બાર રાશિઓનું ક્ષમા પ્રદાન કરવાનું વલણ
મેષ: ક્રોધી અને રૂક્ષ પ્રકૃતિ ધરાવે છે. ઝડપથી
ગુસ્સે થાય છે. પરંતુ ઝડપથી શાંત પણ થઈ જાય છે અને વાતને ભૂલીને ક્ષમા પ્રદાન કરી
શકે છે.
વૃષભ: સંયમિત, નિર્લિપ્ત અને નાની-નાની બાબતોથી જલ્દીથી
વિચલિત નહિ થનારી રાશિ છે. ભાગ્યે જ ગુસ્સે થાય છે. પરંતુ એક વાર જો ગુસ્સે થાય કે
દુ:ખી થાય તો જલ્દીથી માફ કરી શકતાં નથી.
મિથુન:
બૌદ્ધિક અને ચર્ચાપ્રિય રાશિ છે. તેમને તમારી વાત કે મુદ્દો ચર્ચા કરીને સમજાવો.
વાતચીતના દ્વાર બંધ નહિ કરો અને તમને સહેલાઈથી ક્ષમાની પ્રાપ્તિ થઈ જશે.
કર્ક:
સંવેદનશીલ, લાગણીશીલ અને સહાનુભૂતિપૂર્ણ પ્રકૃતિ ધરાવતી રાશિ છે. લાગણી કે
સહાનુભૂતિમાં આવી જઈને માફ કરી શકે છે.
સિંહ:
પોતાની જાતને હંમેશા સાચાં માને છે. ટીકાઓ સ્વીકારી શકતાં નથી. તેમની પાસેથી ક્ષમા
ચાહવા ઘણાં પ્રયત્નો કરવા પડશે. અંતે જો તમે એમને વફાદાર હશો તો ક્ષમાની પ્રાપ્તિ
થઈ જશે.
કન્યા:
દરેક બાબતનું વિશ્લેષણ કરવું અને નિરિક્ષણ કરવું એ તેમનો સ્વભાવ છે. માફ તો કરી
દેશે પરંતુ તમે ક્યાં ભૂલ કરી હતી તેનું વિશ્લેષણ કરીને દલીલો અને ફરિયાદો કર્યા
કરશે.
તુલા:
દરેક સંબંધમાં સંવાદિતા બનાવી રાખવા ઈચ્છે છે. હંમેશા સુખ-શાંતિને ચાહનારા અને કોઈ
પણ ભોગે શાંતિ બનાવી રાખવા ઈચ્છનારા હોય છે. સંઘર્ષ ટાળવાં માટે માફ કરી જ દેશે.
વૃશ્ચિક:
ડંખીલો સ્વભાવ અને વૈરવૃતિ ધરાવનારા હોય છે. પોતાની સાથે થયેલો અન્યાય કે ગેરવર્તન
ભૂલી શકતાં નથી. તેમની પાસેથી માફીની પ્રાપ્તિ થવી અશક્ય છે, સિવાય
કે તમે ભાગ્યશાળી હો!
ધનુ:
ધાર્મિક અને ફિલોસોફિકલ રાશિ છે. સજા કરનારો ઈશ્વર છે એમ માનીને તમને ક્ષમા પ્રદાન
કરી શકે છે. બધું ભૂલીને નવેસરથી સંબંધની શરૂઆત કરે છે.
મકર:
દરેક બાબતમાં ટીકા કરવાનો,
નબળી બાજુ જોવાનો સ્વભાવ ધરાવે છે. નકારાત્મક અને નિરાશાવાદી વલણ
ધરાવે છે. તેમના માટે ક્ષમા પ્રદાન કરવી સહેલી હોતી નથી.
કુંભ:
દરેક બાબતમાં જોઈ-વિચારીને અને સંભાળીને આગળ વધે છે. તમે જો તમારાં પ્રયત્નોમાં
મંડ્યા રહો અને તેમને યોગ્ય કારણો આપીને સમજાવો તો ધીમે-ધીમે તેઓ સમજશે અને તમને
માફ કરી દેશે.
મીન:
કરુણામય અને ઉદાર વ્યક્તિત્વ ધરાવનારી રાશિ છે. લાગણીશીલ અને સંવેદનશીલ હોય છે.
સહેલાઈથી બિનશરતી ક્ષમા પ્રદાન કરી શકે છે.
ટિપ્પણીઓ