પોસ્ટ્સ

મે, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શનિ જયંતી : શનિદેવની કૃપા પ્રાપ્તિનો વિશેષ અવસર

છબી
વૈશાખ માસની કૃષ્ણ પક્ષ અમાવસ્યાએ ભગવાન શનિદેવનો જન્મ થયો હતો. આ વર્ષે 2019માં શનિ જયંતીનું પર્વ 3 જૂન , સોમવારના દિવસે મનાવવામાં આવશે. આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવાં હેતુ તેમની વિશેષ પૂજા-આરાધના કરવામાં આવે છે. ખાસ કરીને શનિની સાડા-સાતી કે નાની પનોતીમાંથી પસાર થઈ રહેલાં જાતકો , શનિની મહાદશા ચાલી રહી હોય કે દૂષિત અથવા પીડિત શનિ ધરાવતાં જાતકો માટે આ દિવસ વધુ મહત્વ ધરાવનારો બની જાય છે. શાસ્ત્રો અનુસાર શનિદેવને સૂર્યદેવના પુત્ર માનવામાં આવે છે. સૂર્ય ની સંજ્ઞા નામક રાણી હતી . એકવા ર સંજ્ઞાથી સૂર્યનું તેજ સહન ન થતાં તેણે પોતાનાં પડછાયામાંથી એક પ્રતિકૃતિનું નિર્માણ કર્યું અને તેનામાં પ્રાણ પૂર્યાં.  આ પ્રતિકૃતિ તે સૂ ર્યની બીજી પત્ની છાયા. બાદમાં સૂર્યદેવ આ ભ્રામક અને માયાવી છાયાના સંસર્ગમાં આવ્યાં અને છાયાનાં સંબંધથી સૂર્યદેવને ત્યાં શનિ મહારાજનો જન્મ થયો. જે ‘ છાયાપુત્ર ’ તરીકે પણ ઓળખાય છે. શનિનો વર્ણ શ્યામ છે. જ્યારે તેનો જન્મ થયો ત્યારે સૂર્યદેવ તેને જોઈને નાખુશ થયા હતા. સૂર્યને દુઃખ થયું હતું   કે પોતાના જેવો સુંદર અને ચળકતો વર્ણ ધરાવનારનો પુત્ર શ્યામ કઈ રીતે હોઈ શકે? ત

સૂર્ય, નેતૃત્વશક્તિ અને આપની રાશિ

છબી
ભારત દેશે પોતાનાં નેતાનું ચયન કરવાની મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરી. જ્યોતિષશાસ્ત્રમાં વ્યક્તિનું નેતા તરીકે ચયન તેની કુંડળીનો સૂર્ય કરે છે. સંસ્કૃતમાં સૂર્યને ‘ શૂરા ’ કહેવામાં આવે છે. શૂરા અર્થાત નાયક !! સૂર્ય એ સમગ્ર જગતનો નાયક છે . જ્યોતિષશાસ્ત્રમાં એ જગતનો પિતા અને જગતનો આત્મા કહેવાયો છે. ગ્રહમંડળમાં સૂર્ય મહારાજને રાજાનું બિરુદ મળેલું છે. તેઓ સમગ્ર ગ્રહમાળાને એક સૂત્રમાં નિયમબદ્ધ ગતિથી પોતાની ચોતરફ ફેરવે છે અને પોતાનાં તેજથી નજીક આવતાં ગ્રહોને અસ્તંગત કરી નાખે છે. સૌરમંડળનું કેન્દ્ર એવો સૂર્ય આપણાં શરીરનું કેન્દ્ર કહી શકાય તેવાં આત્મા અને હ્રદયનો કારક ગ્રહ છે. સ્કૂલના ક્લાસમાં મોનીટરથી લઈને ઓફિસમાં મેનેજર કે બોસ , સોસાયટી કે ક્લબના પ્રમુખ , ખેલની ટીમના કપ્તાન , યુદ્ધની સેનાના નાયક , દેશના મંત્રી કે કુટુંબનાં વડા વગેરે કોઈ પણ પ્રકારનું નેતા પદ સૂર્યની કૃપા વગર પ્રાપ્ત થવું શક્ય નથી. સૂર્યમાં એક ઉત્તમ નેતા બનવાનાં દરેક ગુણ છૂપાયેલાં છે. તે દરરોજ અચૂક નિયમિતતાપૂર્વક અને શિસ્તતાપૂર્વક ઉગે છે અને આથમે છે. સાતત્યતાપૂર્ણ અને આધાર રાખી શકાય તેવો ગ્રહ છે.  પોતાનો પ્રકાશ ભેદભાવ કર્ય

