જ્યોતિષ દ્વારા કમાણી


ઘણાં લોકો જ્યોતિષ શીખવાં માટે ઉત્સુકતા દર્શાવતા હોય છે. એ પાછળનું કારણ પૂછીએ તો ઘણીવાર જાણવાં મળે કે જ્યોતિષ શીખીને કમાણી કરવી છે. જો કમાણીકરવી એ જ જ્યોતિષ શીખવાં પાછળનો હેતુ હોય તો તે તદ્દન અયોગ્ય અભિગમ કહી શકાશે. જ્યોતિષ એ દૈવીય વિજ્ઞાન છે અને તેનો પહેલો અને એકમાત્ર હેતુ લોકોની મદદ કરવાનો જ હોઈ શકે. હા, એનો મતલબ એમ નથી કે જ્યોતિષ નિ:શુલ્ક જોવાનું હોય. દક્ષિણા તો વૈદિક ફિલસૂફીનું અભિન્ન અંગ છે. આપવું અને લેવું એ આ સંસારનો નિયમ છે. પરંતુ જ્યોતિષની મદદથી પૈસા કમાઈ લેવાં છે કે આવકનું સાધન ઊભું કરવું છે તો આ રસ્તો તમારાં માટે નથી. સૌ પ્રથમ તો જ્યોતિષ એ કંઈ ચપટી વગાડતાં શીખી જવાય એવી વિદ્યા નથી કે આમ શીખી ગયાં અને આમ કમાવાં લાગ્યાં. આ તો વર્ષોની એકધારી સતત સાધના અને સમર્પણનું પરિણામ હોય છે. ઉપરાંત કોઈ દૈવીય વિજ્ઞાનનો સ્વાર્થ માટે ઉપયોગ ફક્ત અને ફક્ત કર્મના બંધનમાં વધારો કરે છે. જ્યોતિષ જરૂર શીખો, પરંતુ તે શીખવાનો હેતુ આધ્યાત્મિક હોવો જોઈએ. ભૌતિક હેતુ અશુભ કર્મના પટારાનો ભાર વધારવા સિવાય બીજું કશું નહિ કરી શકે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

૨૭ નક્ષત્રો

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર