પોસ્ટ્સ

મે, 2010 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સિંહ રાશિનાં મંગળનો બાર રાશિઓ પર પ્રભાવ

૨૬ મે, ૨૦૧૦ના રોજ મંગળે કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કર્યો છે. મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છેલ્લાં લગભગ આઠ મહિનાથી પોતાની નીચ રાશિ કર્કમાં ભ્રમણ કરી રહ્યો હતો. સામાન્ય રીતે એક રાશિમાં આશરે ૪૫ દિવસ સુધી રહેનારો મંગળ વક્રી થવાને લીધે લાંબા સમય સુધી કર્ક રાશિમાં રહ્યો. પરંતુ હાલ હવે સિંહ રાશિમાં પ્રવેશેલો મંગળ આગામી ૨૦ જુલાઈ, ૨૦૧૦ સુધી સિંહ રાશિમાં ભ્રમણ કરશે. બારેય રાશિઓને સિંહ રાશિમાં મંગળનું ગોચર ભ્રમણ કેવું ફળ આપશે તે જોઈએ. મેષ મેષ રાશિને પંચમ સ્થાનમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ સંતાને બાબતે ચિંતા કરાવે. સંતાનો સાથે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ટાળવું. નાણાકીય ખર્ચને કાબુમાં રાખવો. પેટની બિમારીઓથી સાવધ રહેવું. હરિફો અને શત્રુઓથી હેરાનગતિ સંભવી શકે. વૃષભ વૃષભ રાશિને ચતુર્થ સ્થાનમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ માનસિક ચિંતાઓ કરાવે. ચિત અસ્થિર રહે તેમજ ભોજન અને ઉંઘ અનિયમિત બને. ઘરમાં અશાંતિ રહે અને પરિવારજનોનાં વિરોધનો સામનો કરવો પડે. જમીન-મિલ્કતને લગતાં નિર્ણયો સંભાળીને લેવાં. મિથુન મિથુન રાશિને તૃતીય સ્થાનમાંથી થનારું મંગળનું ગોચર ભ્રમણ સાહસ અને પરાક્રમની વૃધ્ધિ કરાવે. શત્રુઓ પર

આચરણ શુદ્ધિ

જ્યોતિષીઓ જાતકની સમસ્યાઓનાં સમાધાન માટે મંત્ર, દાન, ઉપવાસ વગેરે ઉપાયો સૂચવતાં હોય છે. ઘણીવાર જાતક પોતે જ પોતાની સમસ્યાઓનાં સમાધાન માટે ઉપાયો સૂચવવાની માગણી કરતો હોય છે. જ્યોતિષિક ઉપાયો એ હકિકતમાં એક જાતની ઈશ્વરને કરાતી પ્રાર્થના અને તપસ્યા જ છે. આ કશું ન કરીને ફક્ત સારા કર્મો કરવાથી, સત્ય અને પ્રામાણિકતાના માર્ગે ચાલવાથી અને બીજાને મદદરૂપ થવાની ભાવના રાખવાથી પણ આપણે આપણાં કર્મોની પીડા હળવી કરી શકીએ છીએ. જ્યારે આપણે અસત્ય અને અપ્રામાણિકતાના માર્ગે ચાલીએ છીએ, બીજાને દુઃખ પહોંચાડીએ છીએ, છેતરીએ છીએ કે બીજાનો લાભ લેવાની વૃતિ ધરાવીએ છીએ ત્યારે ઈશ્વરના કોઈ જપ, તપ કે મંત્ર કામ આવતાં નથી. આપણે એક મનુષ્યને છેતરી શકીએ પરંતુ ઈશ્વરને છેતરી શકતાં નથી. એ તો ઉપર બેઠો-બેઠો આપણાં દરેક આચરણની નોંધ લઈ રહ્યો છે. ઓશોએ એક સરસ વાત કહી છે. "Truth is something which is a very intrinsic quality for a spiritual seeker. When someone cheats other person, then in a way He cheats his own soul. Although, we don't realize it, but we all are connected and are part of the cosmic unity. Whatever we do, it gets re

વક્રી ગ્રહો - ૨

આપણે અગાઉ જોયું કે વક્રી બનેલો ગ્રહ પૃથ્વીથી નજીક હોવાથી વિશેષ પ્રમાણમાં અસર કરતો હોય ફળકથનમાં તેની ભૂમિકા અગત્યની છે.  વક્રી ગ્રહ એક જ ભાવ/ભાવબિંદુ અને ભાવમાં રહેલાં ગ્રહ પરથી બે-ત્રણ વાર પસાર થાય છે. પહેલી વખત માર્ગી ગતિથી પસાર થાય છે. ત્યારબાદ વક્રી બનીને ફરી એ જ ભાવબિંદુ પરથી પસાર થાય છે. અંતે ફરી માર્ગી બનીને એ જ ભાવબિંદુને આવરે છે. આ રીતે એક જ ભાવ/ભાવબિંદુ અને ગ્રહ પરથી વધુ વાર પસાર થવાથી વક્રી ગ્રહને પોતાનું શુભ કે અશુભ ફળ આપવાની તક વધુ વાર પ્રાપ્ત થાય છે. આ કારણથી પણ વક્રી ગ્રહ ફળકથનમાં અગત્યનો બની રહે છે. પૃથ્વી પર સમયની સાથે જીંદગી આગળ વધે છે. જ્યારે વક્રી ગ્રહો સમયની સાથે પાછળ ચાલે છે. પાછળ ચાલતાં હોવાથી વક્રી ગ્રહો જે ભાવનાં અધિપતિ હોય તે ભાવને લગતી બાબતનું વિલંબથી ફળ આપે છે. દા.ત. સપ્તમેશ તરીકે વક્રી ગુરુ લગ્ન મોડાં કરાવી શકે છે. પરંતુ ગુરુનાં કારકત્વને લગતી બાબતો જેવી કે સંતાન, વિદ્યા, ડહાપણ, જ્ઞાન વગેરેને લગતું કોઈ અશુભ ફળ મળતું નથી કે તે પ્રાપ્ત થવામાં કોઈ મૂશ્કેલી પડતી નથી. શુભ ગ્રહ વક્રી થાય ત્યારે મહાશુભ બને છે અને પાપગ્રહ વક્રી થાય ત્યારે મહાપાપ બને છે. કુંડળ