પોસ્ટ્સ

માર્ચ, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગંડાંતના ગુરુની ગડમથલ - 29/03/2019

છબી
ગોચરમાં વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહેલાં ગુરુ મહારાજે 1 5 માર્ચ , 2019 ના રોજ ગંડાંત ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. 29 માર્ચ , 2019 ના રોજ 0 અંશે ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. 10 એપ્રિલ , 2019 ના રોજ વક્રી થશે અને 23 એપ્રિલ , 2019 ના રોજ ફરી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ બધો સમય ગંડાંતમાં જ રહેલાં ગુરુ મહારાજ 6 મે , 2019 ના રોજ ગંડાંત ક્ષેત્રમાંથી બહાર આવશે. ગંડાંત ક્ષેત્ર કાર્મિક ફળ આપે છે. કોઈ પણ ગ્રહનું ગંડાંતમાં હોવું એ કઠિન પરિસ્થિતિ છે. અહીં ગ્રહ આરામપ્રદ સ્થિતિનો અનુભવ નથી કરતો અને પોતાની ઉર્જાને કુદરતી રીતે અભિવ્યક્ત કરવામાં અસમર્થ બને છે. ગંડાંત એટલે શું ? ગંડાંત શબ્દની સંધિ છૂટી પાડીએ તો ગંડ+અંત થાય. સંસ્કૃતમાં ગંડ એટલે કે ગાંઠ અથવા ગ્રંથિ અને ગંડાંત એટલે કે અંતમાં , છેવટમાં લાગેલી ગાંઠ. જ્યાં પણ ગાંઠ પડે ત્યાં મુશ્કેલી ઉભી થાય. પછી એ ગાંઠ દોરીમાં પડી હોય , સંબંધમાં પડી હોય કે રાશિચક્રમાં! આપણાં આર્ષદ્રષ્ટા ઋષિમુનિઓએ બાર રાશિઓનાં બનેલાં રાશિચક્રમાં ત્રણ જગ્યાએ ગાંઠ પડ્યાંનો સંકેત આપ્યો છે. ક્યાં પડી છે આ ગાંઠ ? આ સમગ્ર વિશ્વ પાંચ તત્વોથી બનેલું છે. ૧. અગ્

મંગળના વૃષભ પ્રવેશની બાર રાશિઓ પર શુભાશુભ અસર - 22/03/2019

છબી
નવ ગ્રહોમાં મંગળને સેનાપતિનું સ્થાન આપવામાં આવ્યું છે. મંગળ એ યુદ્ધનો દેવતા છે. યુદ્ધ લડવાં માટે શક્તિ , બળ , હિંમત , સાહસ , જોશ , પરાક્રમ , આવેગ , આક્રમકતા અને ઉગ્રતાની જરૂર પડે. મંગળ આ દરેક ગુણનું પ્રતિનિધિત્વ કરે છે. તે વિશિષ્ટ શારીરિક તાકાત ધરાવતો ગ્રહ છે. ઝડપથી વિચારે છે અને ઝડપથી વિચારોને અમલમાં મૂકે છે. લડાયક અને વાદ-વિવાદ કરનારો ગ્રહ છે. શક્તિ , સાહસ , ક્રોધ , યુદ્ધ , દુર્ઘટના , અકસ્માત , હિંસા , યંત્ર-શસ્ત્ર , શત્રુ , ભાઈ-ભાંડુ , પોલીસ , શસ્ત્રક્રિયા કરનાર ડોક્ટર , મિકેનીકલ એન્જીનીયર , ભૂમિ , અગ્નિ અને વીજળીનો કારક ગ્રહ છે. શરીર પર થતાં ઘા , કાપાં , ઘસરકાંઓ અને દાઝવાનાં નિશાનો મંગળને આભારી હોય છે. મંગળ ઉર્જાથી ભરપૂર ગ્રહ છે. સકારાત્મક રીતે ઉર્જાને પોલીસ કે સેનામાં ભરતી થઈને લોકોનું રક્ષણ કરવામાં વાપરી શકાય અને નકારાત્મક રીતે આતંક ફેલાવી હિંસા આચરી શકાય. બધો આધાર આપણાં ઉપર છે કે આપણે મંગળની ઉર્જાનો ઉપયોગ કઈ રીતે કરવો છે. 22 માર્ચ , 2019ના રોજ 15.06 (IST) કલાકે મંગળ મેષમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે. મેષ રાશિ મંગળની સ્વરાશિ હતી. મેષ રાશિમાં મંગળ પૂર્ણ સ્વરૂપે બળવાન અ

મીનના સૂર્યનો બાર રાશિઓ પર પ્રભાવ - 15/03/2019

છબી
15 માર્ચ , 2019 ના રોજ નવગ્રહોમાં રાજા એવા સૂર્ય મહારાજ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યાં છે. મીન રાશિના સ્વામી ગુરુ સાથે સૂર્યને મિત્રતા છે. લગભગ બે મહિના સુધી શત્રુ શનિની મકર અને ત્યારબાદ કુંભ રાશિમાં વિચરણ કર્યા બાદ મિત્રના ઘરમાં સૂર્યદેવનો મુકામ આરામદાયક રહેશે. વળી હવે અહીં સૂર્ય પર વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહેલાં મિત્ર ગુરુની દ્રષ્ટિ પણ પડી રહી છે , જે શુભ છે. સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચત્વ ધારણ કરે છે અને તેથી મીન રાશિમાં સૂર્ય ઉચ્ચાભિલાષી બની શુભ પરિણામ આપવાં સક્ષમ બને છે. જો કે મીન રાશિ જળતત્વ ધરાવતી રાશિ છે અને સૂર્ય અગ્નિતત્વ ધરાવતો ગ્રહ છે. આથી અહીં સૂર્ય પોતાની ઉગ્રતા અને આક્રમકતા થોડાંઘણાં અંશે ગુમાવે છે. જ્યોતિષમાં જળ એ લાગણીઓ અને સંવેદનાઓનું પ્રતીક છે. મીન રાશિના સૂર્ય દરમિયાન લાગણી અને સંવેદનાઓ ઉગ્ર અને આક્રમક સ્વરૂપે વ્યક્ત થશે. જે કંઈ નિર્ણયો લેવાય કે ઘટનાઓ ઘટે તે લાગણીમાં દોરવાઈને ઘટે. તર્ક અને વ્યવહારુપણાંનો અભાવ રહે. ધ્યાન , યોગ અને અધ્યાત્મમાં પ્રગતિ માટે મીન રાશિનો સૂર્ય ફળદાયી રહે. મીન રાશિમાં સૂર્યના પ્રવેશ સાથે જ મીનાર્ક કમુહૂર્તાનો પણ પ્ર

ગુજરાત ન્યૂઝલાઈન – કેનેડા

છબી
પ્રિય વાચકમિત્રો , આજથી કેનેડાના અગ્રણી ગુજરાતી અખબાર ‘ ગુજરાત ન્યૂઝલાઈન ’ માં મારા જ્યોતિષ વિષયક લેખોની લેખમાળા શરૂ થઈ છે. જે હવે પછી દર શુક્રવારે પ્રસિદ્ધ થશે. આ લેખો આપ ઓનલાઈન http://www.gujaratnewsline.ca પર જઈને વાંચી શકશો. આ લેખો હું અહીં બ્લોગ પર પણ પોસ્ટ કરવા પ્રયત્ન કરીશ. જેથી આ બ્લોગના વાચકમિત્રો પણ આ લેખમાળાના લેખો વાંચી શકે. આશા રાખું છું જ્યોતિષમાં રસ ધરાવતાં મિત્રોને આ લેખમાળા ઉપયોગી અને રસપ્રદ નીવડશે. 

રાહુનું મિથુનમાં અને કેતુનું ધનુ રાશિમાં ગોચર ભ્રમણ ફળ

7 માર્ચ , 2019 ના રોજ સવારે 07.29 કલાકે રાહુ ચંદ્રની કર્ક રાશિમાંથી બુધનું સ્વામીત્વ ધરાવતી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે કેતુ શનિની મકર રાશિમાંથી ગુરુનું સ્વામીત્વ ધરાવતી ધનુ રાશિમાં પ્રવેશ કરશે. સામાન્ય રીતે રાહુ શુક્ર-બુધની રાશિઓમાં અને કેતુ ગુરુ-મંગળની રાશિઓમાં શુભ ફળ આપે છે. અમુક આચાર્યોના મત મુજબ મિથુન રાશિમાં રાહુ અને ધનુ રાશિમાં કેતુ ઉચ્ચત્વ ધારણ કરે છે. ધનુ રાશિમાં પહેલેથી જ શનિ મહારાજ બિરાજમાન છે. આથી ધનુ રાશિમાં શનિ-કેતુનું જોડાણ થશે. જાન્યુઆરી 2020માં શનિ મહારાજ ધનુમાંથી નીકળી જશે. એટલે લગભગ અગિયાર મહિના સુધી શનિ-કેતુની સંયુક્ત અસર અનુભવાશે. 5 નવેમ્બર , 2019 ના રોજ ગુરુ મહારાજ પણ વૃશ્ચિક રાશિમાંથી નીકળીને શનિ-કેતુ સાથે ધનુ રાશિમાં જોડાશે. ગ્રહોની સંયુક્ત અસરો રાહુ-કેતુના ફળમાં ફેરફાર કરશે. રાહુ-કેતુ એક રાશિમાં આશરે દોઢ વર્ષ સુધી રહે છે. ધનુ રાશિમાં રાહુ-કેતુ સપ્ટેમ્બર 2020 સુધી ગોચર ભ્રમણ કરશે. રાહુ-કેતુના આ ભ્રમણનો બારેય રાશિઓ/જન્મલગ્ન પર કેવો પ્રભાવ પડશે તે જોઈએ. અહીં નોંધ લેશો કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલાં ગ્રહો