શ્રી શનૈશ્ચર સ્તવરાજ સ્તોત્ર
શનિ એ કાર્મિક ગ્રહ છે. ગત જન્મોના કર્મના આધારે આ જન્મમાં શુભ કે અશુભ ફળ પ્રદાન કરે છે. કર્મફળદાતા હોવાથી કુંડળીમાં શનિની સ્થિતિ , દશા , ગોચર વગેરે મહત્વના બની જાય છે. શનિદેવ જો શુભ ફળ આપે તો જીવનમાં અવરોધ અને કષ્ટનો અનુભવ ઘટી જાય છે. આથી શનિદેવને પ્રસન્ન કરવાં હેતુ ભવિષ્યપુરાણમાં " શનૈશ્ચરસ્તવરાજ" આપેલ છે. તેનાં આચાર્ય ઋષિ સિન્ધુદ્વીપ છે તથા ગાયત્રીછંદમાં તેની રચના થયેલી છે. આપો તેનાં દેવતા છે. શનિદેવની કૃપા પ્રાપ્તિ હેતુ આ પાઠ કરવાનું પ્રયોજન છે. સંસ્કૃત ભાષાનો આ સ્તોત્ર એક પ્રકારે શનિ મહારાજની પ્રશંસા છે. તેમાં શ્લોક ૬થી લઈને ૧૯ સુધીમાં શનિદેવના ૧૦૮ નામ સમાયેલાં છે. સૌરિ , શનૈશ્ચર , કૃષ્ણ , નિલોત્પલનિભ વગેરેથી લઈને ક્રિયાસિન્ધુ , નીલાંજ્જનચયચ્છવિ , સર્વરોગહરદેવ , સિદ્ધ-દેવગણસ્તુત સુધી અષ્ટોત્તરશતનામાવલિ સમાયેલી છે. જે કોઈ શ્રદ્ધા અને સમર્પણ સાથે આ સ્તોત્રના પાઠ કરે છે તે શનિદેવના આશીર્વાદ પામે છે. શનિજનીત પીડાઓ દૂર થાય છે અને દરેક પ્રકારના રોગ , દુ:ખ-દર્દ , ભય તેમજ અનિષ્ટોનો નાશ થાય છે. ધન , ઐશ્વર્ય , સંતાન અને કીર્તિમાં વૃદ્ધિ થાય છે. શનિવારના રોજ આ સ્તોત્રના પાઠ કરવાં વિશ...