારે હિંદુ કેલેન્ડર અને જ્યોતિષ મુજબ વાર એક સૂર્યોદયથી શરૂ થઈને બીજા સૂર્યોદયે સમાપ્ત થાય છે. દરેક વારનું નામ જે-તે દિવસે સૂર્યોદય સમયે રહેલી હોરાના સ્વામી પરથી પાડવામાં આવ્યું છે. પંચાંગના પાંચેય અંગો પાંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં વાર એ અગ્નિતત્વનું પ્રતિનિધિત્વ કરે છે (વાર = અગ્નિતત્વ, તિથિ = જળતત્વ, કરણ = પૃથ્વીતત્વ, નક્ષત્ર = વાયુતત્વ, યોગ = આકાશતત્વ). વારને બીજા શબ્દમાં વાસર પણ કહેવામાં આવે છે. ‘વાસ’ એટલે કે વસવું અને ‘૨’

સૂર્યદેવનો મેષ રાશિમાં પ્રવેશ, જાણો બાર રાશિઓ પર પ્રભાવ

છબી
નવગ્રહોમાં રાજા એવાં સૂર્યદેવ 14 એપ્રિલ , 2019 ના રોજ 14.10 કલાકે મેષ રાશિમાં પ્રવેશ કરશે. અહીં તેઓ 15 મે , 2019 સુધી ગોચર ભ્રમણ કરશે. મેષ રાશિમાં સૂર્ય ઉચ્ચત્વ પામે છે અને બળવાન બને છે. સૂર્ય આત્માનો કારક ગ્રહ છે. રાશિચક્રની પાંચમી રાશિ સિંહ રાશિનો સ્વામી છે. સૂર્ય અગ્નિતત્વ ધરાવતો ગ્રહ હોવાથી અગ્નિતત્વની મેષ , સિંહ અને ધનુ રાશિમાં ઉત્તમ ફળ પ્રદાન કરે છે . ઉદાર હ્રદય અને ખાસ પ્રકારની મોટાઈ ધરાવતો સૂર્ય માનવીયતાથી ભરપૂર ગ્રહ છે. શત્રુઓની સાથે પણ ખુલ્લા દિલે વર્તાવ કરનાર સૂર્ય દરેક સાથે સ્નેહભાવથી વર્તે છે. ઓછું બોલનાર , વિલાસપ્રિય , તેજસ્વી , નિર્ભય , પવિત્ર , સૌની ચિંતા કરનાર , સત્યના માર્ગે ચાલનાર એવો સૂર્ય સંકટ સમયે યોગ્ય રસ્તો સૂચવનાર ગ્રહ છે. જો સૂર્ય દૂષિત હોય તો ગર્વિષ્ઠ , ઉદ્ધત , સહાનુભૂતિ ન દેખાડનાર , દુષ્ટ , એકાંતપ્રિય અને લોકો સાથે હંમેશા ઝઘડાંઓ કરનાર બનાવે છે. સૂર્ય એક રાશિમાં આશરે એક માસ સુધી ગોચર ભ્રમણ કરે છે. 14 એપ્રિલથી મેષમાં પ્રવેશ કરનાર સૂર્ય પર હાલ ધનુ રાશિમાં ગોચર ભ્રમણ કરી રહેલાં ગુરુ મહારાજની દ્રષ્ટિ પડશે. બાદમાં મે માસમાં બુધ અને શુક્ર પણ મેષ રાશિમાં

ગુરુની બદલાશે ચાલ, કેવું ફળ આપશે વક્રી ગુરુ?

છબી
જ્ઞાન અને વિદ્વતાના ભંડાર એવાં ગુરુ મહારાજ 10 એપ્રિલ , 2019 ના રોજ 22.32 કલાકે ધનુ રાશિમાં વક્રી થવા જઈ રહ્યાં છે. 23 એપ્રિલ , 2019 ના રોજ વક્રી અવસ્થામાં વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ 11 ઓગસ્ટ , 2019 સુધી ગુરુ વૃશ્ચિક રાશિમાં વક્રી રહેશે. ગ્રહનું વક્રી થવું એટલે શું ? જ્યારે કોઈ ગ્રહ પોતાનાં માર્ગમાં આગળ વધવાને બદલે પાછળ જતો દેખાય ત્યારે તે ગ્રહ વક્રી થયો કહેવાય છે. સામાન્ય રીતે ગ્રહો રાશિચક્રની દિશામાં એટલે કે મેષથી વૃષભ તરફ ગતિ કરે છે. રાશિચક્રની દિશામાં ગતિ કરતાં ગ્રહોને માર્ગી ગ્રહો કહેવાય છે. પરંતુ ક્યારેક ગ્રહો રાશિચક્રથી ઉલટી દિશામાં એટલે કે મેષથી મીન તરફ જતાં દેખાય છે. રાશિચક્રથી ઉલટી દિશામાં ગતિ કરતાં ગ્રહોને વક્રી ગ્રહો કહેવાય છે. અહીં હકીકતમાં ગ્રહ પાછળ જતો નથી પરંતુ પૃથ્વી પરથી જોતાં ગ્રહ પાછળ તરફ ગતિ કરતો હોય તેવો દ્રષ્ટિ ભ્રમ થાય છે. વક્રી બનેલો ગ્રહ સૂર્યથી દૂર હોય છે અને પૃથ્વીથી સૌથી નજીક હોય છે. પૃથ્વીથી નજીક હોવાથી પોતાનાં ચુંબકીય અને ગુરુત્વાકર્ષણ બળ દ્વારા ગ્રહ પૃથ્વીને વિશેષ પ્રમાણમાં અસર કરે છે. આથી જ ફળાદેશમાં વક્રી ગ્રહ અગત્યનો બની રહે છ