પોસ્ટ્સ

જુલાઈ, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ચાતુર્માસ

ચોમાસું શબ્દ ક્યાંથી આવ્યો હશે ? ચોમાસું એટલે કે - ચૌમાસું. ચૌ એટલે ચાર અને માસું એટલે કે માસ અને આમ ચોમાસું એટલે કે ચાતુર્માસ. અષાઢ માસની શુક્લ એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ એકાદશી દેવશયની , હરિશયની અને પદ્મનાભાનાં નામથી પણ ઓળખાય છે. ચાતુર્માસની અવધિ કાર્તિક માસની શુક્લ એકાદશી સુધી રહે છે. જેને દેવઉઠી , દેવોત્થાની કે હરિપ્રબોધિની એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ ચાર મહિનાઓ દરમિયાન ભગવાન શ્રી વિષ્ણુ ક્ષીરસાગરમાં રાજા બલિના દ્વાર પર અનંત શૈયા પર શયન કરે છે. આથી આ ચાર મહિનાની અવધિ દરમિયાન માંગલિક કે શુભ કાર્યો જેવાં કે વિવાહ , ઉપનયન , દિક્ષાગ્રહણ , ગૃહપ્રવેશ , યજ્ઞ , ગોદાન , પ્રતિષ્ઠા વગેરે વર્જિત છે. સૂર્યના કર્ક રાશિ પ્રવેશ સાથે આરંભ થનાર ચાતુર્માસ સૂર્યના તુલા રાશિ પ્રવેશ સાથે સમાપ્ત થાય છે. એ સાથે જ ભગવાન શ્રી વિષ્ણુનો શયનકાળ સમાપ્ત થાય છે. ત્યારબાદ માંગલિક કાર્યોનો આરંભ થઈ જાય છે. આપણાં ધર્મશાસ્ત્રોમાં હરિ શબ્દ સૂર્ય , ચંદ્ર , વિષ્ણુ , વાયુ વગેરે અનેક અર્થોમાં પ્રયોજાયેલો છે. હરિશયન અર્થાત આ ચાર માસ દરમિયાન વાદળ અને વરસાદને લીધે સૂર્ય અને ચંદ્રનું તેજ ક્ષીણ થ

સંદેશ પંચાંગ વિ. સં. 2075-76 (ઈ.સ. 2018-19-20)

છબી
સામાન્ય રીતે ટીનેજર સંતાનનાં માતા કે પિતા કુંડળી જોવડાવવાં આવે એટલે એક પ્રશ્ન અચૂક આવે , “ મારા બાળકના મિત્રો કેવાં છે ?”   તેમને બાળકના મિત્રોની સોબતની ચિંતા સતાવતી હોય છે. મોટાં થયા પછી આપણને સૌ કોઈને મિત્રોની સોબત વગરનું જીવન અધૂરું લાગતું હોય છે. જો કે દરેક લોકો એટલાં ભાગ્યશાળી હોતાં નથી. ઘણીવાર કોઈક નજીકના મિત્રએ આપેલ દગો કે વિશ્વાસઘાત કે પછી છૂટી ગયેલી - તૂટી ગયેલી મૈત્રીનું દર્દ શૂળની જેમ ભોંકાતું હોય છે. કેવાં રહેશે તમારાં મિત્રો અને તમારા મૈત્રી સંબંધો ? આ જ વિષય પર સંદેશ પંચાંગ વિ.સં. 2075-76 માં મારો લેખ પ્રસિદ્ધ થયેલ છે. વાંચો અને વંચાવો તમારા મિત્રોને !!

જન્મભૂમિ પંચાંગ વિ.સં. 2075 (નવેમ્બર 2018 થી માર્ચ 2020)

છબી
પ્રિય મિત્રો, જન્મભૂમિ પંચાંંગ વિ.સં 2075 (નવેમ્બર 2018 થી માર્ચ 2020) માં મારો 'માનસશાસ્ત્ર અને જ્યોતિષ' વિષય પરનો લેખ પ્રગટ થયેલ છે. પ્રસ્તુત લેખમાં માનસશાસ્ત્રના આધારે કુંડળીનું વિશ્લેષણ કરીને મનની વૃતિઓ ઓળખતાં સમજાવેલ છે. જરૂર પડે ત્યાં ઉદાહરણ કુંડળીઓ આપી ચર્ચા કરેલ છે. સ્વની ઓળખ અને વ્યક્તિત્વના વિકાસ માટે આ લેખ ઉપયોગી બની રહેશે તેવી આશા રાખું છુ. લેખ અંગેના આપના પ્રતિભાવો આવકાર્ય છે. આભાર

જોશીનું ટીપણું - 4

છબી
ઘણીવાર પ્રશ્ન થાય કે જીવનમાં દરેક વસ્તુ ઈશ્વરની કૃપાથી જ પ્રાપ્ત થવાની હોય તો સાધના શાં માટે કરવી ? શાં માટે તપ કરવું ? કહેવાય છે ને કે એની મરજી વગર તો પાંદડું પણ નથી હલતું , તો પછી આપણી સાધના કર્યે શું વળે ? આ પ્રશ્ન સમજના અભાવને લીધે કે પ્રમાદને લીધે આપણું મન પેદા કરે છે. હકીકતમાં સાધના એ આપણે ઈશ્વરને પાડેલો સાદ છે અને કૃપા એ ઈશ્વરે આપેલો પ્રતિસાદ છે. જો સાદ જ નહિ પાડો તો પ્રતિસાદ ક્યાંથી સાંપડશે ? દ્વાર જ નહિ ખટખટાવો તો ઉઘડશે ક્યાંથી ? સાદી અને સીધી વાત છે કે જે દ્વાર નથી ખટખટાવતાં એ અંદર પ્રવેશ કરવાની ઈચ્છા પણ નથી ધરાવતાં. સાધના એ આપણે આપણી જાતને ઈશ્વરની કૃપાને લાયક અને તત્પર બનાવી હોવાની નિશાની છે અને ત્યારબાદ સિદ્ધિરૂપી દ્વાર ઉઘડતાં વાર નથી લાગતી. સાધના અને કૃપા અલગ કે વિરોધી નથી. સાધના એ આપણે અધ્યાત્મપથ પર કરેલી ચાલવાની શરૂઆત છે અને ઈશ્વરની કૃપા એ આપણી મંઝિલ !! ક્યાંક પહોંચવા માટે ચાલવાની શરૂઆત તો કરવી જ પડે.