પોસ્ટ્સ

જુલાઈ, 2017 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જન્મભૂમિ પંચાગ વિ.સં. 2074 (નવેમ્બર 2017થી માર્ચ 2019 સુધી)

છબી
પ્રિય વાચકમિત્રો,  જન્મભૂમિ પંચાગ વિક્રમ સંવત 2074 (નવેમ્બર 2017થી માર્ચ 2019 સુધી) માં આપ મારો 'છિદ્ર ગ્રહો' વિષય પરનો લેખ વાંચી શકશો. આશા રાખું છું જ્યોતિષમાં રસ ધરાવતાં મિત્રો માટે આ લેખ રસપ્રદ નિવડશે. આભાર

જોશીનું ટીપણું - 2

છબી
ઘણીવાર પ્રશ્ન થાય કે પ્રારબ્ધ ચડે કે પુરુષાર્થ ? હકિકતમાં પ્રારબ્ધ અને પુરુષાર્થ બંને જોડિયાં બહેનો છે. હંમેશા આંગળી પકડીને સાથે-સાથે ચાલે છે. Inseparable! જેમ કે વરસાદ કેટલો આવશે અને ક્યારે આવશે એ ખેડૂતનું પ્રારબ્ધ છે. જ્યારે ખેતર ખેડવું અને વાવણી કરવી એ ખેડૂતનો પુરુષાર્થ છે. હવે વરસાદના અભાવે પાક નિષ્ફળ જઈ શકે છે અથવા વાવણીના અભાવે વરસાદનું પડવું નિરર્થક સાબિત થઈ શકે છે. અહીં જ્યોતિષની ભૂમિકા શું હોઈ શકે ? શું જ્યોતિષ પ્રારબ્ધવાદી બનાવતું શાસ્ત્ર છે ? ના , પરંતુ કઈ દિશામાં પુરુષાર્થ કરવો અને ક્યાં સમયે પુરુષાર્થ કરવો તેનો દિશા નિર્દેશ કરતું વિજ્ઞાન છે. 

ચાંદ્રમાસના નામ અને અધિક માસ

શું આપ જાણો છો કે આપણાં મહિનાઓના નામ કઈ રીતે પાડવામાં આવ્યાં છે ? શુક્લ અને કૃષ્ણ પક્ષની 15–15 તિથિઓ મળીને કુલ 30 તિથિનો એક મહિનો બને છે. આ મહિનો ચાંદ્રમાસ તરીકે ઓળખાય છે. દરેક ચાંદ્રમાસને એક વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે. આ નામ જે-તે માસની પૂનમના દિવસે ચંદ્ર જે નક્ષત્રમાં હોય તે પરથી આપવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે જો પૂનમના દિવસે ચંદ્ર ‘ ચિત્રા ’ નક્ષત્રમાં સ્થિત હોય તો તે મહિનો ‘ ચૈત્ર ’ કહેવાય છે. એ જ રીતે ‘ વિશાખા ’ નક્ષત્રમાં હોય તો તે મહિનો ‘ વૈશાખ ’ તરીકે ઓળખાય છે વગેરે વગેરે. સમય જતાં આ પદ્ધતિમાં સ્થૂળતા આવતાં ચાંદ્રમાસના નામો સૂર્ય રાશિ આધારિત રાખવામાં આવેલ છે. દરેક માસની અમાવસ્યા પૂર્ણ  થાય કે તરત જ બીજા માસની શુક્લ પ્રતિપ્રદા શરૂ થાય છે. તે સમયે સૂર્ય જે રાશિમાં થઈ હોય તેનાં આધારે તે મહિનાનું નામ નક્કી થાય છે. જેમ કે શુક્લ પ્રતિપ્રદાના આરંભ સમયે ‘ મીન ’ રાશિમાં સૂર્ય હોય તો તે માસનું નામ ‘ ચૈત્ર ’ રહેશે (તે માસની પૂનમે ચંદ્ર મોટે ભાગે ‘ ચિત્રા ’ નક્ષત્રમાં સ્થિત હોવાની સંભાવના રહે છે). તે જ રીતે જો સૂર્ય ‘ મેષ ’ રાશિમાં સ્થિત હોય તો તે માસનું નામ ‘ વૈશાખ ’ રહેશે (ચંદ

જોશીનું ટીપણું - 1

છબી
ક્યારેય એવું બન્યું છે કે તમે ઘરેથી નક્કી કરીને કોઈ સ્થળે જવાં નીકળ્યાં હો પરંતુ ભૂલથી કે અજાણતાં કોઈક બીજાં જ સ્થળે જવાનો રસ્તો પકડી લીધો હોય ? અને પછી અંતરમાં સ્ફૂરણા થઈ હોય કે હવે તો આ જ રસ્તે આગળ વધવું અને નવી જગ્યાનો આનંદ માણવો. અગાઉથી નક્કી કરેલી યોજનાને પડતી મૂકવી! જીંદગીમાં આવા અંતરના અવાજને અનુસરીને લેવાયેલાં તાત્કાલિક નિર્ણયો ઘણીવાર અદભૂત નીવડે છે. નવો રસ્તો નવી તકોને લઈને આવી શકે છે. જ્યારે આપણે આપણી યોજનાઓને , દિનચર્યાને , સમયપત્રકને , વિચારોને જડતાપૂર્વક વળગી રહીએ છીએ ત્યારે અંતરનો અવાજ સાંભળવાનું ચૂકી જઈએ છીએ. હા , ચોક્ક્સ આ રીતે વળગી રહેવાથી આપણે કરવા ધારેલાં દરેક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકીએ છીએ. પરંતુ એ દરેક તકોને ચૂકી જઈએ છીએ જેના માટે આપણે કોઈ યોજના ઘડી નથી. તમારી દિનચર્યાને થોડી બદલો. તમારા સમયપત્રકમાં આવતાં અવરોધોને ઓળખો. ગુસ્સે થવાની બદલે તમારી જાત સાથે વાત કરો અને અંતરના અવાજને અનુસરો. વિશ્વાસ રાખો કે જીંદગીમાં ઘટતી નાનામાં નાની ઘટના પણ કોઈ કારણ વગર ઘટતી નથી! 

શુક્રના મિથુન રાશિમાં ગોચર ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

દૈત્યોના ગુરુ એવાં શુક્રાચાર્યે આજે તા.26.7.2017ના રોજ 17.09 કલાકે મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં શુક્ર તા.21.8.2017 સુધી ગોચર ભ્રમણ કરશે. શુક્રના આ મિથુન રાશિમાં થનાર ગોચર ભ્રમણનું બારેય રાશિઓ/જન્મલગ્નને કેવું ફળ મળશે તે જોઈએ. નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો પર રહેલો છે. મેષ: ભાઈ-બહેનો મદદરૂપ બને અને તેમનાં દ્વારા ધનલાભ થવાની સંભાવના રહે . કોઈ સુંદર સ્થળની ટૂંકી યાત્રા થઈ શકે છે. લખાણો અને સંદેશાઓ દ્વારા કલાત્મક રીતે અભિવ્યક્તિ થઈ શકે. લોકો સાથે આનંદપૂર્વક હળવા-મળવાનું થાય. વૃષભ: સારું ભોજન અને સારા વસ્ત્રોની પ્રાપ્તિ થાય. ધનલાભ થવાની શક્યતા રહે. કોઈ સુંદર વસ્તુ ખરીદવા ધન ખર્ચો તેવું પણ બને. સૌમ્ય અને મૃદુ વાણીથી અન્યોને પ્રભાવિત કરી શકો. કૌટુંબિક બાબતો માટે સમય શુભ રહે. જીવનસાથીનું આરોગ્ય ચિંતા કરાવી શકે. મિથુન: જીવનસાથી સાથે મધુર પળો વીતાવી શકાય. અપરિણીત જાતકોની લગ્ન અંગેની વાતચીત આગળ વધતી જણાય. વિજાતીય પાત્ર પ્રત્યે આકર્ષણ અનુભવાય. શારીરિક દેખાવ અને સુંદરતા પ્રત્યે સભાન બનો. કળાઓ પ્રત્યેની રુચિમાં વધારો

બુધના સિંહ રાશિમાં ગોચર ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ (2017)

આજે તા.21.7.2017ના રોજ યુવરાજ બુધએ સવારે 10.25 કલાકે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. અહીં તે તા.27.9.2017 સુધી ગોચર ભ્રમણ કરશે. તે દરમિયાન તા.13.8.2017ના રોજ વક્રી થશે અને તા.5.9.2017ના રોજ માર્ગી થશે. બુધનું સિંહ રાશિમાં થનારું આ ગોચર ભ્રમણ બારેય રાશિઓને કેવું ફળ આપશે તે જોઈએ. મેષ: અભ્યાસમાં મન ન લાગે. બુદ્ધિ યોગ્ય દિશામાં ન ચાલે. શેર સટ્ટામાં નુક્સાન થઈ શકે છે. વૃષભ: સ્થાવર સંપતિને લીધે ધનલાભ થવાની શક્યતા રહે. વાહનથી લાભ થાય. ઘરમાં કે માતા સાથે ચર્ચાઓનું વાતાવરણ રહે. મિથુન: લેખન કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય. બુદ્ધિ શાંત અને સ્થિર રહે. યાત્રા થવાની સંભાવના છે. કમ્યુનિકેશન યોગ્ય રીતે કરી શકાય. કર્ક: મહત્વના દસ્તાવેજો પર હસ્તાક્ષર કરતી વખતે ધ્યાન રાખવું. નુક્સાન થવાની સંભાવના રહે. ભાઈ-બહેનને લીધે નાણાકીય વ્યય અથવા કૌટુંબિક ક્લેશ થવાની સંભાવના રહે. સિંહ: સારા વિચારો આવે. લેખન કાર્ય સારી રીતે થઈ શકે. મન ચંચળ રહેવાની સંભાવના છે. કન્યા: વ્યવસાયમાં મૂશ્કેલીઓ આવી શકે છે. ખર્ચાઓને લીધે આર્થિક તંગીનો અનુભાવ થાય. મન સ્વસ્થ ન રહે.   તુલા: વ્યવસાયથી લાભ થાય. શેર‌

