પોસ્ટ્સ

ઑગસ્ટ, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

રાહુના કર્ક અને કેતુના મકર રાશિ ભ્રમણનું બાર રાશિઓ પરત્વે ફળ

ભારતીય જ્યોતિષ અનુસાર રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રના ભ્રમણમાર્ગ પર રહેલાં છેદનબિંદુઓ છે. સૂર્ય અને ચંદ્રના બ્રહ્માંડમાં પોત-પોતાનાં માર્ગ પર ભ્રમણને લીધે રાહુ અને કેતુની સ્થિતિ પણ બદલતી રહે છે. રાહુથી કેતુ હંમેશા 180 અંશની દૂરી પર રહે છે. 18 ઓગસ્ટ , 2017 ના રોજ વહેલી સવારે 04.28 કલાકે રાહુએ કર્ક રાશિમાં અને કેતુએ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં તેઓ 7 માર્ચ , 2019 સુધી ગોચર ભ્રમણ કરશે. રાહુ-કેતુ એક રાશિમાં આશરે 18 મહિના સુધી રહે છે. રાહુ-કેતુના આ કર્ક-મકર રાશિ ભ્રમણનો બાર રાશિઓ/જન્મલગ્ન કેવો પ્રભાવ પડશે તે જોઈએ. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો , દશા-મહાદશા , અષ્ટકવર્ગના બિંદુ વગેરે પરિબળો પર રહેલો છે. મેષ: રાહુએ ચતુર્થભાવમાં અને કેતુએ દસમભાવમાં પ્રવેશ કર્યો છે. માનસિક અશાંતિ અને પીડાનો અનુભવ થઈ શકે છે. માતાને શારીરિક કષ્ટનો અનુભવ થાય. જો કે માતા તરફથી લાભ થઈ શકે છે. કોર્ટ-કચેરીના કેસ ન થાય તેની કાળજી રાખવી. આપત્તિ ,  ચિંતા અને અસ્થિરતાને લીધે હેરાનગતિ અનુભવાય. ગૃહ ક્લેશ થવાની સંભાવના રહે. નોકરી અને વ્યવસાય ક્ષેત

જોશીનું ટીપણું – 3

છબી
ક્યારેક કોઈને મંદિરે જવાનું કહીએને તો સામો પ્રશ્ન આવે કે કેમ ? ઈશ્વર તો સર્વત્ર વ્યાપ્ત છે. હું તો ઘરે રહીને પણ ઈશ્વરને પૂજા અને પ્રાર્થના કરી શકું. મંદિરે જવાની શી જરૂર ? ખરી વાત. ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે. પરંતુ દરેક સ્થળ પોતાની વિશિષ્ટ ઉર્જા અને આંદોલનો ધરાવે છે. ઘણીવાર તમે અનુભવ્યું હશે કે કોઈ મંદિરમાં પ્રવેશ કરતાં જ મન શાંત થઈ ગયુ હોય. મંદિરમાં દરરોજ થતી પૂજા - આરાધના , ધૂપ-દીપ , આરતી , મંત્રોચ્ચાર , ઘંટારવ વગેરે મંદિરની ઉર્જાને સકારાત્મક બનાવે છે. વળી મંદિરે આવતાં લોકો પણ ઘણુંખરું ઈશ્વર સ્મરણમાં મગ્ન રહેતાં હોવાથી તેમના વિચારોની ઉર્જા મંદિરની હવામાં ભળીને સકારાત્મક આંદોલનો પેદા કરે છે. આથી વિરુદ્ધ ક્યારેક કોઈની ઘરે જતાં જ મન ઉદ્વેગ અનુભવવા લાગે. કારણકે તે ઘરના સદસ્યો વચ્ચે વારંવાર થતાં લડાઈ-ઝઘડાં , દલીલો , નકારાત્મક વિચારો હવામાં એક દુર્ગંધની માફક તરતાં હોય છે . આપણી છઠ્ઠી ઈન્દ્રીય તરત જ એ નકારાત્મક ઉર્જા અને આંદોલનોને પકડી લે છે અને ત્યાંથી ભાગી છૂટવાનું મન કરે છે. દરેક સ્થળની વિશિષ્ટ ઉર્જા અને આંદોલનની નોંધ લો. જે સ્થળ મનને શાંતિ અને આનંદ આપે તેની ઉર્જાન

