પોસ્ટ્સ

માર્ચ, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

રામચરિત માનસની ચોપાઈથી મનોકામના પૂર્તિ

છબી
‘ રામ ’ શબ્દ એ એક ચમત્કારી મંત્ર છે. સામાન્ય રીતે લોકો મળે ત્યારે એકબીજાને ‘ રામ રામ ’ કે ‘ જય શ્રી રામ ’ કહે છે. સાહજિક રીતે બોલાતાં આ ‘ રામ ’ શબ્દ કે મંત્રમાં આધ્યાત્મિક પ્રગતિ કરાવવાની તાકાત છૂપાયેલી છે. દરરોજ રામ નામનો જપ કરવાથી દરેક પ્રકારની મૂશ્કેલીઓ દૂર થાય છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે.  તુલસીદાસજી રચિત રામચરિત માનસ એક અદભૂત ગ્રંથ છે. તુલસીદાસજી મંત્ર રચયિતા હતા અને રામચરિત માનસની દરેક ચોપાઈ મંત્રની જેમ સિદ્ધ છે. આ ચોપાઈઓના નિયમિત અને નિષ્ઠાપૂર્વક જાપ કરવાથી ઈચ્છિત હેતુની પ્રાપ્તિ થાય છે. નીચે કેટલીક ચોપાઈઓ આપેલ છે જેના પઠનથી જે-તે હેતુની પ્રાપ્તિ થઈ શકે છે.    રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ હેતુ: साधक नाम जपहिं लय लाएं ।   होहि सिद्धि अनिमादिक पाएं ।। ધન સંપતિ પ્રાપ્તિ હેતુ: जे सकाम नर सुनहिं जे गावहिं ।   सुख सम्पत्ति नानाविधि पावहिं લક્ષ્મીની પ્રાપ્તિ હેતુ: जिमि सरिता सागर मंहु जाही ।   यद्यपि ताहि कामना नाहीं ।।   तिमि सुख संपत्ति बिनहि बोलाएं । धर्मशील पहिं जहि सुभाएं ।। દુર્ભાગ્યને ભાગ્

જ્યોતિષ અને કવિતા - 2

21 માર્ચ એટલે કે World Poetry Day !! આજના દિવસે ચાલો માણીએ શ્રી સુરેશ દલાલની એક સુંદર રચના...   શ્યામ મારો આ કોરો કાગળ એમાં દોરો તમે કુંડળી અને કહો કે મળશું ક્યારે ? કૈં કેટલા ઘોંઘાટના અહીં ઘૂંઘટપટ રે ઢળ્યા એને કહો ખોલશો ક્યારે ? રાહુ ચંદ્રને ગળી જાય તો તમે ઝૂલશો મારે માથે શરદપૂનમનું આભ થઈને એવું વચન તો આપો. સૂર્ય , ગુરુ કે કેતુ , મંગળ ; અમને કાંઈ સમજ નહીં , ગ્રહો વિરહના ટળશે એવું આશ્વાસન તો આપો. એક એક આ ઘરમાં મૂકો વાંસળીઓના સૂર અને બળવાન શુક્રને કરો મોરપિચ્છને ધારી માધવ દર્શન દેશો ક્યારે ? – તમે અમારું ભાવિ કહેશો ક્યારે ? શ્યામ તમે અવ સાચું કહેજો તમને પણ અમને મળવાનું મન કદીય થાય ખરું કે નહીં ? અમે તમારી આગળપાછળ આમતેમ બસ ભટક્યા કરીએ તમને પણ ક્યાંક ઊભા રહીને આંખોમાં આંખો રોપીને માનમલાજો મર્યાદાને લોપી દઈને ગોપીના આ લોચનને જલ ડૂબી જવાનું મન કદીય થાય ખરું કે નહીં ? શ્યામ તમારી સાથે મારે કયા જનમની સગાઈ થઈ છે ને કયા જનમમાં સગપણ ફળશે ? રે , ક્યાં લગી આ જીવ ટળવળશે ? – મને કૈં કહેશો ક્યારે ? ~ સુરેશ દલાલ