ચંદ્રનું બાર ભાવમાં ફળ (સારાવલી)

પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત સારાવલી ગ્રંથના અધ્યાય 30ના શ્લોક 14 થી 25 ચંદ્રનું   બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે. પ્રથમ ભાવ: જ્યારે ચંદ્ર પ્રથમભાવ/લગ્નસ્થાનમાં કર્ક , વૃષભ અથવા મેષ રાશિમાં રહેલો હોય ત્યારે જાતક ઉદાર , સુંદર , ધનવાન તેમજ બધાં જ મોજશોખને માણનારો હોય છે. જો આ ત્રણ રાશિઓ સિવાયનું લગ્ન હોય અને ચંદ્ર લગ્નસ્થાનમાં સ્થિત હોય તો જાતક ઉન્મત , મૂક , બધિર , નીચ , દુ:ખી , મંદબુદ્ધિ અને ધનથી ક્ષીણ થનારો હોય છે. દ્વિતીય ભાવ: જ્યારે ચંદ્ર દ્વિતીયભાવમાં રહેલો હોય ત્યારે જાતક અતુલનીય સુખને પામે છે. તે મિત્રો અને સંપતિથી યુક્ત હોય છે. જો દ્વિતીયભાવમાં પૂર્ણ ચંદ્ર રહેલો હોય તો જાતક અત્યંત ધનવાન હોય છે તેમજ ઓછું બોલનાર હોય છે. તૃતીય ભાવ: જો ચંદ્ર તૃતીયભાવમાં રહેલો હોય તો જાતક પોતાના ભાઈ-બહેનોનું રક્ષણ કરે છે. હંમેશા ખુશ રહેનારો , શૂરવીર , વિદ્યા ગ્રહણ કરનારો , વસ્ત્ર અને અન્નથી સંપન્ન હોય છે. ચતુર્થ ભાવ: જો ચંદ્ર ચતુર્થભાવ સ્થિત હોય તો જાતક સંબંધીઓ , સાધન સરંજામ અને વાહનથી યુક્ત હોય છે. તે દાનવીર , જળમાર્ગે યાત્રાનો શોખીન તેમજ નહિ સુખી કે નહિ દુ

સૂર્યનું બાર ભાવમાં ફળ (સારાવલી)

પંડિત શ્રી કલ્યાણ વર્મા રચિત જ્યોતિષ ગ્રંથ સારાવલીના અધ્યાય 30ના શ્લોક 2 થી 13 સૂર્યનું બાર ભાવમાં ફળનું વર્ણન કરે છે. જેનો ભાવાર્થ નીચે મુજબ છે. પ્રથમ ભાવ: જન્મકુંડળીમાં પ્રથમસ્થાન/લગ્નસ્થાનમાં સૂર્ય જાતકના માથા પર વાળ ઓછાં હોવાનો સંકેત કરે છે . કાર્યો કરવામાં આળસુ પ્રકૃતિનો , ક્રોધી , પ્રસિદ્ધ વ્યક્તિ , સન્માનીય અને પ્રતિષ્ઠિત , નબળી દ્રષ્ટિ , બરછટ શરીર , સાહસી , ઉતાવળિયો અને કઠોર હોય છે. જો લગ્નસ્થાનમાં કર્ક રાશિમાં સૂર્ય હોય તો જાતક સોજેલી અથવા ફુલુ ધરાવતી આંખવાળો , મેષ રાશિમાં સૂર્ય હોય તો નબળી દ્રષ્ટિ ધરાવનાર , સિંહ રાશિમાં સૂર્ય હોય તો રતાંધળો  હોય છે અને તુલા રાશિમાં સૂર્ય હોય તો જાતક ગરીબીથી પીડા પામે છે અને સંતાનોને ગુમાવે છે. દ્વિતીય ભાવ: જો સૂર્ય દ્વિતીયભાવમાં સ્થિત હોય તો જાતક નોકરચાકર અને ગાય , ભેંસ , બળદ વગેરે પશુઓના સુખથી સંપન્ન હોય છે.  મુખના રોગથી પીડા પામે છે ,  સુખ અને સંપતિથી વંચિત રહે છે , રાજાના ક્રોધને લીધે અથવા ચોરને લીધે ધન ગુમાવે છે. તૃતીય ભાવ: તૃતીયભાવમાં સૂર્ય જાતકને પરાક્રમી અને બળવાન બનાવે છે. ભાઈ-બહેનને ગુમાવે છે , લોકોમાં પ્રિય હોય