કન્યાઓ માટે વિવાહનો મંત્ર

માતા કાત્યાયની માતા દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ માનવામાં આવે છે અને નવરાત્રિના છઠ્ઠા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. વિશેષરૂપે, તેઓ કુંવારી કન્યાઓની રક્ષા કરે છે અને તેમને યોગ્ય પતિ પ્રાપ્ત થવાના આશીર્વાદ આપે છે. આ કારણસર કાત્યાયની માતાની પૂજા, ખાસ કરીને, અવિવાહિત કન્યાઓ કરે છે, જેથી તેમને સારો જીવનસાથી મળે અને તેમના જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે.

પૌરાણિક કથાઓ અનુસાર, વ્રજની ગોપીઓએ ભગવાન કૃષ્ણ જેવાં પતિને પામવા માતા કાત્યાયનીની પૂજા કરી હતી. રૂકમણીજી અને માતા સીતાએ પણ કાત્યાયની માતાના આશીર્વાદથી પોતાના પતિઓને પ્રાપ્ત કર્યા હતાં. આમ માતા કાત્યાયની દરેક અવિવાહિત કન્યાની ઈચ્છા પૂર્ણ કરનાર છે.

વિવાહયોગ્ય કન્યાઓ માતા કાત્યાયનીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે કાત્યાયની મંત્રના નિયમિત જાપ કરી શકે છે. આ મંત્રના શ્રદ્ધા અને ભાવપૂર્વક નિયમિત જાપ કરવાથી વિવાહમાં આવતી બાધાઓ દૂર થાય છે, અને મનોવાંછિત પતિ તેમજ સુખદ લગ્નજીવનની પ્રાપ્તિ થાય છે. કાત્યાયની માતાને અવિવાહિત કન્યાઓની ઈચ્છા પૂર્ણ કરનાર માનવામાં આવે છે.

કાત્યાયની મંત્ર:

કાત્યાયની મહામાયે મહાયોગીન્યધીશ્વરી,
નંદ ગોપ સૂતમ દેવી પતિમ મે કુરુ તે નમઃ


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

શ્રી આદિત્ય હ્રદય સ્તોત્ર (ગુજરાતી અર્થ સહિત)

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર