પોસ્ટ્સ

જાન્યુઆરી, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શનિના મકર ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

છબી
જ્યોતિષ જગત માટે મોટી અને મહત્વની કહી શકાય તેવી ઘટના ૨૪ જાન્યુઆરીના રોજ ઘટવા જઈ રહી છે. ૨૪ જાન્યુઆરી , ૨૦૨૦ના રોજ સવારે ૦૯.૫૧ કલાકે શનિ મહારાજ ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. કર્મનું ફળ પ્રદાન કરનાર ન્યાયના દેવતા અને દંડાધિકારી એવાં શનિ મહારાજ એક રાશિમાં આશરે અઢી વર્ષ સુધી રહે છે. બધાં ગ્રહોમાં શનિ સૌથી લાંબા સમય સુધી એક રાશિમાં ભ્રમણ કરે છે. આથી શનિ નું રાશિ પરિવર્તન સતત અઢી વર્ષ સુધી સુખ કે દુ:ખ આપનારું બની રહેતું હોવાથી મહત્વનું બને છે. ૨૪ જાન્યુઆરી , ૨૦૨૦ના રોજ મકર રાશિમાં પ્રવેશ કરતો શનિ અહીં ૨૯ એપ્રિલ , ૨૦૨૨ સુધી ભ્રમણ કરશે. ત્યારબાદ કુંભ રાશિમાં પ્રવેશ કરી જશે. ફરી વક્રી થઈને ૧૨ જૂલાઈ , ૨૦૨૨ના રોજ મકર રાશિમાં પ્રવેશ કરશે. અંતે ૧૭ જાન્યુઆરી , ૨૦૨૩ના રોજ શનિ મકર રાશિમાંથી અંતિમ વિદાય લઈને કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આ સમય દરમિયાન ત્રણ વખત વક્રી બનશે. આ ઉપરાંત મકર રાશિમાં ભ્રમણ દરમિયાન શનિ ગુરુ સાથે જોડાણ પણ કરશે. શનિના ગોચર ભ્રમણની તારીખો જાન્યુઆરી ૨૪ , ૨૦૨૦ – મકર રાશિ પ્રવેશ એપ્રિલ ૨૯ , ૨૦૨૨ – કુંભ રાશિ પ્રવેશ જૂલાઈ ૧૨ , ૨૦૨૨ – મકર રાશિ પ્રવેશ જાન

શનિ ઉપાય : કાળા ઘોડાની નાળ

ભગવાન શનિદેવને પ્રસન્ન કરવાં હેતુ અલગ-અલગ ઉપાયો કરી શકાય છે. તેમાંનો એક ઉપાય કાળા ઘોડાની નાળના પ્રયોગનો છે. ભારત દેશમાં દેવી-દેવતાઓ સાથે પ્રકૃતિનું અને મનુષ્ય ઉપરાંતના જીવોનું મહત્વ રહેલું છે. રસપ્રદ બાબત છે કે વિદેશોમાં પણ અલગ-અલગ રીતે ઘોડાની નાળનો પ્રયોગ લોકપ્રિયતા ધરાવે છે. ઘોડાના પગમાં લાગનારી નાળ લોખંડ કે હાર્ડ સ્ટીલની બનેલી હોય છે. લોખંડ અને સ્ટીલ પર શનિ ગ્રહનું પ્રભુત્વ રહેલું છે. કાળો રંગ પણ શનિના પ્રભાવ હેઠળ આવે છે. આથી લોખંડની બનેલી ઘોડાની નાળ અને તેમાં પણ કાળા રંગના ઘોડાની નાળ શનિદેવને પ્રસન્ન કરવાં હેતુ વિશેષ મહત્વ ધરાવે છે. ઘોડો એ શક્તિ , બળ , ઉર્જા અને તાકાતનું પ્રતીક છે. આપણે યંત્રોની શક્તિ માપવાં માટેનાં પરિમાણને પણ ‘ હોર્સપાવર ’ કહીએ છીએ! અપાર શક્તિ ધરાવતું આ પ્રાણી મહેનત કરનાર હોય છે. મહેનતના ગુણ પર પણ શનિનું પ્રભુત્વ રહેલું છે. જે ઘોડાની નાળ પૂરાં ઉપયોગમાં લેવાયાં બાદ ફેંકી કે છોડી દેવામાં આવી હોય તેને ઉપયોગમાં લેવામાં આવે છે. ઘોડાના પ્રત્યેક કદમ દોડતી વખતે ઉત્પન થયેલી ઉર્જા આવી પૂરાં ઉપયોગમાં લેવાયેલી નાળમાં સમાયેલી હોય છે. જેટલો ઉપયોગ વધારે થયો હશે તેટલી વધુ ઉર

