પોસ્ટ્સ

ફેબ્રુઆરી, 2010 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જન્મકુંડળી અને જન્મલગ્ન

છબી
જન્મકુંડળી એ જાતકનાં જન્મ દિવસ અને સ્થળના સંદર્ભે જન્મ સમય વખતે આકાશની ગ્રહસ્થિતિ દર્શાવતો નક્શો છે. પૃથ્વીનાં સૂર્યની આસપાસ પરિભ્રમણ કરવાને લીધે રાશિઓની રચના થઈ છે. જ્યારે પૃથ્વીનાં પોતાની ધરી પરનાં ભ્રમણને લીધે ભાવ રચાયા છે. પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશા તરફ ભ્રમણ કરે છે. આથી પૃથ્વી પરથી જોનારને આકાશમાં પૂર્વ દિશામાં રાશિઓ ઉદિત થતી અને પશ્ચિમ દિશામાં અસ્ત થઈ જતી દેખાય છે. જાતકનાં જન્મ સમયની ક્ષણે કોઈ એક રાશિ પૂર્વ દિશામાં ઉદિત થઈ રહી હશે. જન્મ સમયે પૂર્વ ક્ષિતિજ પર ઉદય પામી રહેલી રાશિ જાતકનું જન્મલગ્ન કહેવાય છે. આ રાશિનો અંક જાતકની કુંડળીનાં સૌથી ઉપર રહેલાં ચતુષ્કોણમાં દર્શાવવામાં આવે છે. તેને જન્મલગ્ન અથવા પ્રથમ ભાવ કહેવાય છે. જન્મકુંડળીમાં ભાવને ડાબી બાજુએથી ઘડિયાળનાં કાંટાથી વિરુધ્ધ દિશામાં ગણવામાં આવે છે. પ્રથમ ભાવના ચતુષ્કોણની ડાબી બાજુએ રહેલો ત્રિકોણ કુંડળીનો દ્વિતીય ભાવ બને છે. જ્યાં જાતકનાં જન્મ બાદ હવે પછી ઉદિત થનારી રાશિનો અંક દર્શાવવામાં આવે છે. આ રીતે એક પછી એક ઉદિત થનારી ૧૨ રાશિઓથી કુંડળીનાં ૧૨ ભાવોની રચના થાય છે. ભાવોને સ્થાન કે ભુવન તરીકે પણ ઓળખવામાં આ

કેતુ

કુંડળીમાં કેતુની સ્થિતિ એ બાબતો કે ક્ષેત્રોનો નિર્દેશ કરે છે કે જે બાબતો અને ક્ષેત્રોનો ગત જન્મમાં વધુ પડતો ભોગ અથવા અનુભવ કરવામાં આવ્યો છે. આથી આ જન્મમાં તે બાબતો પ્રત્યે કોઈ ઝંખના કે આકર્ષણ હોતું નથી. કુંડળીમાં કેતુની સ્થિતિ પરથી કઈ બાબતો માટે અનાસક્તિ કેળવવી જરૂરી છે તેનો સંકેત મળે છે. પરંતુ આ અનાસક્તિ કેળવવા માટે પહેલાં કેતુ દ્વારા જરૂરી પીડા, અભાવ, અસંતોષ અને વિખૂટાંપણું આપવામાં આવે છે. અંતે જાતક તે બાબતો પ્રત્યે સાક્ષીભાવ કેળવી લે છે અને આધ્યાત્મિક માર્ગે આગળ વધે છે. કેતુની પ્રકૃતિ રાહુ કરતાં પૂર્ણતઃ વિરોધી છે. કેતુ અંતર્મુખી, શરમાળ અને રહસ્યમય ગ્રહ છે. તેની મૂળ પ્રકૃતિ નિયંત્રિત કરવાની કે અવરોધવાની છે. જે પણ ગ્રહ સાથે યુતિ કરે તે ગ્રહના કારકત્વને અને જે ભાવ સ્થિત હોય તે ભાવને લગતી બાબતોને નિયંત્રિત કરે છે, અવરોધે છે, સંકોચી નાખે છે અથવા તે બાબતો પ્રત્યે જાતક અસામાન્ય કે અપરંપરાગત વલણ ધરાવે છે. કેતુનાં અવરોધો ક્યાં પ્રકારના છે અને શાં કારણે છે તે તેની રહસ્યમય પ્રકૃતિને લીધે જાણવું મૂશ્કેલ થઈ પડે છે. કેતુ એ સંકોચવાદી ગ્રહ છે. મસ્તકથી અલગ થયેલું ધડ છે. પોતાનાં મસ્તકને જોઈ શકે છે,

