પોસ્ટ્સ

ફેબ્રુઆરી, 2018 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

હોળાષ્ટક

હોળાષ્ટક એટલે કે જાણે હોળીના પર્વના આગમનની જાણ કરતો દરવાજે પડતો ટકોરો !! નામ અનુસાર જ હોળાષ્ટક હોળી અગાઉના આઠ દિવસ હોય છે. પરંતુ આ વખતે સાત દિવસ છે. 23 ફેબ્રુઆરીથી શરૂ થયેલાં હોળાષ્ટક 1 માર્ચ સુધી રહેશે. પૂર્ણિમા તિથિનો ક્ષય હોવાથી એક દિવસ ઓછો રહેશે. હોળાષ્ટકની સાથે જ હોળીની ઉત્સાહપૂર્વક વિધિવત તૈયારીઓ શરૂ થઈ જાય છે. આ આઠ દિવસોને જો કે અશુભ દિવસોની શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે . આ દિવસો દરમિયાન કોઈ પણ માંગલિક કાર્યો જેવા કે ગૃહપ્રવેશ , વિવાહ-લગ્ન , વિવાહ સંબંધી વાતચીત વગેરે વર્જિત છે. આની પાછળ જ્યોતિષિક અને પૌરાણિક બંને કારણો છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શ્રી ભોળાનાથે ક્રોધમાં આવીને કામદેવને ભસ્મ કરી નાખ્યાં હતા અને તે દિવસથી હોળાષ્ટકની શરૂઆત થઈ હતી. જ્યોતિષ અનુસાર અષ્ટમીના ચંદ્ર , નવમીના સૂર્ય , દસમના શનિ , એકાદશીના શુક્ર , દ્વાદશીના ગુરુ , ત્રયોદશીના બુધ , ચતુર્દશીના મંગળ અને પૂર્ણિમાના રાહુ ઉગ્ર સ્વભાવના બની જાય છે. આથી માનવ મસ્તિષ્કની યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતા નિર્બળ બને છે. ખોટાં નિર્ણયો લેવાને લીધે હાનિ ન પહોંચે તે માટે જ હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો વર્જિત છે.

Chocolate Day 2018

છબી
શું મીઠી મધુરી ચોકલેટ જોઈને તમારા મોંમાં પાણી આવી જાય છે ? આયુર્વેદના મત મુજબ જો તમારે કોઈ વસ્તુ ચાખવી હોય , તેનો સ્વાદ માણવો હોય તો તેમાં પાણીનો ભાગ હોવો જરૂરી છે. પાણી આપણને પંચેન્દ્રિયોમાંની સ્વાદેન્દ્રિય સાથે જોડે છે. આથી જ જળતત્વ ધરાવતાં શુક્ર અને ચંદ્ર ગ્રહો સ્વાદનું પ્રતિનિધિત્વ કરે છે. (અન્ય ગ્રહો સૂર્ય , મંગળ – દ્રષ્ટિ , બુધ – સૂંઘવુ , શનિ – સ્પર્શ અને ગુરુ – શ્રવણ ઈન્દ્રિયનો નિર્દેશ કરે છે) જ્યોતિષમાં જળ એ લાગણીઓ અને સંવેદનાઓનું પ્રતીક છે. જ્યારે તમારી કુંડળીના પ્રમુખ ગ્રહો જળતત્વ રાશિમાં પડ્યા હશે ત્યારે તમે લોકોને ભોજન કરાવીને તેમના માટેની લાગણી પ્રદર્શિત કરવાનું પસંદ કરશો. નવેય ગ્રહોમાં જળતત્વ ધરાવતાં ગ્રહોમાં ચંદ્ર એ માતા છે અને શુક્ર એ પત્ની છે. અથવા તો એમ કહી શકાય કે આ બંને સ્ત્રી ગ્રહો હોવાથી દુનિયાભરની સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ કરે છે. હવે સમજાય છે કે શાં માટે તમારી માતા/પત્ની હંમેશા તમે જમ્યા કે નહિ તેની ચિંતા કરે છે ? શાં માટે તમને ભાવતી વિવિધ વાનગીઓ બનાવીને આગ્રહપૂર્વક જમાડે છે ? આ તેમની પ્રેમ પ્રદર્શિત કરવાની અને તમારી સાથે પ્રેમની ઊંડાણભરી લાગણીથી જોડાવાની

