જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચંદ્ર એ મન , મનની સ્થિતિ , માતાનું સુખ , સન્માન , સુખ-સાધન , મીઠા ફળ , સુગંધિત ફૂલ , કૃષિ , યશ , મોતી , ચાંદી , સાકર , દૂધ , કોમળ વસ્ત્ર , તરલ પદાર્થ , સ્ત્રીનું સુખ વગેરેનો કારક ગ્રહ છે. જ્યારે શનિ આયુ , મૃત્યુ , ભય , દુ:ખ , અપમાન , રોગ , દરિદ્રતા , દાસત્વ , બદનામી , વિપત્તિ , નિંદિત કાર્ય , આળસ , બંધન વગેરેનો કારક ગ્રહ છે. ચંદ્ર સાથે શનિનો સંબંધ થાય ત્યારે જાણે કે ખીરમાં નમક પડી ગયું હોય તેવો ઘાટ થાય છે. દરેક જ્યોતિષ ગ્રંથોમાં ચંદ્ર અને શનિના સંબંધને અશુભ વર્ણવવામાં આવ્યો છે. અશુભ ફળ પ્રાપ્ત થતું હોવાથી આ સંબંધ ‘ વિષ યોગ ’ તરીકે ઓળખાય છે. વિષ એટલે કે ઝેર. ઝેર મૃત્યુ અથવા મૃત્યુતુલ્ય પીડાનું દ્યોતક છે. વિષ યોગ ‘ પુનર્ફૂ ’ યોગ તરીકે પણ ઓળખાય છે. જન્મકુંડળીમાં ચંદ્ર અને શનિની યુતિ , પ્રતિયુતિ , પરસ્પર દ્રષ્ટિ સંબંધ કે રાશિ પરિવર્તન સંબંધ વિષ યોગનું ફળ આપી શકે છે. ચંદ્ર પર શનિની ત્રીજી , સાતમી કે દસમી દ્રષ્ટિ પડવા પર પણ વિષ યોગ સમાન ફળ મળવાની સંભાવના રહે છે. ચંદ્ર અને શનિ અંશ અનુસાર જેટલાં નજીક રહેલાં હશે તેટલો વિષ યોગનો પ્રભાવ વધુ રહેશે. વિષ યોગનો પ્રભાવ ...
ટિપ્પણીઓ