પોસ્ટ્સ

ઑગસ્ટ, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પ્રિયંકા ચોપરાની સગાઈના સિતારા

છબી
હાલમાં હિંદી ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેના અમેરિકન મિત્ર ગાયક - ગીતકાર નિક જોનસ સાથેની સગાઈના સમાચારોને લીધે ચર્ચામાં છે. શનિવાર , 18 ઓગસ્ટના રોજ બંનેએ સોશિયલ મિડીયા પર તેમનાં સગપણનો ઔપચારિક સ્વીકાર કર્યો. આ બાબતનું વિશ્લેષણ જ્યોતિષિક દ્રષ્ટિએ કરવું રસપ્રદ રહેશે. પ્રિયંકા મેષ જન્મલગ્ન અને વૃષભ જન્મરાશિ ધરાવે છે. જન્મતારીખ: જુલાઈ 18 , 1982 જન્મસમય: 12.30 am જન્મસ્થળ: જમશેદપુર જન્મલગ્ન કુંડળી  પ્રિયંકા ચોપરાની કુંડળીમાં સપ્તમ વિવાહસ્થાનનો સ્વામી શુક્ર છે. જે તૃતીયસ્થાનમાં મિથુન રાશિમાં બુધ અને રાહુ સાથે યુતિમાં છે. શુક્ર સુંદર , દેખાવડાં અને કલામાં અભિરુચિ ધરાવનાર જીવનસાથી પ્રદાન કરે છે. નિક ગાયન અને અભિનય કળામાં કુશળ છે. બુધ વાણી અને લેખનનો કારક ગ્રહ છે. સપ્તમેશ શુક્રની બુધ સાથેની યુતિને લીધે મધુર અવાજ અને ગીતો લખી શકવાની કુશળતા ધરાવનાર જીવનસાથી મળવાની સંભાવના ઉભી થઈ છે. આ સાથે જ સપ્તમેશ શુક્ર રાહુ સાથે પણ યુતિમાં છે. રાહુ વિદેશી લોકો , ભાષા અને વસ્તુઓનો કારક ગ્રહ છે. સપ્તમસ્થાન કે સપ્તમેશ સાથે રહેલો રાહુ વિદેશી કે અલગ ધર્મ અથવા જ્ઞાતિની , પોતાનાં કરતાં અલગ

કેવું અને ક્યાં મકાન મળે?

જન્મકુંડળીમાં ચતુર્થસ્થાન સ્થાવર સંપતિ , જમીન અને મકાનનો નિર્દેશ કરે છે. ચતુર્થસ્થાનમાં રહેલાં કે તેની સાથે સંકળાયેલાં ગ્રહો અનુસાર કેવું અને ક્યાં મકાન મળે તે જોઈએ.  સૂર્ય: રા જાના મહેલ જેવું ઘર , શહેર - વિસ્તાર-સોસાયટીના કેન્દ્રમાં રહેલું ઘર , સરકારી નિવાસસ્થાન , પ્રખ્યાત વિસ્તારમાં ઘર , પ્રસિદ્ધ વ્યક્તિ - રાજકારણી-સરકારી અમલદારની બાજુમાં ઘર , ઘરની આસપાસ ડોક્ટર - વૈદ્ય - હોસ્પિટલ , સરકારી કચેરીની નજીક ઘર , મોટું ઘર , બહુમાળી મકાન. ચંદ્ર: સમુદ્ર , તળાવ , નદી , જળાશયની નજીક ઘર , ઘરમાં કૂવો કે બોર હોય , ઘરનાં બોરમાં કોઈ દિવસ પાણી ન ખૂટે , પૂરતાં પ્રમાણમાં પાણીની સગવડતા ધરાવતું મકાન , પડોશમાં સ્ત્રીઓની સંખ્યા વધુ , ગર્લ્સ હોસ્ટેલ-પ્રસુતિગૃહની બાજુમાં ઘર , દૂધની ડેરી કે પીણાંઓની દુકાન નજીક , ઘરની નજીક શિવાલય હોય , મેન્ટલ હોસ્પિટલ કે મનોચિકિત્સકની નજીક.  મંગળ: પોલીસચોકી કે લશ્કરી છાવણીની નજીક નિવાસસ્થાન , કારખાનાં-વીજળીઘર-ફાયરબ્રિગેડની નજીક , બ્લડબેંક કે સર્જનથી નજીક નિવાસ , ગેરેજ અથવા મિકેનીક-એંજીનીયરની આસપાસ હાજરી . બુધ: ઘરમાં જ ઓફિસ કે દુકાન હોય , વ્યાપારી વિસ્તારમા

કાળસર્પયોગ મંત્ર

જન્મકુંડળીમાં બધાં ગ્રહો રાહુ-કેતુની મધ્યમાં સ્થિત હોય ત્યારે કાળસર્પયોગનું નિર્માણ થાય છે. કાળસર્પયોગથી ગ્રસિત જાતકનું જીવન સંઘર્ષ અને ઉતાર-ચડાવથી ભરેલું રહે છે. આમ છતાં જે જાતકો સંઘર્ષથી હાર નથી માનતા તેઓ સફળતાની સીડીઓ સર કરે છે. નીચે કેટલાંક મંત્રો આપ્યાં છે જેનાં નિત્ય જાપ કરવાથી કાળસર્પયોગની નકારાત્મક અસર હળવી કરી શકાય છે. ॥ नवनाग स्तोत्र ॥ अनंत वासुकिं शेषं पद्मनाभमं च कम्बलं । शंखपालं धृतराष्ट्रं तक्षकं कालियं तथा ॥ एतानि नवनामानि नागानां च महात्मनां । सायंकालेपठेन्नित्यं प्रात:काले विशेषत: ॥ तस्य विषभयं नास्ति सर्वत्र विजयी भवेत ॥ નવનાગ સ્તોત્ર અનંતમ વાસુકિમ શેષમ પદ્મનાભમ ચ કમ્બલમ । શંખપાલમ ધૃતરાષ્ટ્રમ તક્ષકમ કાલિયમ તથા ॥ એતાનિ નવનામાનિ નાગાનામ ચ મહાત્મનામ । સાયંકાલેપઠેન્નિત્યમ પ્રાત:કાલે વિશેષત: ॥ તસ્ય વિષભયમ નાસ્તિ સર્વત્ર વિજયી ભવેત ॥ नाग गायत्री मंत्र ॐ नवकुलाय विद्महे विषदंताय धीमहि तन्नो सर्प: प्रचोदयात ॥ નાગ ગાયત્રી મંત્ર ૐ નવકુલાય વિદ્મહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પ: પ્રચોદયાત ॥ राहु मंत्र ॐ भ्रां भ्रीं भ्रौं

નક્ષત્ર ગોચર ભ્રમણ અનુસાર શનિનું ફળ

નક્ષત્ર ગોચર ભ્રમણ અનુસાર શનિ કેવું ફળ આપશે ? શનિ ગોચરમાં જે નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો હોય ત્યાંથી ગણવાનું શરૂ કરીને તમારાં જન્મરાશિનાં નક્ષત્ર સુધી ગણતરી કરો. જે નક્ષત્ર સંખ્યા આવશે તેના આધારે નીચે મુજબ ફળ તંત્રવિદોએ દર્શાવેલ છે. (હાલ ગોચરમાં શનિ મૂળ નક્ષત્રમાંથી ભ્રમણ કરી રહ્યો છે. મૂળ નક્ષત્રથી તમારાં જન્મનક્ષત્ર સુધી ગણતરી કરી ફળ જાણો) નક્ષત્રના નામ અને ક્રમ જાણવા માટે જુઓ લેખ 'નક્ષત્ર'.   1 નક્ષત્ર: શનિ મુખમાં , માનસિક ચિંતા અને કષ્ટ રખાવે પરંતુ સરવાળે કલ્યાણકારી 2-3 નક્ષત્ર: શનિ મુખદ્વારમાં , શારીરિક અસ્વસ્થતા રખાવે પરંતુ યોગ્ય ઈલાજથી સાજા થવાય. 4-5 નક્ષત્ર: શનિ આંખોમાં , લાભ , પ્રગતિ , સન્માન અને યશની પ્રાપ્તિ 6-7-8 નક્ષત્ર: શનિ મસ્તિષ્કમાં , રાજસન્માન , પ્રગતિ , બઢતી 9-10-11-12 નક્ષત્ર: શનિ ભુજાઓમાં , શારીરિક કષ્ટ , સાવધાની રાખવી જરૂરી 13-14-15-16-17 નક્ષત્ર: શનિ હ્રદયમાં , સુખ , વ્યવસાયમાં પ્રગતિ , લાભ , આવકમાં વધારો 18-19-20 નક્ષત્ર: શનિ જમણા પગમાં , પરાધીનતા , પરિશ્રમ 21-22-23 નક્ષત્ર: શનિ ડાબા પગમાં , પરિશ્રમ , કઠીન સમય , પ

બાર રાશિઓ અને સ્વાર્થીપણું

મેષ: સામાન્ય રીતે સ્વાર્થી હોતા નથી. પરંતુ તેમનો ‘ પહેલાં હું ’, ‘ પહેલાં મને ’ અભિગમ તેમનાં વ્યક્તિત્વને સ્વાર્થી દર્શાવે છે. વૃષભ: સારો સ્વભાવ ધરાવનાર હોય છે . પરંતુ ભૌતિકવાદી હોય છે. આળસુ પ્રકૃતિ હોવાને લીધે સહેલાં અને આરામદાયક રસ્તાઓ શોધે છે. જે ઘણીવાર તેમને લાલચુ અને સ્વાર્થી રીતે રજૂ કરે છે. મિથુન: બાલિશ રીતે સ્વાર્થીપણું ધરાવે છે. કર્ક: સામાન્ય રીતે નિ:સ્વાર્થી હોય છે . પરંતુ જો તેમનો રાશિસ્વામી ચંદ્ર પાપગ્રહ શનિથી પીડિત હોય તો ઘણાં સ્વાર્થી બની જાય છે. સિંહ: નિ:સ્વાર્થી , ઉદાર અને બીજાને મદદ કરવા હંમેશા તત્પર હોય છે. પરંતુ તેમને આકર્ષણના કેન્દ્ર બનવું , સ્પોટલાઈટમાં રહેવું પસંદ હોય છે. જે તેમને સ્વાર્થી રીતે રજૂ કરે છે. કન્યા: સ્વકેન્દ્રી હોય છે. તેઓ દુનિયા અને આસપાસની પરિસ્થિતિને સંપૂર્ણ અને ખામીરહિત જોવા માગે છે. આથી અન્યોની ટીકા કરવાનું વલણ ધરાવે છે. જે તેમને સ્વાર્થી રીતે રજૂ કરે છે.    તુલા: પ્રમાદી , જિંદગીના દુ:ખભર્યા હિસ્સાને પસંદ કરતાં નથી. કોઈ પણ કાર્ય એકલાં કરવું પસંદ કરતાં નથી. કાર્યો માટે અન્યોના સાથ પર આધાર રાખવાની પ્રકૃતિ સ્વાર્થી રી

બાર રાશિઓની વાણી અને અવાજની વિશિષ્ટતાઓ

મેષ: મજબૂત , તીક્ષ્ણ અવાજ , ફોનની રીંગની માફક રણકી ઉઠતો અવાજ  વૃષભ: સુમધુર , સાદી અને સરળ ભાષા , ખરી હકિકત અને વ્યવહારુ વાત મિથુન: ઝડપી ઉચ્ચારણ , મોટે ભાગે ઊંચો સ્વર કર્ક: દયાળુ અને સહાનુભૂતિપૂર્ણ સ્વર , ઘણીવાર સંગીતમય અને નીચો અવાજ સિંહ: ઊંડો અને ઘેઘૂર અવાજ , ક્યારેક પ્રવચન કરનાર , ગર્વિષ્ઠ અને ભપકાદાર વાણી કન્યા: વ્યવહારુ વાત , સાદા અને સરળ ઉચ્ચારો તુલા: મૃદુ , પરંતુ ઘણીવાર લહેકા કરીને વાત કરનાર વૃશ્ચિક: ઊંડો અને રણકતો અવાજ ધનુ: ઝડપી અને મોટે ભાગે ઘણું બોલનાર , વાતને વિસ્તારીને રજૂ કરનાર મકર: ક્યારેક કઠોર વાણી ઉચ્ચારે , વકતૃત્વ ક્ષમતા ધરાવનાર કુંભ: સુસંસ્કૃત , મધુર અવાજ , સાદા અને યોગ્ય પસંદ કરેલાં ઉચ્ચારો મીન: ઘણીવાર વાણી અને બોલવાં પ્રત્યે બેદરકાર , યોગ્ય રીતે અભિવ્યક્ત ન કરનાર.

બાર રાશિઓનું ક્ષમા પ્રદાન કરવાનું વલણ

મેષ: ક્રોધી અને રૂક્ષ પ્રકૃતિ ધરાવે છે. ઝડપથી ગુસ્સે થાય છે. પરંતુ ઝડપથી શાંત પણ થઈ જાય છે અને વાતને ભૂલીને ક્ષમા પ્રદાન કરી શકે છે. વૃષભ: સંયમિત , નિર્લિપ્ત અને નાની-નાની બાબતોથી જલ્દીથી વિચલિત નહિ થનારી રાશિ છે. ભાગ્યે જ ગુસ્સે થાય છે. પરંતુ એક વાર જો ગુસ્સે થાય કે દુ:ખી થાય તો જલ્દીથી માફ કરી શકતાં નથી. મિથુન: બૌદ્ધિક અને ચર્ચાપ્રિય રાશિ છે. તેમને તમારી વાત કે મુદ્દો ચર્ચા કરીને સમજાવો. વાતચીતના દ્વાર બંધ નહિ કરો અને તમને સહેલાઈથી ક્ષમાની પ્રાપ્તિ થઈ જશે. કર્ક: સંવેદનશીલ , લાગણીશીલ અને સહાનુભૂતિપૂર્ણ પ્રકૃતિ ધરાવતી રાશિ છે. લાગણી કે સહાનુભૂતિમાં આવી જઈને માફ કરી શકે છે. સિંહ: પોતાની જાતને હંમેશા સાચાં માને છે. ટીકાઓ સ્વીકારી શકતાં નથી. તેમની પાસેથી ક્ષમા ચાહવા ઘણાં પ્રયત્નો કરવા પડશે. અંતે જો તમે એમને વફાદાર હશો તો ક્ષમાની પ્રાપ્તિ થઈ જશે. કન્યા: દરેક બાબતનું વિશ્લેષણ કરવું અને નિરિક્ષણ કરવું એ તેમનો સ્વભાવ છે. માફ તો કરી દેશે પરંતુ તમે ક્યાં ભૂલ કરી હતી તેનું વિશ્લેષણ કરીને દલીલો અને ફરિયાદો કર્યા કરશે. તુલા: દરેક સંબંધમાં સંવાદિતા બનાવી રાખવા ઈચ્છે