શૂલયોગ
હાલ 25 ડિસેમ્બર , 2019 થી 30 ડિસેમ્બર , 2019 સુધી ગોચરમાં શૂલયોગ રચાયો છે. શૂલ અથવા તો શૂળયોગ એ નાભસ યોગ માંનો એક છે. જ્યારે બધાં ગ્રહો ત્રણ સ્થાનમાં સ્થિત હોય ત્યારે શૂલ યોગ રચાય છે. આ યોગમાં રાહુ-કેતુને ધ્યાનમાં લેવામાં આવતાં નથી. હાલ રાહુ સિવાયના બધાં ગ્રહો વૃશ્ચિક , ધનુ અને મકર રાશિમાં રહેલાં છે. શૂળ શબ્દ ત્રિશૂળ પરથી આવેલો છે. ત્રિશૂળના ત્રણ પાંખિયા હોય છે , એ રીતે બધાં ગ્રહો ત્રણ સ્થાનમાં પડેલાં હોય છે. ત્રિશૂળ ભગવાન શિવજીનું શસ્ત્ર છે , જેનો ઉપયોગ અજ્ઞાનતાનો નાશ કરવાં અર્થે થાય છે. પરંતુ જ્યારે આ જ ત્રિશૂળ ખોટાં હાથોમાં જઈ ચડે ત્યારે પીડા આપી શકે છે. આમ શૂલયોગ પીડા અને સંહારનો નિર્દેશ કરે છે. શૂળનો અન્ય એક અર્થ કાંટો પણ થાય છે. આ યોગ ધરાવનાર જાતકો એટલાં આવેગી અને અડગ હોય છે કે ઘણીવાર અન્યોને કાંટા બનીને ભોંકાય છે. કાંટાની જેમ જ તીક્ષ્ણ વ્યક્તિત્વ ધરાવનાર હોય છે. જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનાં સાધનોથી વંચિત રહે છે. હિંસક વર્તન ધરાવનાર , ક્રૂર કે સરમુખત્યાર હોઈ શકે છે. સમાજ દ્વારા નકારાયેલાં કે અપમાનિત હોઈ શકે છે. ખૂબ બહાદુર અને લડાઈને લીધે પ્રસિદ્ધિ મેળવનાર હોય છે. ચ...