તૂટેલાં પ્રણયનાંં તાર, બાર રાશિઓનાં વ્યવહાર

છબી
ઓ હ્રદય , તેં પણ ભલા! કેવો ફસાવ્યો મને ? જે નથી મારા બન્યાં , એનો બનાવ્યો છે મને! ‍‍ બેફામસાહેબનો આ શેર ઘણીવાર ઘણાંના જીવનની હકીકત બની જતો હોય છે. આપણાં જીવનમાં દરેક વ્યક્તિ ઋણાનુબંધને લીધે પ્રવેશ કરે છે. ઋણાનુબંધ પૂરાં થાય એટલે સંબંધ પણ પૂરો થઈ જતો હોય છે. પરંતુ જ્યારે એક સંબંધ તૂટે છે કે છૂટે છે ત્યારે એક મોત જેવી પીડા આપે છે. તૂટેલાં પ્રણયની વીણાના તાર હ્રદયને દુ:ખથી ઝણઝણાવી મૂકે છે. પીડાના પ્રત્યાઘાત અલગ-અલગ વ્યક્તિ અલગ-અલગ રીતે પાડે છે. કોઈ મજબૂત બનીને ખમી જાય છે તો કોઈ દુ:ખથી ભાંગી પડે છે. આવો જોઈએ કે પ્રણય ભંગ થવાથી અલગ-અલગ રાશિઓ/જન્મલગ્નના જાતકોનો વ્યવહાર કેવો રહે છે. નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો પર રહેલો છે. મેષ (અ , લ , ઈ): જ્યારે સંબંધમાં મુશ્કેલી પેદા થાય ત્યારે અધીરા બની જાય છે. સાથી સાથે ઉગ્ર દલીલો કરે છે અને ન બોલવાનાં વેણ બોલી બેસે છે. ઘણીવાર આવેશમાં આવીને પોતે જ સંબંધ તોડી નાખે છે અને બાદમાં પસ્તાવાનો અનુભવ કરે છે. જ્યારે સાથી સંબંધ તોડીને જીવનમાં આગળ વધી જવાનું નક્કી કરે ત્યારે ઊંડી પીડા

વાસ્તુશાસ્ત્રના આધારે આઠ દિશાઓની ઓળખ

છબી
કહેવાય છે કે દિશા બદલવાથી દશા બદલાઈ જાય છે. વાસ્તુશાસ્ત્રને આ કથન સંપૂર્ણપણે લાગુ પડે છે. યોગ્ય દિશાની પસંદગી કરી યોગ્ય ભવન નિર્માણ કે કાર્ય કરવામાં આવે ત્યારે સુખ અને સફળતાની પ્રાપ્તિ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં આઠ દિશાઓ પૂર્વ , પશ્ચિમ , ઉત્તર , દક્ષિણ , ઉત્તર-પૂર્વ(ઈશાન) , દક્ષિણ-પશ્ચિમ(નૈઋત્ય) , પશ્ચિમ-ઉત્તર(વાયવ્ય) અને દક્ષિણ-પૂર્વ(અગ્નિ)ના આધારે વાસ્તુની ગણના કરવામાં આવે છે. પ્રત્યેક દિશા પર અલગ-અલગ દેવતા અને ગ્રહોનો પ્રભાવ રહેલો છે. આકાશમાં તારાઓ અને સૂર્યના આધારે દિશાની જાણકારી મેળવી શકાય છે. સૂર્ય જે દિશામાં ઊગે તે દિશામાં જો મુખ રાખીને ઊભાં રહો તો તે પૂર્વ દિશા છે . પીઠ તરફની દિશા પશ્ચિમ કહેવાશે. ડાબાં હાથ તરફની દિશા ઉત્તર હશે અને જમણાં હાથ તરફની દિશા દક્ષિણ હશે. દિશાઓની જાણકારી ચોકસાઈપૂર્વક પ્રાપ્ત કરવા માટે દિશાસૂચકયંત્ર એટલે કે હોકાયંત્ર કે કંપાસનો ઉપયોગ કરી શકાય. દિશાઓનું જ્ઞાન વાસ્તુશાસ્ત્રનો શ્વાસ છે. સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર દિશા નિર્દેશોથી ભરેલું છે. આવો વાસ્તુના આધારે આઠ દિશાઓની ઓળખ મેળવવાનો પ્રયત્ન કરીએ. પૂર્વ દિશા: પૂર્વ દિશા અગ્નિતત્વને પ્રભાવિત કરે છે. આ પિતૃ

અક્ષય તૃતીયા - એક વણજોયું મુહૂર્ત

છબી
વૈશાખ માસના શુક્લ પક્ષની તૃતીય તિથિને અક્ષય તૃતીયા અથવા તો અખા ત્રીજ કહે છે. વર્ષ 2019માં અક્ષય તૃતીયા 7 મે , મંગળવારનાં રોજ આવી રહી છે. અક્ષય એટલે કે જેનો કદી ક્ષય થતો નથી. પૌરાણિક ગ્રંથો અનુસાર આ દિવસે જે કંઈ શુભ કાર્યો શરૂ કરવામાં આવે તેનું ફળ ક્ષય પામતું નથી અને તેથી જ આ દિવસને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. અક્ષય તૃતીયાનું જ્યોતિષિક મહત્વ નવ ગ્રહોમાં રાજા અને રાણી સમાન સૂર્ય અને ચંદ્ર એ બંને આ દિવસે પોતાની ઉચ્ચ રાશિ અનુક્રમે મેષ અને વૃષભમાં સ્થિત હોય છે. આ ઘટના વર્ષમાં માત્ર એક વાર ઘટે છે. મહર્ષિ પરાશરે ‘ બૃહત પરાશર હોરા શાસ્ત્ર ’ માં કહ્યું છે કે કુંડળીમાં રચાયેલા દરેક શુભ યોગોનું શુભ ફળ ત્યારે જ મળે છે જ્યારે સૂર્ય અને ચંદ્ર બળવાન હોય. અક્ષય તૃતીયાના દિવસે સૂર્ય અને ચંદ્ર બંને બળવાન હોવાથી શુભ યોગોનું મહત્તમ ફળ પ્રાપ્ત થવાનો અવસર પેદા થાય છે. આ વર્ષની વિશેષતા એ છે કે પાંચ ગ્રહો સૂર્ય , ચંદ્ર , શુક્ર , રાહુ અને કેતુ પોતાની ઉચ્ચ રાશિ અનુક્રમે મેષ , વૃષભ , મીન , મિથુન અને ધનુ માં ગોચર ભ્રમણ કરી રહ્યાં છે. પાંચ ગ્રહોનું પોતાની ઉચ્ચ રાશિમાં ભ્રમણ એક અતિ શુભ સંય