રાહુ

રાહુ એ ગત જન્મમાં અચેતન મનમાં રહેલી ઈચ્છા, વાસના, અસંતોષ, ભય, ઘેલછા, મહાત્વાકાંક્ષા, અધૂરી કે અનિર્ણીત રહી ગયેલી બાબતોનો નિર્દેશ કરે છે. જે પછીથી આ જન્મમાં અનુભવવી પડે છે. આમ રાહુ એ પૃથ્વી પર આપણો જન્મ થવા પાછળનું કારણ હોય છે. રાહુ જે રાશિ અને ભાવ સ્થિત હોય તે ભાવને લગતી બાબતો પ્રત્યે જાતક વધુ પડતો સંવેદનશીલ હોય છે અને લાગણીઓને કાબુમાં રાખી શકતો નથી. રાહુ જે ભાવ સ્થિત હોય તે ભાવને સંબંધિત બાબતો અંગે જાતક માનસિક અસ્વસ્થતા અનુભવે છે. તે બાબતોને અનુભવવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે. પરંતુ સાથે-સાથે તે અનુભવતાં તેને ડર લાગતો હોય છે અને તે બાબતોને લઈને અધૂરપ અને અસંતોષ ધરાવતો હોય છે. રાહુ એ બહિર્મુખી અને આગ્રહી ગ્રહ છે. જે પણ ગ્રહ સાથે યુતિ કરે તે ગ્રહના કારકત્વ પ્રત્યે જાતક અદમ્ય આકર્ષણ અનુભવે છે. કોઈ પણ ગ્રહ પર રાહુનો પ્રભાવ તે ગ્રહના કારકત્વને તીવ્ર કરી દે છે, વિસ્તારી દે છે. ગ્રહોની મૂળ પ્રકૃતિમાં તીવ્રતા આવવાની સાથે ક્યારેક વિકૃતિ પણ આવી જાય છે. દા.ત. સૂર્ય એ મહાત્વાકાંક્ષા, સ્વમાન અને ગર્વનો કારક છે. જ્યારે સૂર્ય સાથે રાહુ યુતિ કરે ત્યારે તે અતિ મહાત્વાકાંક્ષા, અહંકાર અને મિથ્યાભિમાન સૂચવે

રાહુ–કેતુ

રાહુ અને કેતુ એ દ્રષ્ટ ગ્રહો નથી. આકાશમાં સૂર્ય, ચન્દ્ર અને બીજાં ગ્રહોની માફક તેમને જોઈ શકાતાં નથી. રાહુ અને કેતુ એ ફક્ત ગાણિતીક બિંદુઓ છે. સૂર્ય અને ચન્દ્રની ભ્રમણકક્ષાઓ જ્યાં એકબીજાંને છેદે છે તે બિંદુઓ રાહુ અને કેતુ તરીકે ઓળખાય છે. ઉત્તરનું છેદનબિંદુ રાહુ કહેવાય છે અને દક્ષિણનું છેદનબિંદુ કેતુ કહેવાય છે. આ બિંદુઓ એક સ્વતંત્ર ગ્રહના જેવું ગુરુત્વાકર્ષણ અને ચુંબકીય પ્રભાવ ધરાવતાં હોવાથી તેમને માનવો પર અસર કરનારા ગણીને ભારતીય જ્યોતિષમાં ગ્રહો તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. રાહુ-કેતુની ગતિ હંમેશા વક્રી રહે છે. તેઓ એક રાશિમાં આશરે દોઢ વર્ષ રહે છે. રાશિચક્રનું એક ભ્રમણ પૂર્ણ કરતાં ૧૮ વર્ષ લાગે છે. રાહુથી કેતુ હંમેશા ૧૮૦ અંશ પર રહે છે. પુરાણો અનુસાર રાહુ એ સિંહિકાનો પુત્ર છે અને કેતુનો જન્મ રાહુમાંથી જ થયો છે. રાહુ-કેતુની કલ્પના સાપ તરીકે કરવામાં આવી છે. સાપને બે ભાગમાં છેદી નાખવામાં આવ્યો છે. સાપનું મુખ એ રાહુ અને પુચ્છ તે કેતુ. પૌરાણિક કથા અનુસાર સમુદ્રમંથન બાદ શ્રીવિષ્ણુ ભગવાન મોહિનીનું સ્વરૂપ ધારણ કરીને દેવોને અમૃત વહેંચતા હતા ત્યારે દૈત્ય રાહુએ અમૃતપ્રાપ્તિ માટે દેવનું રૂપ ધારણ કરી લ

