વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરની રચના

રસોઈઘર ઘરની એ જગ્યા છે કે જ્યાં ભોજન તૈયાર થાય છે. ભોજનનો સીધો સંબંધ આપણા આરોગ્ય અને તંદુરસ્તી સાથે છે. જેવું અન્ન તેવું મન! આથી અન્ન પકાવતી આ જગ્યા સકારાત્મક ઉર્જાથી ભરેલી હોવી જરૂરી છે. વાસ્તુશાસ્ત્રના આધારે રસોઈઘરને કઈ રીતે વધુ સકારાત્મક ઉર્જાવાન બનાવી શકાય તે જોઈએ.

* રસોઈઘર માટે ઉચિત જગ્યા અગ્નિ કોણ(પૂર્વ-દક્ષિણ) છે. આ શક્ય ન હોય તો વાયવ્ય કોણમાં(ઉત્તર-પશ્ચિમ) પણ બનાવી શકાય.

* રસોઈઘરનો દરવાજો ઉત્તર, પૂર્વ અથવા ઇશાન કોણમાં(પૂર્વ-ઉત્તર) યોગ્ય રહે છે. રસોઈઘરમાં પ્રવેશ કરતી વખતે દરવાજો ઘડિયાળના કાંટાની દિશામાં ખુલે તે રીતે હોવો જોઈએ.

* મોટી બારીઓ પૂર્વ દિશામાં હોવી જોઈએ. જયારે નાની વધારાની બારીઓ દક્ષિણ દિશામાં રાખી શકાય. જેથી હવાની અવરજવર રહે.

* પ્લેટફોર્મ પૂર્વની દીવાલે હોવું જોઈએ. જો L આકારમાં પ્લેટફોર્મ બનાવવું હોય તો પૂર્વ અને દક્ષિણ દિશાની દીવાલે બનાવી શકાય.

* ગેસ સ્ટવને અગ્નિ કોણમાં રાખવો જોઈએ. રસોઈ કરતી વખતે રસોઈ કરનારનું મુખ પૂર્વ દિશા તરફ રહેવું જોઈએ.

* ગેસ સ્ટવ રસોઈઘરની બહારથી દેખાય તે રીતે રાખવો ઉચિત નથી.

* ગેસ સિલીન્ડરને અગ્નિ કોણમાં રાખી શકાય. ખાલી થયેલા ગેસ સિલીન્ડરને નૈઋત્ય કોણમાં(દક્ષિણ-પશ્ચિમ) રાખવું.

* કિચન સિંકને ઇશાન કોણમાં રાખી શકાય. સિંક અને સ્ટવ એકબીજાથી નજીક ન હોવા જોઈએ. સિંકનો નળ ટપકતો ન હોવો જોઈએ.

* પીવાનું પાણી, વોટર ફિલ્ટર વગેરેને ઇશાન કોણમાં રાખવા જોઈએ.

* રેફ્રીજરેટરને વાયવ્ય કોણમાં રાખવું. ડીશ વોશરને પણ વાયવ્ય કોણમાં રાખી શકાય.

* માઈક્રોવેવ ઓવન, જ્યુસર, મિક્સર, ગ્રાઈન્ડર વગેરે ઉપકરણોને અગ્નિ કોણમાં રાખી શકાય.

* એક્ઝોસ્ટ ફેન પૂર્વ દિશા તરફની દીવાલે રાખી શકાય.

* ગેસ સ્ટવની ઉપર અલમારીઓ કે છાજલીઓ બનાવી વસ્તુઓ રાખવી યોગ્ય નથી. સ્ટવની ઉપરની જગ્યા ખાલી રાખવી જોઈએ અથવા ચિમની રાખી શકાય.

* ધન-ધાન્ય, મસાલા, ભારે વસ્તુઓનો સંગ્રહ દક્ષિણ અને પશ્ચિમ દિશાની અલમારીઓમાં કરવો. જો પૂર્વ કે ઉત્તર દિશાની દીવાલે અલમારી કે છાજલીઓ હોય તો ત્યાં હળવી વસ્તુઓ જ રાખવી.

* ડાઇનિંગ ટેબલ જો રસોઈઘરમાં રાખવાનું હોય તો તેને રસોઈઘરની મધ્યમાં ન રાખતા વાયવ્ય કોણમાં રાખવું જોઈએ.

* આછો ગુલાબી, નારંગી અને પીળો ભૂખ ઉઘાડનારા રંગો છે. આથી દીવાલો અને ફર્શનો આ જ રંગ રાખવો.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા