જોશીનું ટીપણું - 4



ઘણીવાર પ્રશ્ન થાય કે જીવનમાં દરેક વસ્તુ ઈશ્વરની કૃપાથી જ પ્રાપ્ત થવાની હોય તો સાધના શાં માટે કરવી? શાં માટે તપ કરવું? કહેવાય છે ને કે એની મરજી વગર તો પાંદડું પણ નથી હલતું, તો પછી આપણી સાધના કર્યે શું વળે? આ પ્રશ્ન સમજના અભાવને લીધે કે પ્રમાદને લીધે આપણું મન પેદા કરે છે. હકીકતમાં સાધના એ આપણે ઈશ્વરને પાડેલો સાદ છે અને કૃપા એ ઈશ્વરે આપેલો પ્રતિસાદ છે. જો સાદ જ નહિ પાડો તો પ્રતિસાદ ક્યાંથી સાંપડશે? દ્વાર જ નહિ ખટખટાવો તો ઉઘડશે ક્યાંથી? સાદી અને સીધી વાત છે કે જે દ્વાર નથી ખટખટાવતાં એ અંદર પ્રવેશ કરવાની ઈચ્છા પણ નથી ધરાવતાં. સાધના એ આપણે આપણી જાતને ઈશ્વરની કૃપાને લાયક અને તત્પર બનાવી હોવાની નિશાની છે અને ત્યારબાદ સિદ્ધિરૂપી દ્વાર ઉઘડતાં વાર નથી લાગતી. સાધના અને કૃપા અલગ કે વિરોધી નથી. સાધના એ આપણે અધ્યાત્મપથ પર કરેલી ચાલવાની શરૂઆત છે અને ઈશ્વરની કૃપા એ આપણી મંઝિલ !! ક્યાંક પહોંચવા માટે ચાલવાની શરૂઆત તો કરવી જ પડે. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા