પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2012 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શ્રી ગુરુ અષ્ટોત્તર શતનામાવલી (ગુરુના ૧૦૮ નામ)

૧. ૐ ગુરવે નમઃ ૨. ૐ ગુણાકરાય નમઃ ૩. ૐ ગોપ્ત્રે નમઃ ૪. ૐ ગોચરાય નમઃ ૫. ૐ ગોપતિપ્રિયાય નમઃ ૬. ૐ ગુણિને નમઃ ૭. ૐ ગુણવતામ શ્રેષ્થાય નમઃ ૮. ૐ ગુરુણાં ગુરવે નમઃ ૯. ૐ અવ્યયાય નમઃ ૧૦. ૐ જેત્રે નમઃ ૧૧. ૐ જયન્તાય નમઃ ૧૨. ૐ જયદાય નમઃ ૧૩. ૐ જીવાય નમઃ ૧૪. ૐ અનન્તાય નમઃ ૧૫. ૐ જયાવહાય નમઃ ૧૬. ૐ આંગિરસાય નમઃ ૧૭. ૐ અધ્વરાસક્તાય નમઃ ૧૮. ૐ વિવિક્તાય નમઃ ૧૯. ૐ અધ્વરકૃત્પરાય નમઃ ૨૦. ૐ વાચસ્પતયે નમઃ ૨૧. ૐ વશિને નમઃ ૨૨. ૐ વશ્યાય નમઃ ૨૩. ૐ વરિષ્ઠાય નમઃ ૨૪. ૐ વાગ્વિચક્ષણાય નમઃ ૨૫. ૐ ચિત્તશુદ્ધિકરાય નમઃ ૨૬. ૐ શ્રીમતે નમઃ ૨૭. ૐ ચૈત્રાય નમઃ ૨૮. ૐ ચિત્રશિખંડિજાય નમઃ ૨૯. ૐ બૃહદ્રથાય નમઃ ૩૦. ૐ બૃહદ્ભાનવે નમઃ ૩૧. ૐ બૃહસ્પતયે નમઃ ૩૨. ૐ અભીષ્ટદાય નમઃ ૩૩. ૐ સુરાચાર્યાય નમઃ ૩૪. ૐ સુરારાધ્યાય નમઃ ૩૫ . ૐ સુરકાર્યકૃતોદ્યમાય નમઃ ૩૬. ૐ ગીર્વાણપોષકાય નમઃ ૩૭. ૐ ધન્યાય નમઃ ૩૮. ૐ ગીષ્પતયે નમઃ ૩૯. ૐ ગિરીશાય નમઃ ૪૦. ૐ અનઘાય નમઃ ૪૧. ૐ ધીવરાય નમઃ ૪૨. ૐ

ચોઘડિયાં અને હોરા

છબી
ચોઘડિયાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે ‘ચોઘડિયાં’ શબ્દથી અપરીચિત હશે. આપણા સમાજમાં દરેક સારા-નરસાં કાર્યનો પ્રારંભ ચોઘડિયું જોઈને કરવામાં આવે છે. હકિકતમાં આપણા પ્રાચીન મુહૂર્ત ગ્રંથોમાં ચોઘડિયાં વિષે કોઈ ઉલ્લેખ નથી. ચોઘડિયા માત્ર યાત્રા-પ્રવાસમાં જ ઉપયોગી થાય છે તેવું માનવામાં આવે છે. પરંતુ સામાન્ય જન સમાજમાં ચોઘડિયાં જોવાની પ્રથા એટલી હદે વ્યાપ્ત છે કે દરેક કાર્યની શરૂઆત કરતા પહેલા તે જોવાનું ચૂકવામાં આવતું નથી. જો શુદ્ધ મુહૂર્ત જોતી વખતે ચોઘડિયાંને અવગણવાની સલાહ આપીએ તો એક જ્યોતિષી તરીકેના આપણા જ્ઞાન પર જ પ્રશ્નાર્થચિહ્ન લાગી જાય! એક ચોઘડિયું આશરે દોઢ કલાકનું બનેલું હોય છે. દોઢ કલાક એટલે કે ૯૦ મીનીટ. પહેલાના જમાનામાં સમયને ઘડીમાં માપવામાં આવતો હતો. ૧ ઘડી = ૨૪ મીનીટ. દોઢ કલાકમાં આશરે ચાર ઘડી (૯૬ મીનીટ) સમાયેલી હોય. આ ‘ચાર ઘડી’ શબ્દનું અપભ્રંશ થઈને ‘ચોઘડિયાં’ શબ્દ પ્રચલનમાં આવ્યો. ચોઘડિયાંની ગણતરી સૂર્યોદયથી શરૂ થાય છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયના એકસરખાં આઠ ભાગ કરવામાં આવે છે. જેટલી મીનીટ આવે તેટલી મીનીટનું એક ચોઘડિયું બને છે. તે જ રીતે રાત્રિના ચોઘડિયાં માટ