શનિ

શનિ એ નવ ગ્રહોમાં બાહ્યતમ ગ્રહ છે. પૃથ્વીથી ૮૮ કરોડ ૬૧ લાખ માઈલ દૂર છે. ગુરુ કરતાં કદમાં નાનો છે. તેનો વ્યાસ આશરે ૭૫૦૦૦ માઈલ છે. શનિ નામ એ શનૈશ્ચર પરથી આવેલું છે. સંસ્કૃતમાં શનૈઃ શનૈ એટલે કે ધીરે-ધીરે અને શનૈશ્ચર એટલે કે ધીરેથી ચાલનારો. શનિ એ મંદ તરીકે પણ ઓળખાય છે. બધાં ગ્રહોમાં શનિ એ સૌથી મંદ ગતિથી ચાલનારો ગ્રહ છે. તે એક રાશિમાં આશરે અઢી વર્ષ રહે છે. રાશિચક્રનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં તેને ૩૦ વર્ષ જેટલો સમય લાગે છે. પુરાણો અનુસાર એકવાર શનિના ભાઈ યમે ગુસ્સે થઈને શનિના પગ પર વાર કર્યો હતો અને તેને પગમાં ઈજા પહોંચાડી હતી. ત્યારથી શનિ લંગડાતો ચાલે છે અને તેથી જ તેની ગતિ મંદ છે. શનિ એ સૂર્ય અને તેની બીજી પત્ની છાયાનો પુત્ર છે. ગોત્ર કશ્યપ છે અને સૌરાષ્ટ્ર દેશનો સ્વામી છે. તેનો વર્ણ શ્યામ છે. જ્યારે તેનો જન્મ થયો ત્યારે સૂર્યદેવ તેને જોઈને નાખુશ થયા હતા. સૂર્યને દુઃખ થયું હતું કે પોતાના જેવો સુંદર અને ચળકતો વર્ણ ધરાવનારનો પુત્ર શ્યામ કઈ રીતે હોય શકે. ત્યારથી જ પિતા અને પુત્ર વચ્ચે શત્રુતાના બીજ રોપાયા. સૂર્ય અને શનિ એકબીજાનાં શત્રુ છે. એકવાર શનિદેવની પત્ની તેમની પાસે આવી ત્યારે તેઓ શ્રીકૃષ

