પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2010 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વાસ્તુશાસ્ત્રના આધારે પૂજાઘરની રચના

છબી
ઘરની સૌથી પવિત્ર જગ્યા એટલે પૂજાઘર. પ્રત્યેક સવારે ઈશ્વરની પૂજા-આરાધના કરતા સમયે મન અને આત્માને સકારાત્મક આંદોલનોની અનુભૂતિ થાય તે માટે પૂજાઘર ઉર્જામય હોવું જરૂરી છે. વાસ્તુશાસ્ત્રના આધારે પૂજાઘરને કઈ રીતે ઉર્જામય બનાવી શકાય તે જોઈએ. * ઇશાન કોણ(પૂર્વ-ઉત્તર) એ પૂજાઘર માટે સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. આ સિવાય પૂર્વ અથવા ઉત્તર દિશામાં પૂજાઘર બનાવી શકાય. * વિશાળ જગ્યા જેવી કે ફેક્ટરી, સોસાઈટી કે મોટી વસાહત માટે ભૂમિના મધ્ય ભાગમાં એટલે કે બ્રહ્મસ્થાનમાં પૂજાઘર બનાવી શકાય. * જો ઘરમાં એક કરતા વધુ માળ હોય તો પૂજાઘર ઉપરના માળે ન બનાવતા ભોંયતળિયે(Ground floor) જ બનાવવું જોઈએ. ઘરની નીચે ભોંયરામાં(Basement) ક્યારેય પૂજાઘર ન બનાવી શકાય. * સીડીની નીચે પૂજાઘર ન બનાવવું જોઈએ. * પૂજાઘરની છત નીચી હોવી શુભ ગણાય છે. છત નીચી કરવા માટે કૃત્રિમ છત પણ બનાવી શકાય. * પૂજાઘરને વધુ ઉર્જામય બનાવવા માટે છતને પિરામીડનો આકાર પણ આપી શકાય. * પૂજાઘરનું પ્રવેશદ્વાર અને બારીઓ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવા જોઈએ. પ્રવેશદ્વાર બે પલ્લા(shutter) ધરાવતું હોવું જોઈએ. પૂજાઘરને ઉંબરો હોવો પણ શુભ ગણાય છે. * જો ઘરમાં અલગ પૂજ

વાસ્તુશાસ્ત્રના આધારે શયનખંડની રચના

છબી
આપણે આપણા જીવનનો સરેરાશ ત્રીજા ભાગ જેટલો સમય સૂવામાં વિતાવીએ છીએ. આથી આપણા સૂવાનું સ્થળ એટલે કે ઘરનો શયનખંડ આપણા જીવનનો મહત્વનો ભાગ બની રહે છે. સમગ્ર દિવસની વ્યસ્તતા અને દોડધામને અંતે શાંત નિદ્રા થકી ફરી તાજગી અને સ્ફૂર્તિ મેળવવા માટે સકારાત્મક ઉર્જા ધરાવતો શયનખંડ હોવો અત્યંત જરૂરી બની જાય છે. વાસ્તુશાસ્ત્રનાં આધારે શયનખંડમાં કઈ રીતે સકારાત્મક ઉર્જાની અનુભૂતિ કરી શકાય તે જોઈએ. * મુખ્ય શયનખંડ માટે નૈઋત્ય કોણ(દક્ષિણ-પશ્ચિમ) આદર્શ છે. અન્ય શયનખંડો મુખ્ય શયનખંડની પૂર્વ અથવા ઉત્તર દિશાએ બનાવી શકાય. મુખ્ય શયનખંડનો ઉપયોગ ઘરની મુખ્ય વ્યક્તિ એટલે કે પિતા અથવા સૌથી મોટા પુત્રએ કરવો જોઈએ. જો ઘરમાં એક કરતા વધુ માળ હોય તો મુખ્ય વ્યક્તિએ ઉપલા માળે રહેલાં શયનખંડનો ઉપયોગ કરવો જોઈએ. ઘરના મોટા પુત્ર માટે દક્ષિણ દિશાનો શયનખંડ યોગ્ય રહે છે. નવદંપતી અથવા નાના પુત્ર માટે પશ્ચિમ દિશાનો શયનખંડ યોગ્ય રહે છે. વાયવ્ય કોણમાં(ઉત્તર-પશ્ચિમ) માત્ર અતિથિ માટે શયનખંડ બનાવવો જોઈએ. આ સિવાય વાયવ્ય કોણનો શયનખંડ વિવાહયોગ્ય પુત્રી માટે શુભ છે. બાળકો માટે પશ્ચિમ દિશાનો શયનખંડ ઉચિત રહે છે. આ સિવાય જો ઇશાન કોણમાં(પૂર્વ-ઉત્તર