ખંડગ્રાસ ચંદ્રગ્રહણ (ઓગસ્ટ 2017) નું બાર રાશિઓ પરત્વે ફળ

આજે તા.7.8.201 7, શ્રાવણ શુક્લ પૂર્ણિમા , સોમવારના રોજ મકર રાશિમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ જવા થઈ રહ્યું છે. આ ગ્રહણ ભારત સહિત સંપૂર્ણ એશિયા ખંડ , યુરોપ ખંડ , આફ્રિકા ખંડ , રશિયાના દક્ષિણ પ્રદેશમાં , ઓસ્ટ્રેલિયા , પેસિફિક મહાસાગર , હિંદી મહાસાગર , એટલાંટિક મહાસાગર , એંટાર્કટિકામાં દેખાશે. ગ્રહણની અવધિ ભારતીય સમય અનુસાર રાત્રિના 22.52 કલાકથી શરૂ થઈ 24.49 કલાક સુધી રહેશે.  આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ બાર રાશિઓ પરત્વે શુભ , અશુભ કે મિશ્ર પૈકી કેવું ફળ આપશે તે જોઈએ. મેષ: શુભ ફળ – કારકિર્દી બાબતે નવી તકોની પ્રાપ્તિ થઈ શકે છે. નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ થતી અનુભવી શકાય. સામાજીક પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય. વૃષભ: મિશ્ર ફળ – લાંબી યાત્રાઓ કરવાનું ટાળવું. પિતાના આરોગ્યની કાળજી લેવી. ઉચ્ચ અભ્યાસમાં અવરોધ આવવવાની શક્યતા રહે. મિથુન: અશુભ ફળ – પોતાના આરોગ્યની કાળજી લેવી. અચાનક કોઈ નુક્સાન થવાની સંભાવના રહે. શ્વસુરપક્ષ સાથે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું.   કર્ક: મિશ્ર ફળ – લગ્નજીવનમાં મતભેદો થવાની શક્યતા રહે. જીવનસાથી સાથે ગેરસમજ ન થાય તેની કાળજી રાખવી. વ્યવસાયમાં સમજી વિચારીને નિર્ણયો

મંગળનું બાર ભાવમાં ફળ (સારાવલી)

પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત જ્યોતિષ ગ્રંથ સારાવલીના અધ્યાય 30ના શ્લોક 26 થી 37 મંગળનું બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે. પ્રથમ ભાવ: જો મંગળ પ્રથમસ્થાન/લગ્નસ્થાનમાં હોય તો જાતક ક્રૂર , સાહસી , સ્તબ્ધ , અલ્પાયુષી , સ્વમાન અને શૌર્યથી યુક્ત , હિમતવાન , ઈજા પામેલ શરીર ધરાવતો , આકર્ષક દેખાવ ધરાવતો , ચંચળ સ્વભાવનો , ચપળ હોય છે. દ્વિતીય ભાવ: જ્યારે મંગળ દ્વિતીયસ્થાનમાં હોય ત્યારે જાતક દરિદ્ર , નઠારું ભોજન કરનાર , કુરૂપ ચહેરો ધરાવનાર , અયોગ્ય લોકોની સંગત કરનાર , વિદ્યાવિહીન હોય છે.   તૃતીય ભાવ: જો મંગળ તૃતીયસ્થાનમાં હોય તો જાતક શૂરવીર , અજેય , ભાઈ-બહેનો રહિત , આનંદી , સદગુણો ધરાવનાર પ્રસિદ્ધ વ્યક્તિ હોય છે. ચતુર્થ ભાવ: જ્યારે મંગળ ચતુર્થસ્થાનમાં રહેલો હોય ત્યારે જાતક સંબંધીઓના સુખથી રહિત હોય છે. સાધનસરંજામ અને વાહનવિહીન , અત્યંત દુ:ખી , અન્યોના ઘરે નિવાસ કરનારો અને સંતાપ પામેલો હોય છે. પંચમ ભાવ: જો મંગળ પંચમભાવમાં સ્થિત હોય તો જાતક સુખ , સંપતિ અને પુત્રરહિત હોય છે. ચંચળ સ્વભાવનો , ચાડીચુગલી કરનાર , દુષ્ટતાને નોતરનાર , દુરાચારી , સંતાપ પામેલો , ન