શ્રી શનિ વજ્રપંજર કવચ

છબી
શ્રી શનિ વજ્રપંજર કવચ બ્રહ્માંડપુરાણમાં આપેલ છે. આ કવચ સ્વયં બ્રહ્માએ દેવર્ષિ નારદને બતાવ્યું હતું. શનિની સાડાસાતી પનોતી દરમિયાન શ્રી શનિવજ્રપંજર કવચનો પાઠ પરમ રક્ષક તરીકેનું કાર્ય કરે છે. મનની ઉદાસી અને અકર્મણ્યતા દૂર કરે છે. કાર્યક્ષેત્રમાં સફળતા , અભ્યાસ અને જીવનના અન્ય ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે આ એક પ્રામાણિક કવચ છે. જેના પર શનિની સાડાસાતી કે મહાદશા ચાલતી હોય તેમણે આ કવચનો નિત્ય પાઠ કરવો જોઈએ. જે મનુષ્ય આ કવચનો નિત્ય પાઠ કરે છે તેનાં સર્વે દુ:ખ દૂર થાય છે. આ કવચના પાઠથી શનિદેવ અત્યંત પ્રસન્ન થઈને ભક્તોનું દરેક પ્રકારે રક્ષણ કરે છે તેમજ દરેક મનોરથ પૂર્ણ કરે છે તેમાં કોઈ શંકા નથી. આ કવચનો નિત્ય પાઠ કરવાથી જન્મલગ્નના સર્વ દોષો સંપૂર્ણ નાશ પામે છે.     નીલામ્બરો નીલવપુ: કિરીટી ગૃધ્રસ્થિતસ્ત્રાસકરો ધનુષ્માન । ચતુર્ભુજ: સૂર્યસુત: પ્રસન્ન: સદા મમ સ્યાદ્વરદ: પ્રશાન્ત: ॥ ૧ ॥ બ્રહ્મા ઉવાચ । શ્રૃણુધ્વમૃષય: સર્વે શનિપીડાહરં મહત । કવચં શનિરાજસ્ય સૌરેરિદમનુત્તમમ ॥ ૨॥ કવચં દેવતાવાસં વજ્રપંજર સંજ્ઞકમ । શનૈશ્ચરપ્રીતિકરં સર્વસૌભાગ્યદાયકમ ॥ ૩॥ ૐ શ્રી શનૈશ્ચ

શ્રી શનિ ચાલીસા

છબી
શિવપુરાણમાં વર્ણવેલું છે કે અયોધ્યાના રાજા દશરથે શનિદેવને ‘ શનિ ચાલીસા ’ દ્વારા પ્રસન્ન કર્યા હતાં. શનિની સાડાસાતી પનોતી અને શનિ મહાદશા દરમિયાન શનિ ચાલીસાના પાઠ કરવા અતિ શુભ ફળદાયી રહે છે. શનિ ચાલીસાના નિયમિત પાઠથી શનિ સંબંધિત દરેક પ્રકારના દોષોનું નિરાકરણ થાય છે. આ સાથે ગુજરાતી ભાવાર્થ સાથે શનિ ચાલીસા પ્રસ્તુત છે. ॥ દોહા॥ જય ગણેશ ગિરિજા સુવન , મંગલ કરણ કૃપાલ , દીનન કે દુ:ખ દૂર કરિ , કીજૈ નાથ નિહાલ. હે માતા પાર્વતીના પુત્ર ભગવાન શ્રી ગણેશ , આપની જય હો. આપ કલ્યાણકારી છો , બધાં પર કૃપા કરનારાં છો , દીન લોકોના દુ:ખ દૂર કરી તેમને પ્રસન્ન કરો હે ભગવાન.   જય જય શ્રી શનિદેવ પ્રભુ , સુનહુ વિનય મહારાજ , કરહું કૃપા હે રવિ તનય , રાખહુ જન કી લાજ. હે ભગવાન શ્રી શનિદેવજી , આપની જય હો. હે પ્રભુ , અમારી પ્રાર્થના સાંભાળો . હે રવિપુત્ર , અમારા પર કૃપા કરો અને અમારી લાજ રાખો. ॥ ચૌપાઈ॥ જયતિ જયતિ શનિદેવ દયાલા , કરત સદા ભક્તન પ્રતિપાલા . હે દયા કરનારા શનિદેવ! આપની જય હો! જય હો! આપ સદા ભક્તોનું પાલન કરનાર છો. ચારિ ભુજા , તનુ શ્યામ વિરાજૈ , માથે રતન મુકુટ છબિ છાજ