શુક્ર

શુક્ર એ અંતર્વર્તી અને સૌર મંડળનો સૌથી તેજસ્વી ગ્રહ છે. તેનું કદ લગભગ પૃથ્વી જેટલું જ છે. પૃથ્વી કરતાં સૂર્યથી વધુ નજીક છે. તે પૃથ્વીથી ૬ કરોડ ૭૨ લાખ માઈલ દૂર છે. તેનો વ્યાસ ૭૬૦૦ માઈલ છે. સંસ્કૃતમાં શુક્રનો અર્થ છે શુધ્ધ અથવા તેજસ્વી. શુક્ર એ વ્યુત્પતિની દ્રષ્ટિએ શુક્લ સાથે સમાનતા ધરાવે છે. શુક્લ એટલે કે સફેદ. પુરાણો અનુસાર શુક્ર એ મહર્ષિ ભૃગુના પુત્ર છે અને દૈત્યોના ગુરુ છે. અનેક શાસ્ત્રોના જ્ઞાતા એવા શુક્ર બ્રાહ્મણ વર્ણના છે. તેઓ ભોજકટ દેશના સ્વામી છે. યયાતિ અને બલિના ગુરુ છે. દેવ અને દાનવોની લડાઈમાં દાનવોને સાથ આપનાર હતાં. તેમણે તપસ્યા કરીને ભગવાન શિવ પાસેથી સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી હતી. શુક્રાચાર્યે ૨૦ વર્ષ (વિશોંત્તરી દશા વર્ષ) સુધી વૃક્ષ પર ઊલટાં લટકીને, નીચે બળી રહેલી આગનો ધુમાડો સહન કરીને આકરી તપશ્ચર્યા કરી હતી. આ અશક્ય લાગતી તપશ્ચર્યા સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ ભગવાન શિવે તેમને મહામૃત્યુંજય મંત્ર શીખવાડ્યો હતો. જે મૃતસંજીવની મંત્ર તરીકે પણ ઓળખાય છે. શુક્ર એક રાશિમાં આશરે એક માસ સુધી રહે છે. રાશિચક્રનુ એક ભ્રમણ પૂર્ણ કરતાં તેને એક વર્ષ લાગે છે. લગભગ ૪૫ દિવસ સુધી વક્રી રહે છે.

ગુરુ

ગુરુ એ ગ્રહમંડળનો વિશાળકાય ગ્રહ છે. પૃથ્વીથી ૪૮ કરોડ ૩૩ લાખ માઈલ દૂર છે. તેનો વ્યાસ ૮૮,૦૦૦ માઈલ છે. ગુરુ એ બૃહસ્પતિ, બ્રાહ્મણસ્પતિ અને દેવ-ગુરુ તરીકે પણ ઓળખાય છે. દેવ-ગુરુ એટલે કે દેવોના ગુરુ. પુરાણો અનુસાર ગુરુ એ ઋષિ અંગીરસ અને સુરૂપાના પુત્ર છે. તેમણે તપસ્યા કરીને ભગવાન શિવ પાસેથી દેવોના ગુરુ તરીકે અને નવ ગ્રહોમાંના એક ગ્રહ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. તેઓ સિંધુ પ્રદેશનાં સ્વામી છે. વર્ણ કંચન સમાન પીળો અને ચતુર્ભુજાઓ ધરાવે છે. હાથમાં શંખ, ચક્ર, ત્રિશૂળ અને ગદા ધારણ કર્યા છે. ગુરુની પત્ની તારા છે. તારાએ ચન્દ્ર સાથેનાં સંબંધથી બુધને જન્મ આપ્યો હતો. ગુરુ બુધને પોતાનો શત્રુ માને છે. ગુરુ એ પુરુષ/શિવ ઉર્જા છે અને તારા એ સ્ત્રી/શક્તિ ઉર્જા છે. પુરુષ ઉર્જા સ્થિર અને નિષ્ક્રિય છે. જ્યારે સ્ત્રી ઉર્જા સક્રિય અને ગતિશીલ છે. ગુરુ એ જ્ઞાન છે તો તારા એ જ્ઞાનનું પ્રગટીકરણ છે. આ રીતે જોઈએ તો જ્ઞાનના પ્રગટીકરણ/તારા અને મન/ચન્દ્ર દ્વારા બુધ્ધિ/બુધનો જન્મ થયો છે. ગુરુ એક રાશિમાં આશરે ૧૩ માસ સુધી રહે છે. રાશિચક્રનુ એક પરિભ્રમણ પૂર્ણ કરતાં લગભગ ૧૨ વર્ષ લાગે છે. ૧૨૨ દિવસ સુધી વક્રી રહે છે. ગુરુ એ વિશા