ગુરુ - શુક્ર પરિવર્તન યોગ - માર્ચ 2018
હાલ 2 માર્ચ, 2018થી પોતાની ઉચ્ચ રાશિ મીનમાં ગોચર ભ્રમણ કરી રહેલો
શુક્ર તુલા રાશિમાં ગોચર ભ્રમણ કરી રહેલાં ગુરુ સાથે પરિવર્તન યોગ રચી રહ્યો છે. જ્યોતિષશાસ્ત્ર
અનુસાર ગુરુ એ દેવોના ગુરુ અને શુક્ર એ દાનવોના ગુરુ છે. બંને ગુરુઓ વચ્ચે શત્રુતા
છે પરંતુ એ ના ભૂલવું જોઈએ કે આ બે સજ્જનોની શત્રુતા છે. સજ્જનોની શત્રુતામાં વૈચારીક
મતભેદો હોઈ શકે પરંતુ ક્રોધ, લડાઈ કે હિંસાને કોઈ સ્થાન હોતું
નથી. હાલ આ પરિવર્તન યોગથી કહી શકાય કે બંને એકબીજાના વિચારોને સમજવાની કોશિશ કરી રહ્યા
છે !! આ પરિવર્તન યોગ ગુરુની બે રાશિઓ ધનુ અને મીનમાંથી અને શુક્રની બે રાશિઓ વૃષભ
અને તુલામાંથી ફક્ત ધનુ રાશિ/લગ્ન માટે શુભ ફળ આપશે. ધનુ માટે મહા પરિવર્તન યોગ રચાઈ
રહ્યો છે. જયારે શુભ ભાવનાં સ્વામીઓ પરિવર્તન યોગમાં
સંકળાયેલાં
હોય ત્યારે મહા યોગ રચાય છે. આ શુભ ભાવો ૧, ૨, ૪, ૫, ૭, ૯, ૧૦ અને ૧૧ છે. અન્ય રાશિઓ મીન, વૃષભ અને તુલા માટે દૈન્ય પરિવર્તન યોગ રચાઈ રહ્યો છે. જ્યારે પરિવર્તન યોગમાં
સંકળાયેલ ગ્રહોમાંથી કોઈ એક ગ્રહ ૬, ૮ કે ૧૨માં ભાવનો સ્વામી
હોય ત્યારે દૈન્ય યોગ રચાય છે. મીન, વૃષભ અને તુલા રાશિ/લગ્ન ધરાવતા જાતકોને અવરોધ કે સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. 26 માર્ચ,
2018ના રોજ શુક્ર મહારાજ રાશિ પરિવર્તન કરીને મેષ રાશિમાં ગોચર ભ્રમણ
શરૂ કરશે અને આ પરિવર્તન યોગની સમાપ્તિ થશે.
ટિપ્પણીઓ
http://bit.do/d8BmX