પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2013 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

જ્યોતિષ અને કવિતા

મારા ગમતાં કવિઓમાંના એક છે શ્રી વિપિન પરીખ. અછાંદસ કાવ્યો માટે પ્રખ્યાત એવા શ્રી વિપિન પરીખના કાવ્યોમાં સંવેદનશીલતા, કટાક્ષ અને વેદનાનો સુભગ સમન્વય જોવા મળે છે. ખાસ કરીને તેમના કાવ્યોનો અંત ચોટદાર જોવા મળે છે. શ્રી વિપિન પરીખના કાવ્યોમાં જ્યોતિષ કે જ્યોતિષ સંબંધિત બાબતોનો ઉલ્લેખ પણ ઘણીવાર જોવા મળે છે. આથી લાગે છે કે કવિશ્રી જરૂર જ્યોતિષ વિષયમાં રસ કે અભ્યાસ ધરાવતા હશે. આજે જ્યોતિષના વાંચનને બાજુ પર રાખીને તેમની થોડી ચૂંટેલી કવિતાઓ માણીએ  J અવદશા વાવાઝોડું તો પસાર થઈ જશે સમય પડખું પણ બદલશે , શનિ દશા , રાહુ અંતરદશા જશે ને ગુરુ ધીમાં-ધીમાં પગલાં પણ મૂકશે પ્રાંગણમાં , વાદળો તો ખસશે આકાશમાંથી ; પણ સૂરજના ઊગવામાં હું શ્રદ્ધા ખોઈ બેસીશ તો ? શાણા માણસો કહે છે: બધું ઠીક થઈ જશે થોડા સમયમાં , પણ ત્યાં સુધીમાં હું હસવાનું ભૂલી જઈશ તો ? - વિપિન પરીખ બિછાનામાં પ્રત્યેક ક્ષણે દીકરી મોટી થતી જાય છે પ્રત્યેક ક્ષણે એની આંખો કોરી થતી જાય છે. માને આજીજી કરે છે : ‘મા, મારા માટે મુરતિયો લાવ, કોઈ પણ...!’ મા બારણાં ખટખટાવતી જ રહી. મહેલોનાં પણ, હવે ચાલીઓનાં પણ!

નવગ્રહ કવચ

નવગ્રહ કવચના પાઠ આત્મરક્ષા હેતુ કરવામાં આવે છે. નિયમિત અને શ્રદ્ધાપૂર્વક આ કવચના પાઠ કરવાથી સુખ-સમૃદ્ધિ અને આયુષ્યની વૃદ્ધિ થાય છે. નિ : સંતાનને સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે. શત્રુઓ પર વિજય મેળવી શકાય છે. દરેક જગ્યાએ રક્ષણ મળી રહે છે અને સુરક્ષિતતાનો અનુભવ થાય છે. બ્રહ્મોવાચ । શિરો મે પાતુ માર્તાણ્ડો કપાલં રોહિણીપતિઃ । મુખમંગારકઃ પાતુ કંઠશ્ચ શશિનન્દનઃ । બુદ્ધિં જીવઃ સદા પાતુ હ્રદયં ભૃગુનન્દનઃ । જઠરં ચ શનિ: પાતુ જીહ્વાં મે દિતિનન્દનઃ । પાદૌ કેતુ: સદા પાતુ વારાઃ સર્વાઙમેવ ચ । તિથયોઙ્ષ્ટૌ દિશઃ પાન્તુ નક્ષત્રાણિ વપુઃ સદા । અંસૌ રાશિઃ સદા પાતુ યોગાશ્ચ સ્થૈર્યમેવ ચ । ગુહ્યં લિઙગં સદા પાન્તુ સર્વે ગ્રહા: શુભપ્રદા: । અણિમાદીનિ સર્વાણિ લભતે ય: પઠેદ્ ધ્રુવમ્ ।। એતાં રક્ષાં પઠેદ્ યસ્તુ ભક્ત્યા સ પ્રયેત: સુધી: । સ ચિરાયુઃ સુખી પુત્રી રણે ચ વિજયી ભવે‌ત્‌ ।। અપુત્રો લભતે પુત્રં ધનાર્થી ધનમાપ્નુયાત્ । દારાર્થી લભતે ભાર્યાં સુરુપાં સુમનોહરામ્ । રોગી રોગાત્પ્રમુચ્યેત બદ્ધો મુચ્યે‌ત બન્ધના‌ત્‌ । જલે સ્થલે ચાન્તરિક્ષે કારાગારે વિશેષત: ।