જ્યોતિષ દ્વારા કમાણી
![છબી](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhgXfCnChP843ol5wWyZ3L_qVAaVXQ87LzLxbyTcrBFc1UlkMzN_47N2Aj9863IvCB2xLsl72oR-T68Eluon8E8wAkagAJDkxpK_0WP0-UikcANF7ZBhZjOhAKpPbuO88TN_y81P9paf16wjJaa9VY9q-QFoPg7QBpS2JxQMmGFPdt34qKzHYaMNMdknZ4/s320/%E0%AA%9C%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B%E0%AA%A4%E0%AA%BF%E0%AA%B7%20%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE%20%E0%AA%95%E0%AA%AE%E0%AA%BE%E0%AA%A3%E0%AB%80.png)
ઘણાં લોકો જ્યોતિષ શીખવાં માટે ઉત્સુકતા દર્શાવતા હોય છે. એ પાછળનું કારણ પૂછીએ તો ઘણીવાર જાણવાં મળે કે જ્યોતિષ શીખીને કમાણી કરવી છે. જો ‘ કમાણી ’ કરવી એ જ જ્યોતિષ શીખવાં પાછળનો હેતુ હોય તો તે તદ્દન અયોગ્ય અભિગમ કહી શકાશે. જ્યોતિષ એ દૈવીય વિજ્ઞાન છે અને તેનો પહેલો અને એકમાત્ર હેતુ લોકોની મદદ કરવાનો જ હોઈ શકે. હા , એનો મતલબ એમ નથી કે જ્યોતિષ નિ:શુલ્ક જોવાનું હોય. દક્ષિણા તો વૈદિક ફિલસૂફીનું અભિન્ન અંગ છે. આપવું અને લેવું એ આ સંસારનો નિયમ છે. પરંતુ જ્યોતિષની મદદથી પૈસા કમાઈ લેવાં છે કે આવકનું સાધન ઊભું કરવું છે તો આ રસ્તો તમારાં માટે નથી. સૌ પ્રથમ તો જ્યોતિષ એ કંઈ ચપટી વગાડતાં શીખી જવાય એવી વિદ્યા નથી કે આમ શીખી ગયાં અને આમ કમાવાં લાગ્યાં. આ તો વર્ષોની એકધારી સતત સાધના અને સમર્પણનું પરિણામ હોય છે. ઉપરાંત કોઈ દૈવીય વિજ્ઞાનનો સ્વાર્થ માટે ઉપયોગ ફક્ત અને ફક્ત કર્મના બંધનમાં વધારો કરે છે. જ્યોતિષ જરૂર શીખો , પરંતુ તે શીખવાનો હેતુ આધ્યાત્મિક હોવો જોઈએ. ભૌતિક હેતુ અશુભ કર્મના પટારાનો ભાર વધારવા સિવાય બીજું કશું નહિ કરી શકે.