પોસ્ટ્સ

નવેમ્બર, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ચંદ્ર - મંગળનો લક્ષ્મીયોગ

છબી
જન્મલગ્ન કુંડળીમાં ચંદ્ર અને મંગળના સંબંધથી બનતાં યોગને લક્ષ્મીયોગ અથવા ધનયોગ તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્ર-મંગળ યોગ ત્રણ પ્રકારે રચાય છે. ૧. જન્મકુંડળીમાં ચંદ્ર અને મંગળ એક જ ભાવમાં યુતિમાં રહેલાં હોય . ૨. ચંદ્ર અને મંગળ પરસ્પર એકબીજાં પર દ્રષ્ટિ કરી રહેલાં હોય. અર્થાત ચંદ્રથી સાતમા ભાવમાં મંગળ કે મંગળથી સાતમા ભાવમાં ચંદ્ર રહેલો હોય . ઉદાહરણ તરીકે વૃષભ રાશિમાં ચંદ્ર અને વૃશ્ચિક રાશિમાં મંગળ રહેલો હોય અથવા કર્ક રાશિમાં ચંદ્ર અને મકર રાશિમાં મંગળ રહેલો હોય. ૩. જન્મકુંડળીમાં ચંદ્ર અને મંગળ પરસ્પર કેન્દ્રભાવમાં રહેલાં હોય. જો કે આ યોગ ઉપર વર્ણવેલ બે યોગ કરતાં નબળો અથવા ઓછું ફળ આપનાર હોય છે. આ ઉપરાંત ચંદ્ર અને મંગળ વચ્ચેનો પરિવર્તનયોગ પણ ચંદ્ર-મંગળ લક્ષ્મીયોગનું ફળ પ્રદાન કરી શકે છે. ચંદ્ર એ શ્વેત રંગ , શીતળ પ્રકૃતિ , જળતત્વ , સ્ત્રી સ્વભાવ , સત્વગુણ ધરાવનાર ગ્રહ છે. ચંદ્ર કર્ક રાશિનો સ્વામી છે. વૃષભ રાશિમાં ઉચ્ચત્વ અને વૃશ્ચિક રાશિમાં નીચત્વ ધારણ કરે છે. ચંદ્ર એ મન અને માતાનો કારક ગ્રહ છે. સૂર્યથી દૂર રહેલો ચંદ્ર પ્રભાવી , બળવાન અને શુભ ગણાય છે. તેથી વિપરિત સૂર્યથી નજ

વાસ્તુ અનુસાર સીડી ચઢાવે સફળતાની સીડી

છબી
વાસ્તુશાસ્ત્ર અનુસાર બનાવેલી સીડી જીવનમાં સફળતાની સીડી ચઢાવી શકે છે. ઘરનું નિર્માણ કરતી વખતે પૂજાઘર , શયનકક્ષ , રસોઈઘર વગેરેના વાસ્તુ ઉપર જ વધારે ધ્યાન આપવામાં આવે છે. જ્યારે ઘણીવાર સીડીઓની અવગણના કરવામાં આવે છે. પરંતુ સીડીઓનો વિચાર કરવો પણ અત્યંત મહત્વપૂર્ણ છે. વાસ્તુશાસ્ત્રનું ઊંડાણપૂર્વક અધ્યયન કરવાથી આપણે જાણી શકીએ કે સીડીઓ આપણી સફળતા અને અસફળતાને પ્રભાવિત કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણી સફળતાનો આધાર સીડીની રચના પર રહેલો છે. આ કારણે ઘરના નિર્માણમાં સીડીઓ પર ધ્યાન આપવું આવશ્યક હોય છે. આવો વાસ્તુશાસ્ત્રના આધારે સીડીઓની બનાવટના નિયમો સમજીએ. ૧. સીડી ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં અથવા નૈઋત્ય કોણમાં (દક્ષિણ-પશ્ચિમ) બનાવવી શુભ રહે છે. નૈઋત્ય કોણમાં સીડી સૌથી ઉત્તમ રહે છે. ૨. ઘરના ઈશાન કોણમાં (પૂર્વ-ઉત્તર) સીડી ન બનાવવી જોઈએ. તેનાથી ઈશાનકોણ કપાતાં ઘરમાં ધનનું આગમન પ્રભાવિત થઈ શકે છે. ૩. વાસ્તુના બ્રહ્મસ્થાન એટલે કે ઘરના બરાબર વચ્ચેના ભાગમાં ક્યારેય સીડી ન હોવી જોઈએ. બ્રહ્મસ્થાન વાસ્તુપુરુષનું કોમળ અને આવશ્યક સ્થાન છે. તેના પર વજન પરિવારમાં વિષાદ , બીમારી કે નિર્ધનતાનું

મંગળના તુલા ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

છબી
૧૦ નવેમ્બર , ૨૦૧૯ના રોજ ૧૪.૨૫ કલાકે મંગળ મહારાજ કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. અહીં મંગળ અગાઉથી ભ્રમણ કરી રહેલાં સૂર્ય અને બુધ સાથે જોડાણ કરશે. હાલ શુક્ર મહારાજ ૨૧ નવેમ્બર , ૨૦૧૯ સુધી વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. શુક્રનું મંગળની રાશિમાં હોવું અને મંગળનું શુક્રની રાશિમાં હોવું એ ગોચરમાં શુક્ર અને મંગળ વચ્ચે પરિવર્તન યોગની રચના કરશે. આ પરિવર્તન યોગ મંગળને અનિર્ણયાત્મકતાની સ્થિતિ આપી શકે છે. કઈ દિશામાં જવું તેની સમજ ન પડે. આપણાં વિચારો અને નિર્ણયો વારંવાર બદલાતાં જણાય. નવગ્રહોમાં મંગળ એ સેનાપતિ છે અને સેનાપતિ સદાય ચોક્ક્સ , જાગૃત અને એકાગ્ર હોય તે જરૂરી છે. પરંતુ શુક્ર સાથે મંગળનો પરિવર્તન યોગ મંગળને બેધ્યાન અને બેખબર કરી શકે છે. શુક્રના કારકત્વ અને ફળને લગતી બાબતો વધુ મહત્વની બને. ૨૫ ડિસેમ્બર , ૨૦૧૯ સુધી મંગળ મહારાજ તુલા રાશિમાં ભ્રમણ કરશે. ત્યારબાદ પોતાની રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરી જશે. મંગળના તુલા રાશિમાં પ્રવેશ સાથે અત્યાર સુધી શનિ અને મંગળ વચ્ચે રચાઈ રહેલો પરસ્પર દ્રષ્ટિયોગ ભંગ થશે. મંગળ શનિની દ્રષ્ટિની પકડમાંથી મુક્ત થતાં તણાવમાં કમી આવે. સામાન્ય રીતે મં

ગુરુના ધનુ ભ્રમણનો બાર રાશિઓ પર પ્રભાવ

છબી
આગામી તારીખ ૦૫ નવેમ્બર , ૨૦૧૯ના રોજ વહેલી સવારે ૦૫.૨૪ કલાકે ગુરુ મહારાજ સ્વરાશિ ધનુમાં પ્રવેશ કરી રહ્યાં છે. ધનુ રાશિમાં ગુરુ ૨૦ નવેમ્બર , ૨૦૨૦ સુધી ગોચર ભ્રમણ કરશે. વચ્ચે ૩૦ માર્ચ , ૨૦૨૦થી ૩૦ જૂન , ૨૦૨૦ના ત્રણેક મહિનાના ટૂંકા સમયગાળા દરમિયાન ગુરુ મકર રાશિમાં રહેશે. ધનુ રાશિમાં ગુરુનું ગોચર ભ્રમણ બારેય રાશિઓ/જન્મલગ્નને કેવું ફળ આપશે તે જોઈએ.   અહીં નોંધવું જરૂરી છે કે નીચે વર્ણવેલ ફળ સ્થૂળ છે. સૂક્ષ્મ ફળનો આધાર વ્યક્તિગત કુંડળીમાં રહેલા ગ્રહો, દશા-મહાદશા, અષ્ટકવર્ગમાં જે-તે સ્થાનને મળેલાં બિંદુઓ વગેરે પર રહેલો છે. મેષ (અ , લ , ઈ) : ગુરુ નવમભાવમાંથી ભ્રમણ કરશે. અત્યાર સુધી અષ્ટમભાવમાં ભ્રમણ કરી રહેલાં ગુરુ કરતાં નવમભાવમાં ગુરુનું ભ્રમણ શુભ ફળ પ્રદાન કરનાર રહે. ભાગ્યની વૃદ્ધિ થાય. બૌદ્ધિકતા , તંદુરસ્તી , આત્મવિશ્વાસ , ખુશી , રચનાત્મકતા અને સકારાત્મકતામાં વધારો થાય. જ્ઞાનપ્રાપ્તિની ઈચ્છા તીવ્ર બને. આ સમય સારા કર્મો કરીને વ્યક્તિત્વનો વિકાસ સાધવાનો રહે. આનંદદાયી અને લાભદાયી લાંબી તેમજ ટૂંકી મુસાફરીઓ થાય. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસમાં વૃદ્ધિ થાય. ગુરુ , સંત કે શ

ધનુ રાશિમાં ગુરુ ૨૦૧૯ : સત્ય અને ધર્મની સ્થાપના

છબી
હાલમાં જ સમગ્ર ભારત દેશે હર્ષોલ્લાસપૂર્વક દિવાળીનું પર્વ મનાવ્યું. જ્યોતિષ જગતની દિવાળી કહી શકાય તેવી ઘટના આગામી ૫ નવેમ્બરના રોજ બનવા જઈ રહી છે. ૫ નવેમ્બર , ૨૦૧૯ના રોજ વહેલી સવારે ૦૫.૨૪ કલાકે દેવગુરુ બૃહસ્પતિ વૃશ્ચિક રાશિમાંથી સ્વરાશિ ધનુમાં પ્રવેશ કરી રહ્યાં છે. પોતાની જ રાશિમાં ગુરુનો પ્રવેશ દેશ-દુનિયા અને આપણાં સૌ માટે ઈશ્વરીય આશીર્વાદ લઈને આવશે. આ અગાઉ લગભગ ૧૨ વર્ષ પહેલાં નવેમ્બર ૨૦૦૭થી ડિસેમ્બર ૨૦૦૮ સુધી ગુરુએ સ્વરાશિ ધનુમાં ગોચર ભ્રમણ કર્યું હતું. ગુરુ એક રાશિમાં આશરે ૧૩ માસ રહે છે. રાશિચક્રનું એક પરિભ્રમણ પૂર્ણ કરતાં લગભગ ૧૨ વર્ષ લાગે છે.   ૧૨૨   દિવસ સુધી વક્રી રહે છે. ધનુ અને મીન રાશિનો સ્વામી છે. બુદ્ધિશાળી અને શાસ્ત્રોમાં પારંગત એવો ગુરુ બધાં ગ્રહોમાં સૌથી વધુ શુભ ગ્રહ ગણાય છે. જ્ઞાન , ડહાપણ , વિદ્યા , સંતાન , સંપતિ , ધર્મ , ન્યાય , સત્યપ્રિયતા , પ્રમાણિકતા અને પરોપકારનો કારક ગ્રહ છે. આવા શુભ ગુરુના ગોચર ભ્રમણનું કંઈ ને કંઈ શુભ ફળ વ્યક્તિગત જન્મકુંડળી અનુસાર અવશ્ય મળે છે.   વૃશ્ચિક એ જળરાશિ છે અને ધનુ અગ્નિરાશિ છે. જ્યાં જળ રાશિ પૂરી થાય અને અગ્નિ રાશિની શરૂઆ