પોસ્ટ્સ

એપ્રિલ, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગુરુના મીન પ્રવેશનું બાર રાશિઓ પરત્વે ફળ – ૨૦૨૨

છબી
  E. A. Rodrigues, Public domain, via Wikimedia Commons એપ્રિલ ૧૩ , ૨૦૨૨ના રોજ ૧૫.૪૯ કલાકે ગુરુ મહારાજ સ્વરાશિ મીનમાં પ્રવેશ કરશે. અહીં ગુરુ આશરે એક વર્ષ સુધી એટલે કે એપ્રિલ ૨૨ , ૨૦૨૩ સુધી મીનમાં ગોચર ભ્રમણ કરશે. મીન રાશિ એ ગુરુની પોતાની રાશિ હોવાથી ગુરુ બળની પ્રાપ્તિ કરશે. ગુરુ એ જ્ઞાન , વિદ્યા , ડહાપણ , વિસ્તૃતિકરણ , ધર્મ , સમૃદ્ધિનો કારક છે તેમજ નવેય ગ્રહોમાં સૌથી શુભ ગ્રહ માનવામાં આવ્યો છે. ગત કેટલાંક વર્ષોથી શનિની રાશિઓ મકર અને કુંભમાં વિચરણ કરીને નિર્બળ બનેલાં ગુરુ મહારાજનું હવે સ્વરાશિ મીનમાં બળવાન બનવું એ એક શુભ અને રાહતરૂપ ઘટના કહી શકાય. ગુરુનું આ મીન રાશિમાં ગોચર ભ્રમણ બારેય જન્મરાશિઓને કેવું ફળ આપશે તે જાણીએ. આ ફળ જન્મલગ્ન અનુસાર ચકાસવાથી પણ વધુ સ્પષ્ટતા મળી શકશે. મેષ: ગુરુ દ્વાદશભાવમાંથી ભ્રમણ કરશે. આધ્યાત્મિક વલણમાં વૃદ્ધિ થઈ શકે છે. ધ્યાન દ્વારા મનના ઊંડાણને સ્પર્શી શકાય. એકાંત પ્રિય લાગે અને એકાંતમાં ધ્યાન-યોગ કે ચિંતન કરવાથી સુખની અનુભૂતિ કરી શકાય. આધ્યાત્મિક સાધનાઓ અને પ્રવૃતિઓ હાથ ધરી શકાય. ગૂઢ અને રહસ્યમય વિદ્યાઓ નો અભ્યાસ કે સંશોધન હાથ ધરી શકાય. કોઈ પણ જાતની અપ

રાહુના મેષ અને કેતુના તુલા પ્રવેશનું ફળ - ૨૦૨૨

છબી
એપ્રિલ ૧૨ , ૨૦૨૨ના રોજ ૧૪.૪૨ કલાકે રાહુ પોતાની વૃષભ રાશિમાં ગોચર યાત્રા સમાપ્ત કરીને મેષ રાશિમાં ગોચર ભ્રમણ પ્રારંભ કરશે. કેતુ પણ આ જ દિવસે વૃશ્ચિક રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં રાહુ-કેતુને ક્રૂર તેમજ પાપગ્રહ માનવામાં આવ્યાં છે. આમ છતાં જો કુંડળીમાં તેમની સ્થિતિ મજબૂત હોય તો શુભ પરિણામ આપી શકે છે. રંકમાંથી રાજા બનાવી શકે છે. રાહુ-કેતુનું રાશિ પરિવર્તન જીવનમાં આંતરિક અને બાહ્ય બદલાવ લાવી શકે છે. રાહુનું મેષ રાશિમાં અને કેતુનું તુલા રાશિમાં ગોચર ભ્રમણ બારેય જન્મરાશિઓને કેવું ફળ આપશે તે જોઈએ. આ ફળને જન્મલગ્ન અનુસાર પણ ચકાસવાથી વધુ સ્પષ્ટતા મળી શકશે. Rama19920, CC BY-SA 4.0 , via Wikimedia Commons મેષ: રાહુ જન્મલગ્ન/પ્રથમ ભાવમાંથી અને કેતુ સપ્તમભાવમાંથી ગોચર ભ્રમણ કરશે. રાહુ-કેતુનું આ ગોચર ભ્રમણ સંબંધોને અસર કરનારું બની રહેશે. સંબંધો ખાસ કરીને લગ્ન અને વ્યવસાયના ભાગીદારી સંબંધો કસોટીની એરણે ચડશે તેમજ સંબંધમાં રહેલાં મતભેદો સપાટી પર આવી શકે છે. જીવનસાથી કે ભાગીદાર સાથે ગેરસમજ થઈ શકે છે. જો લગ્નજીવનમાં અગાઉથી તણાવનો અનુભવ થઈ રહ્યો હોય તો આ ભ્રમણ દરમિયાન છ

જોશીનું ટીપણું - 5

છબી
Pixabay એપ્રિલ માસમાં ધીમી ગતિના ચાર ગ્રહો ગુરુ , શનિ અને રાહુ-કેતુ ટૂંકા સમયગાળામાં રાશિ પરિવર્તન કરશે. આ સમય બદલાવની ઋતુનો છે. આ રાશિ પરિવર્તન આપણને સૌને કોઈકને કોઈક રીતે અસર કરનારું બની રહેશે. એવું બની શકે છે આ મહત્વપૂર્ણ બદલાવને લીધે હ્રદયમાં લાગણીઓની તીવ્રતાનો અનુભવ થાય. મનમાં વિચારોની ભરતી ઉમડી શકે છે. આસપાસની બાહ્ય પરિસ્થિતિ અતિ ઉત્સાહ કે અતિ નિરાશાનો અનુભવ કરાવી શકે. જ્યારે ઋતુ બદલાઈ રહી હોય ત્યારે માંદા પડવાની સંભાવના સૌથી વધુ હોય છે! ગ્રહોના આ બદલાવની ઋતુ માટે માનસિક રીતે તૈયાર રહો. બદલાવ એ હંમેશા મૂંઝવણ પ્રેરનારો હોય છે. જ્યારે દિવસમાંથી રાત કે રાતમાંથી દિવસ થવાં જઈ રહ્યો હોય ત્યારે થોડાં સમય માટે મૂંઝવણનો અનુભવ થાય છે. આપણે નક્કી નથી કરી શકતાં કે આ પ્રકાશ છે કે અંધકાર ? શક્ય હોય ત્યાં સુધી પ્રકાશ તરફ નજર રાખવાની કોશિશ કરવી અને ખાતરી રાખવી કે ટૂંક સમયમાં જ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે. પરિસ્થિતિ સ્પષ્ટ ન બને ત્યાં સુધી શાંતિ અને ધીરજ રાખવાની કોશિશ કરવી. આ સમય દરમિયાન આવેશમાં આવીને કોઈ ખોટાં કે જોખમી નિર્ણયો લેવાંથી દૂર રહેવું.