ગુરુ - શુક્ર પરિવર્તન યોગ - માર્ચ 2018

હાલ 2 માર્ચ , 2018 થી પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ગોચર ભ્રમણ કરી રહેલો શુક્ર તુલા રાશિમાં ગોચર ભ્રમણ કરી રહેલાં ગુરુ સાથે પરિવર્તન યોગ રચી રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ એ દેવોના ગુરુ અને શુક્ર એ દાનવોના ગુરુ છે. બંને ગુરુઓ વચ્ચે શત્રુતા છે પરંતુ એ ના ભૂલવું જોઈએ કે આ બે સજ્જનોની શત્રુતા છે. સજ્જનોની શત્રુતામાં વૈચારીક મતભેદો હોઈ શકે પરંતુ ક્રોધ , લડાઈ કે હિંસાને કોઈ સ્થાન હોતું નથી. હાલ આ પરિવર્તન યોગથી કહી શકાય કે બંને એકબીજાના વિચારોને સમજવાની કોશિશ કરી રહ્યા છે !! આ પરિવર્તન યોગ ગુરુની બે રાશિઓ ધનુ અને મીનમાંથી અને શુક્રની બે રાશિઓ વૃષભ અને તુલામાંથી ફક્ત ધનુ રાશિ/લગ્ન માટે શુભ ફળ આપશે. ધનુ માટે મહા પરિવર્તન યોગ રચાઈ રહ્યો છે. જયારે શુભ ભાવનાં સ્વામીઓ પરિવર્તન યોગમાં સંકળાયેલાં હોય ત્યારે મહા યોગ રચાય છે. આ શુભ ભાવો ૧ , ૨ , ૪ , ૫ , ૭ , ૯ , ૧૦ અને ૧૧ છે. અન્ય રાશિઓ મીન , વૃષભ અને તુલા માટે દૈન્ય પરિવર્તન યોગ રચાઈ રહ્યો છે. જ્યારે પરિવર્તન યોગમાં સંકળાયેલ ગ્રહોમાંથી કોઈ એક ગ્રહ ૬ , ૮ કે ૧૨માં ભાવનો સ્વામી હોય ત્યારે દૈન્ય યોગ રચાય છે. મીન , વૃષભ અને તુલા રાશિ / લગ્ન ધરાવતા જાતકોને

નવરાત્રિની સમાપ્તિ - શ્રી રામની સ્તુતિનો અવસર

આજથી શરૂ થયેલ “ ચૈત્ર નવરાત્રિ” ચૈત્ર શુક્લ પ્રતિપદાથી લઈને રામનવમી સુધી નવ દિવસ મનાવવામાં આવે છે. ગરમીના દિવસોમાં વસંત ઋતુમાં આવનારી આ નવરાત્રિ “વાસંતેય નવરાત્રિ” તરીકે ઓળખાય છે. ઠંડીના દિવસોમાં આશ્વિન માસના શુક્લ પ્રતિપ્રદાથી આરંભ થઈને નવ દિવસો સુધી મનાવવામાં આવતી નવરાત્રિ “શારદેય નવરાત્રિ” તરીકે ઓળખાય છે. આ નવરાત્રિની નવમીના બીજા દિવસે દશેરાનું પર્વ ઉજવવામાં આવે છે. “વાસંતેય નવરાત્રિ”ના અંતે ભગવાન શ્રીરામનો જન્મ અને “શારદેય નવરાત્રિ”ના અંતે ભગવાન શ્રીરામના હસ્તે રાવણનો વધ. આમ આ બંને નવરાત્રિના અંતે મા જગદંબા આપણને ભગવાન શ્રીરામની સ્તુતિ કરવાનો શુભ અવસર પ્રદાન કરે છે !! આ સાથે જ આજથી શાલિવાહન શક 1940 ‘ વિલંબી ’ નામ સંવત્સરનો પ્રારંભ થાય છે. મરાઠી વિક્રમ સંવત 2075નો પણ આજથી આરંભ થાય છે. ગુજરાત-કાઠિયાવાડમાં વિક્રમ સંવતનો આરંભ કાર્તિક માસથી માનવામાં આવે છે.   નવરાત્રિ , નવવર્ષ , ગુડી પડવા , ચેટીચાંદની સૌને હાર્દિક શુભકામનાઓ !!

Women's Day 2018

છબી
સ્ત્રી સહેલાઈથી રડી શકે છે. એક ક્ષણમાં હસતી સ્ત્રી બીજી જ ક્ષણે આંસુ વહાવતી હોય તેવું બની શકે !! એ ગુસ્સામાં હોય ત્યારે પણ રડે , ખુશ હોય ત્યારે પણ રડે , દુ:ખી હોય ત્યારે પણ રડે અને ઉદાસ હોય ત્યારે પણ રડે ! અશ્રુઓ એ તેની લાગણીઓનું દ્રશ્યસ્વરૂપ છે. સજળ નેત્ર એટલે સ્ત્રી અને સજળ ગ્રહો એટલે ચંદ્ર અને શુક્ર . જ્યોતિષમાં જળ એ લાગણીઓ અને સંવેદનાઓનું પ્રતીક છે અને એટલે જ જળતત્વ ધરાવતાં ચંદ્ર અને શુક્ર સ્ત્રી ગ્રહો કહેવાયા છે. સૌમ્યતા , ઋજુતા , લાગણી , સંવેદના , કરુણા , સૌંદર્ય , પ્રેમ , કળા , સંવાદિતા આ બધું જ આ સ્ત્રી ગ્રહોને આભારી છે. શુષ્કતા , ઉગ્રતા , કઠોરતા , લાગણીહીનતા , મહાત્વાંકાક્ષા અને યુદ્ધપ્રિયતા આ બધું જ પુરુષ ગ્રહોનાં ખાતે ગયુ છે. આજના આ દિવસે ચંદ્ર જેવી મધુર શીતળતા અને શુક્ર જેવી સરળ સંવાદિતા સૌને પ્રાપ્ત થાઓ તેવી શુભેચ્છા . Happy Women’s Day !!