Propose Day 2018 - પ્રેમનો પ્રસ્તાવ રજૂ કરવાનો યોગ્ય સમય

છબી
Propose day special tip: પ્રેમનો પ્રસ્તાવ રજૂ કરવા માટે જ્યોતિષની દ્રષ્ટિએ યોગ્ય સમય ક્યો રહે ? તમારા મનની વાત પ્રિય પાત્રને કહેવા માટે શુક્રવાર એ સૌથી શ્રેષ્ઠ દિવસ છે. ત્યારબાદ સોમવારનો દિવસ અનુકૂળ રહે. તેમાં પણ આ દિવસોએ શુક્ર કે ચંદ્રની હોરામાં લાગણીઓ વ્યક્ત કરવી સરળ અને શુભ રહે. (હોરા કઈ રીતે જોવી તે માટે જુઓ લેખ ચોઘડિયાં અને હોરા ) શુક્ર એ પ્રેમ અને લગ્નનો કારક ગ્રહ છે. ચંદ્ર લાગણીઓ અને સંવેદનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ગોચરમાં ચંદ્ર જ્યારે શુક્રની રાશિ વૃષભમાં અને સ્વનક્ષત્ર રોહિણીમાંથી પસાર થઈ રહ્યો હોય તે સમય પણ પ્રેમ પ્રસ્તાવ રજૂ કરવા માટે ઉપયુક્ત રહે. તમારી કુંડળીમાં પંચમસ્થાન , પંચમેશ કે શુક્ર પરથી પસાર થઈ રહેલો ચંદ્ર પ્રેમ પ્રસ્તાવ રજૂ કરવા માટે આતુર બનાવી શકે છે. તેમાં પણ જો પંચમસ્થાન કે પંચમેશ પરથી શુક્ર પણ પસાર થઈ રહ્યો હોય તો ઉત્તમ !! ગોચરમાં રચાતી ચંદ્ર અને શુક્રની યુતિ હંમેશા પ્રેમીજનોને મદદરૂપ સાબિત થાય છે. મંગળવારે અને શનિવારે કે મંગળ અને શનિની હોરામાં પ્રેમ પ્રસ્તાવ રજૂ કરવાનું ટાળવું જોઈએ. પ્રેમની નાજુક લાગણીઓ વ્યક્ત કરવા માટે નાજુક સ્ત્રીત્વ અને જળતત્વ ધરાવતા

નવ ગ્રહો અને પુષ્પ

છબી
આજે વૅલન્ટાઇન વીકની શરૂઆત રોઝ ડેથી થઈ છે ત્યારે તમારા પ્રિયજનને તો કદાચ લાલ ગુલાબ પસંદ હશે , પરંતુ નવેય ગ્રહોને ક્યાં અને કેવાં રંગના પુષ્પો પસંદ છે તે પણ થોડું જાણો. સૂર્ય – લાલ કમળ ચંદ્ર – શ્વેત કમળ , શ્વેત પુષ્પ મંગળ – લાલ કરેણ , લાલ પુષ્પ બુધ – પાંદડાઓ , સર્વ ફૂલ , પીળા પલાશ પુષ્પ ગુરુ – પીળું પુષ્પ શુક્ર – શ્વેત કમળ શનિ – કાળું પુષ્પ , વાદળી પુષ્પ (અપરાજિતા) , નીલરંગી કમળ રાહુ – કાળું પુષ્પ , કાળું ધતૂરાનું ફૂલ કેતુ – મિશ્ર રંગી પુષ્પ