નવરાત્રિની સમાપ્તિ - શ્રી રામની સ્તુતિનો અવસર
આજથી શરૂ થયેલ “ચૈત્ર નવરાત્રિ” ચૈત્ર શુક્લ
પ્રતિપદાથી લઈને રામનવમી સુધી નવ દિવસ મનાવવામાં આવે છે. ગરમીના દિવસોમાં વસંત
ઋતુમાં આવનારી આ નવરાત્રિ “વાસંતેય નવરાત્રિ” તરીકે ઓળખાય છે. ઠંડીના દિવસોમાં
આશ્વિન માસના શુક્લ પ્રતિપ્રદાથી આરંભ થઈને નવ દિવસો સુધી મનાવવામાં આવતી નવરાત્રિ
“શારદેય નવરાત્રિ” તરીકે ઓળખાય છે. આ નવરાત્રિની નવમીના બીજા દિવસે દશેરાનું પર્વ
ઉજવવામાં આવે છે. “વાસંતેય નવરાત્રિ”ના અંતે ભગવાન શ્રીરામનો જન્મ અને “શારદેય
નવરાત્રિ”ના અંતે ભગવાન શ્રીરામના હસ્તે રાવણનો વધ. આમ આ બંને નવરાત્રિના અંતે મા
જગદંબા આપણને ભગવાન શ્રીરામની સ્તુતિ કરવાનો શુભ અવસર પ્રદાન કરે છે !!
આ સાથે જ આજથી
શાલિવાહન શક 1940 ‘વિલંબી’
નામ સંવત્સરનો પ્રારંભ થાય છે. મરાઠી વિક્રમ સંવત 2075નો પણ આજથી
આરંભ થાય છે. ગુજરાત-કાઠિયાવાડમાં વિક્રમ સંવતનો આરંભ કાર્તિક માસથી માનવામાં આવે
છે.
નવરાત્રિ, નવવર્ષ, ગુડી
પડવા, ચેટીચાંદની સૌને હાર્દિક શુભકામનાઓ !!
ટિપ્પણીઓ